SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૦] વ્રતખંડનનું ફળ ૧૬૧ તે એક રાજમહેલમાં ગયો અને ઉપર ચઢ્યો. ત્યાં તેણે એક સુંદર કન્યા જોઈ. તે કન્યાએ તેને સન્માન આપ્યું. ઘનદત્તે તેને નગર શૂન્ય થવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલી કે–– “આ તિલકપુર નામનું નગર છે. આ નગરમાં મારો પિતા મહેન્દ્ર નામે રાજા હતો. એક દિવસે શત્રુઓએ આવીને નગરને ઘેરી લીધું, તે જ રાત્રીએ કોઈ વ્યંતર મારા પિતા પાસે આવ્યો. મારા પિતાએ તેને પૂછ્યું કે−‘તું કોણ છે?’ ત્યારે વ્યંતરે કહ્યું કે–‘હું તારો પૂર્વ ભવનો મિત્ર છું.' મારા પિતાએ કહ્યું કે—ત્યારે તું આ મારા નગરને જ્યાં શત્રુનો ભય ન થાય એવે સ્થાને મૂક.' તે સાંભળીને તે વ્યંતરે એક શહેર કૂવા પાસે બનાવ્યું, અને આ બીજું કૂવાની અંદર બનાવ્યું. એકદા કોઈ નરભક્ષી રાક્ષસ અહીં આવ્યો. તેણે બન્ને નગર સર્વ લોકનું ભક્ષણ કરીને મનુષ્યરહિત કરી નાખ્યાં. માત્ર એક મને જ પરણવાની ઇચ્છાથી જીવતી રાખી છે, અને આજે જ મને પરણવાનો છે.’’ આ પ્રમાણે તે કન્યા વાત કરતી હતી એટલામાં આકાશમાં શબ્દ કરતો તે રાક્ષસ આવ્યો. તે કન્યાએ ધનદત્તને કહ્યું કે–‘તમે અહીં ગુપ્ત રીતે રહો, નહીં તો તમને પણ તે પાપી મારી નાંખશે.’’ એમ કહીને ઘનદત્તને ચંદ્રહાસ ખડ્ગ બતાવીને કહ્યું કે “આ ખડ્ગથી તે પાપિષ્ઠને દેવપૂજાને વખતે મારવો, તેથી તેનું મૃત્યુ થશે; તે સિવાય તેનું મૃત્યુ થાય તેમ નથી.’' આ પ્રમાણે સંકેત કરીને તેને ગુપ્ત સ્થાને સંતાડી રાખ્યો. રાક્ષસ પૂજા કરવા બેઠો તે વખતે સમય જોઈને ધનદત્તે ખડ્ગવતી તેને મારી નાંખ્યો. પછી ધનદત્ત તે કન્યાને પરણ્યો અને રત્નાદિક સાર સાર વસ્તુ લઈને તે બન્ને કૂવામાં આવ્યા. તે વખતે કોઈ વહાણવટી તે કૂવામાંથી પાણી લેવા ત્યાં આવ્યો. તેણે કૂવામાં મનુષ્યો છે એમ જાણીને તે બન્નેને બહાર કાઢ્યા. પછી ઘનદત્તના કહેવાથી વહાણવાળાએ તેમને ભાડું લઈને વહાણમાં બેસાડ્યા. વહાણનો સ્વામી તે સ્ત્રીનું સ્વરૂપ તથા દ્રવ્ય જોઈને મોહ પામ્યો, તેથી માર્ગમાં ઘનદત્તને મૈત્રીભાવથી વિશ્વાસ પમાડીને સમુદ્રમાં નાખી દીધો. ઘનદત્ત તો સર્વત્ર ગાથાનો અર્થ સ્મરણ કરી સુખદુઃખમાં સમાન રહેતો હતો. સમુદ્રમાં પડતાં જ તેના હાથમાં એક પાટિયું આવ્યું, તે તેણે પકડી લીધું. સમુદ્રના કલ્લોલ ઉપર તે તરતો હતો તેવામાં એક મોટો મત્સ્ય તેને પાટિયા સહિત ગળી ગયો. ત્યાં તેને બહુ ખેદ થયો અને ઘણી પીડા થઈ, પણ તે તો ગાથાનો અર્થ જ વિચારવા લાગ્યો કે ‘વિધિએ જેવા સુખ દુઃખ લખ્યાં હોય તેવાં ભોગવવાં જ પડે છે.’’ પેલો મત્સ્ય મનુષ્યના ભારથી ખેદ પામીને સમુદ્રને કિનારે ગયો. ત્યાં મચ્છીમા૨ે તેને પકડ્યો. તેને ચીરતાં તેના ઉદરમાંથી ઘનદત્ત નીકળ્યો; તે મૂર્છિત થઈ ગયેલો હતો; તેથી મચ્છીમારે તેને ઘીરે ઘીરે સજ્જ કર્યો. પછી કનકપુરના રાજાને સર્વ વૃત્તાંત કહીને તેને રાજા પાસે આણ્યો; રાજાએ તેને તેનો હેવાલ પૂછ્યો એટલે તેણે કેટલોક વૃત્તાંત એકાંતમાં કહ્યો; તેથી પ્રસન્ન થઈને રાજાએ તેને ઘણા સત્કાર પૂર્વક થગીઘર બનાવ્યો. ત્યાં તેણે મત્સ્યોદર નામ રાખ્યું. એક દિવસ જે વહાણવટીએ તેને કૂવામાં નાખ્યો હતો તે તે જ નગરે વહાણ સહિત આવ્યો અને રાજાની પાસે ભેટ મૂકીને બેઠો. ત્યાં તે થગીઘરને જોઈને તેણે ઓળખ્યો; તેથી તે વહાણવટીએ વિચાર્યું કે—‘આ નવો આવેલો હશે, તેથી તેની જાતિ કુળ વગેરે કોઈ જાણતું નહીં હોય, માટે જો ૧ રાજા જેના પર પ્રસન્ન થાય, તેને તાંબુલ આપનાર થણીધર કહેવાય છે. Jain Educatio{{{૪-૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy