SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૦] વ્રતખંડનનું ફળ ૧૬૩ પતિને તો આ પાપીએ સમુદ્રમાં નાંખી દીધા છે, તેથી તે આજ સુધી ક્યાંથી જીવતા હોય?’’ તે સાંભળીને રાજાએ થગીઘરને બતાવ્યો. તે જોઈને તે બોલી કે “હે રાજા! સમાન આકૃતિવાળા ઘણા પુરુષો દુનિયામાં હોય છે, તેથી આકૃતિ માત્રથી નિશ્ચય કેમ થાય?’’ ત્યારે ઘનદત્તે તિલકપુરનો વૃત્તાંત, રાક્ષસનું મારવું, કૂવામાંથી બહાર નીકળવું વગેરે સર્વ કહ્યું, એટલે તેણે તેને બરાબર ઓળખ્યો, અને રાજાને કહ્યું કે “હે દેવ! આ જ મારા પ્રાણનાથ છે.’' પછી રાજાએ દેવદત્ત શેઠનું સર્વસ્વ લઈ લીધું અને તેને મારી નાખવાનો હુકમ આપ્યો. તે વખતે પણ ધનદત્તે વિનંતિ કરીને તેને બચાવ્યો. પછી ઘનદત્ત પોતાની પ્રિયા સહિત રાજાની આજ્ઞાથી મોટા ઉત્સવ પૂર્વક પિતાને ઘેર ગયો. તેને જોઈને તેના માતાપિતાને ઘણો હર્ષ થયો. એક દિવસ ઘનદત્ત રાજાની સાથે ઉદ્યાનમાં મુનિને વાંદવા ગયો; ત્યાં ધર્મદેશના સાંભળીને તેણે ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! મેં પૂર્વ ભવમાં કેવાં કર્મ કર્યાં હતાં?’ ગુરુ બોલ્યા કે—“હે ઘનદત્ત! તારા પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળ–રત્નપુર નગરમાં મહણ નામે એક શ્રેષ્ઠીપુત્ર હતો. તે એકદા ઉદ્યાનમાં ગયો. ત્યાં કોઈ મુનિને જોઈને તેમને વાંદીને તેમની પાસે બેઠો. તે વખતે ગુરુએ કહેલી ધર્મદેશના સાંભળીને તેણે સમકિત સહિત ગૃહીધર્મ અંગીકાર કર્યો. ગુરુને નમીને તે પોતાને ઘેર આવ્યો. પછી ઘણું ઘન ખર્ચીને તેણે એક મોટું ચૈત્ય કરાવ્યું; પણ પાછો તેને વિચાર થયો કે—ધર્મના રસમાં પરાધીન થઈને આટલો બધો ધનનો વ્યય કેમ કર્યો?' ઇત્યાદિ ભાવનાથી ભ્રષ્ટ થયા છતાં પણ પાછી લોકલક્ત્રથી તેણે પ્રતિમા ભરાવી. એકદા તેણે ધારણા કરી કે–‘જેટલું દ્રવ્ય હું ઉપાર્જન કરું તેમાંથી ચોથો હિસ્સો ધર્મમાર્ગે મારે વાપરવો.' એ પ્રમાણે વર્તતાં વળી તેને વિચાર થયો કે ‘મેં જે ધારણા કરી તેનું ફળ મને આ ભવમાં જ મળશે કે નહીં? કેમ કે શાસ્ત્રમાં તો થોડાનું પણ અધિક ફળ સંભળાય છે.' ઇત્યાદિ શંકા વારંવાર કર્યા કરતો હતો, અને દેવપૂજા વગેરે પણ ફળની શંકા સહિત કરતો હતો. એક દિવસ કોઈ બે મુનિને સુંદર વસ્ર વહોરાવીને તેણે વિચાર્યું કે–‘કદાચ આ સાધુઓ સુંદર વેષ પહેરે તો તેથી જૈનધર્મમાં શું દૂષણ આવે?’ વળી ફરીથી વિચાર કરવા લાગ્યો કે—‘અરે! મેં ખોટો વિચાર કર્યો; કેમકે સારાં વસ્ત્ર પહેરવાં, દેહની પરિચર્યા કરવી તથા તેની શુશ્રુષા કરવી તે સર્વ કામદેવને વધારવાના ઉપાય છે; માટે જ સાધુઓ તેવું કામ કરતા નથી.’ ઇત્યાદિ શુભ તથા અશુભ પરિણામથી આંતરે આંતરે શુભ તથા અશુભ કર્મ તેણે બાંધ્યાં. છેવટ આયુને અંતે મરણ પામીને તે ભુવનપતિ દેવતા થયો; ત્યાંથી ચ્યવીને તું ધનદત્ત થયો છે. તેં પૂર્વ ભવમાં ધર્મકાર્યો કર્યા, પણ તેમાં શંકાદિ દૂષણ લગાડ્યાં તેથી તેનાં ફળ રૂપે તને દુઃખ સહિત સુખ આ ભવમાં પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને ઘનદત્ત મૂર્છિત થયો. પછી સંજ્ઞામાં આવીને જાતિસ્મરણ થવાથી માતાપિતાની આજ્ઞા લઈને વૈરાગ્ય વડે રાજા સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યાંથી મરણ પામી વૈમાનિક દેવતાનું સુખ ભોગવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો, અને ધર્મનું આરાધન કરીને અનુક્રમે મોક્ષે ગયો. ‘દશ દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યભવ તથા બીજી આર્યદેશાદિ સામગ્રી પામીને તથા સંસારની અસારતા જાણીને નિરંતરનું સુખ (મોક્ષ) ઇચ્છનારા પુરુષોએ નિરંતર ધર્મકાર્યો કરવાં.’’ -- For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy