SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ તે દેવતા ધર્મમાં સ્થિર થઈ પોતાને સ્થાનકે ગયો. સુવ્રત મુનિ તો શુભ ભાવના ભાવતાં લોકાલોકમાં પ્રકાશ કરનાર કેવળજ્ઞાન પામ્યા. તે વખતે પાસેના દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ત્યાં સુવર્ણના કમળ ઉપર બેસીને સુવ્રત કેવળીએ દયામય ઘર્મદેશના આપી. પછી પૃથ્વીપર વિચરતાં ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી અંતે અનશન કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે નેમિનાથ ભગવાનના મુખથી એકાદશીનું ઉજ્જ્વળ માહાત્મ્ય સાંભળીને સમગ્ર નગરના લોક સહિત શ્રીકૃષ્ણે એકાદશીનું વ્રત અંગીકાર કર્યું. ‘શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક જે લોકો પોતાની શક્તિ અનુસાર એકાદશીનું વ્રત આદરે છે તેઓ સ્વર્ગનાં સુખ ભોગવીને અંતે મોક્ષપદને પામે છે.’’ વ્યાખ્યાન ૨૫૨ સમકિતમાં નિઃશંકતા नास्ति जीवो न स्वर्गादि, भूतकार्यमिहेष्यते । इति प्रभृति शंकातो, सम्यक्त्वं खलु पात्यते ॥१॥ ભાવાર્થ—આ જગતમાં જીવ જેવી કોઈ વસ્તુ જ નથી, તેમજ સ્વર્ગ, નરક વગેરે પણ કાંઈ નથી; માત્ર પંચ મહાભૂતનું જ સર્વ કાર્ય છે. ઇત્યાદિ શંકા કરવાથી સમકિત નાશ પામે છે.’' તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે– આષાઢાચાર્યનું દૃષ્ટાંત કોઈ સાધુઓના સંઘાડામાં પૂર્વે આષાઢ નામે એક આચાર્ય હતા. તે અંતાવસ્થા પ્રાપ્ત થયેલા દરેક શિષ્યને નિઝામતા હતા અને તેને કહેતા હતા કે—“હે શિષ્ય! તું સ્વર્ગમાં દેવતા થાય તો જરૂર મને દર્શન આપજે.'' આ પ્રમાણે ઘણા શિષ્યોને કહ્યા છતાં સ્વર્ગે ગયેલામાંથી કોઈ પણ શિષ્ય આવ્યો નહીં. એક વખત પોતાના અતિવલ્લભ શિષ્યને નિઝામણા કરાવીને કહ્યું કે—“હે વત્સ! તું તો જો દેવ થાય તો અવશ્ય મને દર્શન આપજે.’’ એ પ્રમાણે અતિ આગ્રહથી કહ્યું. તેણે પણ તે અંગીકાર કર્યું. પછી તે શિષ્ય કાળ કરીને દેવતા થયો, પરંતુ દેવકાર્યમાં ગૂંથાઈ જવાથી જલદી આવી શક્યો નહીં, તેથી ગુરુએ વિચાર્યું કે—‘મેં અનેક શિષ્યોને નિઝામ્યા તેમજ તેમણે મારી પાસે આવવાનું મારું વચન અંગીકાર કર્યું, છતાં તેમાંથી એક પણ મારી પાસે આવ્યો નહીં; તેથી જણાય છે કે સ્વર્ગ કે નરક કાંઈ પણ નથી. આજ સુધી મેં વૃથા ક્રિયાકષ્ટ કર્યું.’’ ઇત્યાદિ વિચાર કરી મિથ્યાભાવ પામી ગચ્છનો ત્યાગ કરીને તે ચાલી નીકળ્યા. તેવામાં તે શિષ્યદેવે અવધિજ્ઞાનવડે ગુરુનું સ્વરૂપ જાણીને વિચાર્યું કે—“આ આચાર્ય મોહમાં ફસાઈને દુષ્કર્મ કરે નહીં તેટલા માટે ત્યાર અગાઉ તેને બોધ પમાડીને સન્માર્ગમાં લાવું.’' એમ વિચારીને તે દેવે ગુરુના જવાના માર્ગમાં એક ગામ પાસે દિવ્ય નાટક વિષુર્વ્યુ. આચાર્ય તે નાટક જોવા ઊભા રહ્યા. જોતાં જોતાં છ મહિના નિર્ગમન કર્યા, પરંતુ દેવના અનુભાવથી તેમને ક્ષુધા, તૃષા, શ્રમ વગેરે કાંઈ પણ જણાયું નહીં. પછી તે દેવે નાટક સંહરી લીધું; એટલે આચાર્ય આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેણે વિચાર્યું કે “અહો! કેવું સુંદર નાટક હતું? આજે પહેલી વાર આવું સુખ જોયું.” પછી તે દેવે વિચાર્યું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy