SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ વ્યાખ્યાન ૨૫૧ મૌન એકાદશીનું માહાભ્ય प्रणम्य श्रीमद्वामेयं, पार्श्वयक्षादिपूजितम् । माहात्म्यं स्तौमि श्रीमौनैकादश्या गद्यपद्यभृत् ॥१॥ ભાવાર્થ-“શ્રી વામામાતાના પુત્ર, પાર્શ્વ યક્ષાદિકોએ પૂજેલા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને ગદ્યપદ્યાત્મક એવું મૌન એકાદશીનું માહાભ્ય કહું છું.” એકદા દ્વારિકા નગરીમાં શ્રી નેમિનાથ સ્વામી સમવસર્યા. તે સમાચાર વનપાળના મુખથી સાંભળીને શ્રી કૃષ્ણ અતિ હર્ષિત થયા. પછી તે વનપાળને યોગ્ય દાન આપીને સર્વ સમૃદ્ધિ સહિત કૃષ્ણ શિવારાણીના પુત્ર શ્રી નેમિનાથ પ્રભુને વાંદવા ગયા. વિધિપૂર્વક વાંદીને યોગ્ય સ્થાને બેસી નીચે પ્રમાણે ભગવાનની દેશના સાંભળી– દિને ને તેવા, વંતિ તેસિં પિ મારા થોવા कत्तो मे मणुय भवो, इति सुरवरो दुहिओ ॥१॥ - ભાવાર્થ–“એક દિવસમાં જેટલા દેવો ચવે છે તે કરતાં પણ આ પૃથ્વી ઉપર માણસો ઓછા છે, તેથી દેવતાઓ ચિંતવે છે કે અમને મનુષ્યભવ ક્યાંથી મળે?” માટે તેઓ દુઃખ ઘારણ કરે છે. એવી રીતે દેવને પણ દુર્લભ મનુષ્યભવ જાણીને પ્રમાદ કરવો નહીં. अन्नाण संसओ चेव, मिच्छत्ताणं तहेव य । रागो दोसो मइन्भंसो, धम्मम्मि य अणायरो॥१॥ जोगाण दुप्पणिहाणं, पमाओ अठ्ठ महा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वज्जियवओ॥२॥ ભાવાર્થ-અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મતિની ભ્રષ્ટતા, ઘર્મ ઉપર અનાદર અને યોગનું દુપ્રણિધાન–એ રીતે પ્રમાદ આઠ પ્રકારના છે; તેથી સંસારથી મુક્ત થવા ઇચ્છનારાએ તેનો સર્વથા ત્યાગ કરવો.” ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને શ્રી કૃષ્ણ પ્રભુને કહ્યું કે-“હે ભગવન્! હું અહર્નિશ રાજકાર્યમાં વ્યગ્ર હોવાથી નિરંતર ઘર્મ શી રીતે કરી શકું? માટે આખા વર્ષમાં એક ઉત્તમ દિવસ સારરૂપ હોય તે બતાવો!” ભગવાને કહ્યું કે-“કૃષ્ણ! જો તમારી એવી ઇચ્છા હોય તો માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીનું ઉત્તમ રીતે આરાઘન કરો. તે દિવસે વર્તમાન ચોવીશીનાં ત્રણ તીર્થકરના મળીને પાંચ કલ્યાણક થયા છે. તે વિષે કહ્યું છે કે अस्यां चक्रिपदं हित्वा, ग्रहीदरजिनो व्रतम् । जन्म दीक्षां च सज्ज्ञानं, मल्ली ज्ञानं नमीश्वरः॥१॥ ભાવાર્થ-“આ એકાદશીને દિવસે શ્રી અરનાથ પ્રભુએ ચક્રવર્તીપણું છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હતું; મલ્લિનાથનાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એ ત્રણ કલ્યાણક થયાં હતાં, અને નમિનાથનું કેવળજ્ઞાન કલ્યાણક થયું હતું.' આ પ્રમાણે નિયમપૂર્વક તે દિવસે પાંચ ભરતમાં તથા પાંચ એરવતમાં ત્રણ ત્રણ તીર્થકરોનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy