SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ તેને નીચ જાતિનો ઠરાવું તો મારું કષ્ટ નાશ પામે.” એમ વિચારીને તેણે ચાંડાળ પાસે જઈને કહ્યું કે–“હું તને સુવર્ણની ઇંટો આપીશ, પણ તારે રાજસભામાં જઈને રાજાના થગીઘરને ભેટીને તેને કહેવું કે-હે ભાઈ! તું અમને ઘણા દિવસે મળ્યો, આટલા દિવસથી ક્યાં ગયો હતો?” ઇત્યાદિ કહીને તેને તમારી જાતનો ઠરાવવો.” ચાંડાળે તે વાત કબૂલ કરીને બીજે દિવસે તે પ્રમાણે કર્યું. તે જોઈને રાજાએ ચાંડાળને પૂછ્યું કે–“આ શું?” ત્યારે ચાંડાળ બોલ્યો કે–“આ મારો ભાઈ છે, તેને મેં ઘણા દિવસે જોયો તેથી હું રડું છું.” તે સાંભળીને રાજાએ થગીથરને પૂછ્યું કે-“અરે રે! તું મારે ઘેર ક્યાંથી આવ્યો? તેં અમને સર્વને ચાંડાળ જેવા કર્યા.” ત્યારે તેણે કહ્યું કે “હે સ્વામી! સાંભળો, તે વિષે બહુ લાંબી વાત છે.” એમ કહીને પોતે ગાથા લીઘી ત્યારથી આરંભીને સર્વ હકીકત રાજાને નિવેદન કરી; અને દેવીએ આપેલાં પાંચ રત્નો પોતાની જંઘામાંથી કાઢીને રાજાને બતાવ્યાં. પછી રાજાને કહ્યું કે-“આ પાંચ રત્નો મારી પાસે રહ્યાં છે, બાકી તે પહેલાંનું મારું સર્વ દ્રવ્ય તેની પાસે છે.” તે સાંભળીને રાજાએ પેલા ચાંડાળોને ઘણો માર મરાવ્યો ત્યારે તેઓએ કબૂલ કર્યું કે–“નવા આવેલા વહાણવટીએ સુવર્ણની ઇંટો આપીને આ પ્રપંચ અમારી પાસે કરાવ્યો છે.” એમ કહીને રાજાને તે ઇટો બતાવી. રાજાએ ઇટો તોડી તો અંદરથી ઘનદત્તનું નામ નીકળ્યું. પછી રાજાએ તે વહાણવટીને બોલાવીને પોતાના સિપાઇઓને કહ્યું કે-“અરે! આ પાપીએ મત્સ્યોદરનું સર્વ ઘન કબજામાં લઈને તેને દ્વેષબુદ્ધિથી કૂવામાં નાંખી દીઘો હતો, માટે તેને મારી નાખો.” એમ કહીને તેનાં સર્વે વહાણો લૂંટી લઈ તેને દરિદ્ર કરી દીઘો. પછી ઘનદત્તે રાજાને વિનંતિ કરીને તેને જીવતો મુકાવ્યો. રાજાએ તેને પોતાના નગરમાંથી કાઢી મૂક્યો. પછી ઘનદત્તની પ્રશંસા કરીને રાજાએ તેને પૂછ્યું કે-“તું કોનો પુત્ર છે તે સત્ય કહે.” તેણે કહ્યું કે-“હે સ્વામી! આ જ નગરમાં રત્નસાર નામે શ્રેષ્ઠી છે તે મારા પિતા છે.” ઇત્યાદિ મૂળ વૃત્તાંત કહ્યો, એટલે રાજાએ હર્ષ પામીને તેને કહ્યું કે“હવે તું તારા પિતાને ઘરે જા.” ત્યારે ઘનદત્તે કહ્યું કે-“હે સ્વામી! હજુ હું એક બીજા વહાણવટીની રાહ જોઉં .” રાજાએ તેનું કારણ પૂછ્યું એટલે તેણે પોતાની પ્રિયા સંબંધી વૃત્તાંત કહ્યો. કેટલાક દિવસ ગયા પછી તે વહાણવટી દેવદત્ત શેઠ પણ તે જ ગામમાં આવ્યો. તે ભેટ લઈને તિલકમંજરી સહિત રાજા પાસે આવ્યો. તેને જોઈને ઘનદત્તે રાજાને કહ્યું કે-“જે માણસની હું રાહ જોતો હતો તે આ જ છે, અને તેની સાથે જે સ્ત્રી છે તે મારી પ્રિયા તિલકમંજરી છે.” પછી રાજાએ તે શેઠને પૂછ્યું કે “આ કિન્નરીના જેવા રૂપવાળી લાજ કાઢીને ઊભેલી સુંદરી કોણ છે?” તે બોલ્યો કે “હે દેવ! આ સ્ત્રીને હું કટાહ દ્વીપમાંથી લાવ્યો છું, પરંતુ આ સ્ત્રી કહે છે કે જો મને રાજા હુકમ આપે તો હું તારે ઘેર આવું.” તે સાંભળીને રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે-“આ શેઠ શું કહે છે? તેનું ઇચ્છિત કરવા તે ખુશી છે કે નહીં?” તે બોલી કે–“હે રાજા! મારા સ્વામીને એણે સમુદ્રમાં નાખી દીધો છે અને હું પતિવ્રતા સ્ત્રી છું, માટે મને બળી મરવા માટે અગ્નિ આપો. આ શેઠને છેતરીને આટલા દિવસ મેં મુશ્કેલીથી નિર્ગમન કર્યા છે અને અહીં સુધી તેને હું લઈ આવી છે. પૂર્વે મેં મારા સ્વામી પાસે નં વિય વિશિMા િિહય' ઇત્યાદિ ગાથાનો અર્થ સાંભળ્યો હતો તેનો મને પૂરેપૂરો અનુભવ થયો છે, માટે હવે મારા મનમાં કાંઈ પણ શોક નથી.” રાજાએ પૂછ્યું કે-“હે પુત્રી! તું તારા સ્વામીને શી રીતે ઓળખી શકે તેમ છે?” તે બોલી કે–“હે દેવ! મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy