SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ વ્યાખ્યાન ૨૫૧] મૌન એકાદશીનું માહાસ્ય કરતા હતા તેવામાં શાસનદેવીએ તેમને સ્તંભિત કર્યા. થોડી મુદતે શોરબકોર થવાથી રાજાના સિપાઇઓ આવી તે ચોરોને પકડી રાજા પાસે લઈ ગયા. પ્રાત:કાળે શ્રેષ્ઠી પોસહ પારી ઘણા ઘનની ભેટ લઈને રાજા પાસે ગયા, અને કહ્યું કે-“હે રાજ! આ લોકો મારા ઘરનું કામકાજ કરનારા છે, તેથી ઘરમાં આડાંઅવળાં પડેલાં રત્નાદિકને એકઠાં કરીને ઘર વચ્ચે ઢગલો કર્યો છે, અને પગે અથડાતાં હતાં તેને સાચવી રાખ્યાં છે; માટે આ મારા ચાકરો મારવાને યોગ્ય નથી.” ઇત્યાદિ કહીને રાજા પાસેથી તે ચોરોને છોડાવ્યા. તે વાત જાણી નગરના લોકોએ શ્રેષ્ઠીની અત્યંત પ્રશંસા કરી. ત્યાર પછી શ્રેષ્ઠીએ પારણું કર્યું. ફરીથી બીજી એકાદશીને દિવસે પણ શ્રેષ્ઠીએ પૌષઘ અંગીકાર કર્યો હતો, તે રાત્રિએ દાવાનળની જેમ આખા નગરમાં અગ્નિ પ્રસરી ગયો. તેને બુઝાવવાનો ઉપાય નહીં ચાલવાથી સર્વ લોકો જુદી જુદી દિશાઓમાં નાસી ગયા. તે વખતે કોઈએ શ્રેષ્ઠીને કહ્યું કે-“હે શેઠ! જૈનમતમાં દરેક વ્રતો આગાર સહિત હોય છે, માટે તમે અત્યારે વ્રત તજી દો.” ઇત્યાદિ કહ્યા છતાં વ્રતભંગની ભીતિથી શ્રેષ્ઠી ઊઠ્યા જ નહીં. વ્રતના પ્રભાવથી તેનાં ઘર, દુકાનો, વખારો વગેરે કાંઈ પણ સમુદ્રમાં રહેલા બેટની જેમ અગ્નિથી બન્યું નહીં. તે જોઈને સર્વ નગરના લોકો તેના વ્રતની પ્રશંસા કરવા લાગ્યા. એકાદશીનું સમગ્ર વ્રત પૂર્ણ થયું ત્યારે અગિયાર અગિયાર વસ્તુઓ એકઠી કરીને વિધિપૂર્વક મોટા ઓચ્છવથી શેઠે ઉદ્યાપન કર્યું, અને સંઘપૂજાદિક સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરી પોતાનો જન્મ કૃતાર્થ કર્યો. તે શ્રેષ્ઠીને એકાદશી વ્રતના પુણ્યથી સ્ત્રીઓ પણ અગિયાર પ્રાપ્ત થઈ હતી, તેમજ તે દરેક સ્ત્રીથી દશ દશ પુત્ર અને એક એક પુત્રી થયેલ હતી. એકદા ચાર જ્ઞાનને ધારણ કરનારા વિજયશેખર સૂરિ તે નગરમાં પઘાર્યા, તેમની વૈરાગ્યમય દેશના સાંભળીને શ્રેષ્ઠી પ્રતિબોધ પામ્યા. એટલે તેમણે પોતાની અગિયાર સ્ત્રીઓ સહિત મોટા મહોત્સવથી સર્વવિરતિ ગ્રહણ કરી, અને ઘરનો સર્વ ભાર છોકરાઓને સોંપ્યો. અતિચાર રહિત ચારિત્રનું પાલન કરતાં તેમણે દ્વાદશાંગી કંઠે કરી. એક છ માસી તપ કર્યું, ચાર ચોમાસી તપ કર્યા, અને સો અઠ્ઠમ તથા બસો છઠ્ઠ કર્યા. તેની અગિયારે સ્ત્રીઓ માસ માસની સંખના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. એક દિવસ એકાદશી હોવાથી સુવ્રતમુનિએ મૌનવ્રત ધારણ કર્યું હતું, તે દિવસ એક સાઘુને કાનમાં તીવ્ર વેદના થવા લાગી. તેવામાં કોઈ મિથ્યાત્વી વ્યંતર દેવતાએ સુવ્રતમુનિને વ્રતથી ચલાવવા માટે તે માંદા સાધુના શરીરમાં પ્રવેશ કર્યો, અને રાત્રિને સમયે અધિક વેદના કરવા લાગ્યો. તેથી તે સાઘુએ સુવ્રતમુનિને કહ્યું કે-“તમે કોઈ શ્રાવકને ઘેર જઈને મારા શરીરની વ્યથાની વાત કહો, કે જેથી તે મારા વ્યાધિની ચિકિત્સા કરે.” તે સાંભળી સુવ્રતમુનિએ વિચાર્યું કે–“મેં આજે ઉપાશ્રયની બહાર જવાનો નિષેઘ કર્યો છે અને વળી મૌન ધારણ કર્યું છે; તેથી શી રીતે શ્રાવક પાસે જાઉં ને વાત કરું?” ઇત્યાદિ વિચાર કરવા લાગ્યા. તેવામાં તે સાધુએ સુવ્રત મુનિને ક્રોધનાં વચનો કહેવાપૂર્વક ઘર્મધ્વજ (ઘા) વડે માર્યા. ત્યારે સુવ્રત મુનિએ વિચાર્યું કે–“આ મહાત્માનો આમાં કાંઈ પણ દોષ નથી, મારો જ દોષ છે; કેમકે હું તેની ચિકિત્સા કરાવતો નથી.” ઇત્યાદિ લોકોત્તર ભાવના ઉપર ચડેલા અને મેરુપર્વતની જેમ નિશ્ચલ થયેલા તેમને જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy