SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ભાવાર્થ—“પૂર્વે જેનું બીજું નામ મત્સ્યોદર છે, એવો ધનદ નામે શ્રેષ્ઠીપુત્ર પચખાણરૂપ ધર્મનું ખંડન કરવાથી ખંડિત ફળને પામ્યો.” તેનું દૃષ્ટાંત આ પ્રમાણે– મત્સ્યોદરની કથા ૧૬૦ કનકપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તે ગામમાં સાગરદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધનદત્ત નામે પુત્ર હતો. તે ગામમાં સિંહલ નામનો એક જુગારી રહેતો હતો. તે એક દિવસ કોઈ દેવીના મંદિરમાં ગયો અને દેવીને કહ્યું કે—‘હે દેવી! મને ઘન આપ, નહીં તો તારી પ્રતિમા ભાંગી નાંખીશ.’’ તે સાંભળીને દેવી બોલી કે—‘તારા ભાગ્યમાં ધન નથી, તો પણ આ ગાથા ગ્રહણ કર. जंचिय विहिणा लिहियं, तंचिय परिणमइ सयललोयस्स । इय जाणे वि धीरा, विहुरे वि न कायरा हुंति ॥ १ ॥ ભાવાર્થ—જે વિધિએ (ભાગ્યમાં) લખેલું હોય છે તે જ સકળ લોકને પ્રાપ્ત થાય છે, એમ જાણીને ધીર પુરુષો સંકટમાં પણ કાયર થતા નથી.’ આ ગાથા હજાર સોનામહોર લઈને તું વેચજે.’' જુગારી તે ગાથા લઈને બજારમાં ગયો. ત્યાં ઘનદત્તે તે ગાથા વાંચીને હજાર સોનામહોર આપી ગ્રહણ કરી. તે વાત તેના પિતાના જાણવામાં આવી, એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ધનદત્ત ઉત્તર દિશા તરફ ચાલ્યો; રસ્તામાં ચોરોએ તેને પકડી લઈને વણજારાને વેચ્યો. વણજારાએ તેને પારસકુળમાં જઈ વેચ્યો. તેઓએ તેને લોહીને માટે વેચાતો લીઘો. પછી હમેશાં તેના શરીરમાંથી લોહી કાઢવાથી તે અત્યંત નિઃસત્વ થઈ ગયો. એકદા તે અચેતન થઈને પડ્યો હતો અને તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું, તેથી ભારંડ પક્ષીએ તેને ઉપાડ્યો, અને સુવર્ણદ્વીપમાં મૂકી દીધો. ત્યાં પણ પેલી ગાથાનો અર્થ સંભારતો સતો તે સુખે રહેવા લાગ્યો. એકદા રાત્રીએ અરણીના લાકડાં સળગાવીને તેના અગ્નિ વડે તે તાપ્યો. પ્રાતઃકાળે તે સ્થાનની પૃથ્વી તેણે સુવર્ણમય થયેલી જોઈ; તેથી તેણે તે માટીની ઇંટો બનાવી અને તેની મધ્યમાં પોતાનું નામ રાખીને તેના આઠ હજાર ને પાંચ સંપુટ બનાવ્યા. તે ઇંટો અગ્નિમાં પકવતાં સુવર્ણમય થઈ ગઈ. તેમનો તેણે એક ઠેકાણે ઢગલો કર્યો. એકદા કોઈ વહાણવટી પાણી લેવા માટે તે કિનારે ઊતર્યો. તેણે ઘનદત્તને પૂછ્યું કે—‘તમે અહીં ક્યાંથી આવ્યા છો?’’ ઘનદત્તે કહ્યું કે–‘“મારી સુવર્ણની ઇંટો લેવા આવ્યો છું, માટે આ ઇંટો જો તમે ભાડું ઠરાવીને લઈ જાઓ તો આમાંથી ચોથો ભાગ તમને આપીશ.’’ વહાણવટીએ કબૂલ કરીને તે ઇંટો વહાણમાં ભરાવી. પછી વિશ્વાસ પમાડીને તે વહાણવટીએ ઇંટોના લોભથી તેને એક કૂવામાં નાખી દીધો. ધનદત્તે કૂવામાં પગથિયાં જોયાં. તે પગથિયાંને રસ્તે અંદર ઊતરતાં તેણે એક મનુષ્ય વિનાનું શૂન્ય નગર જોયું. ત્યાં ચક્રેશ્વરી દેવીનું મનોહર મંદિર જોઈને તે અંદર ગયો. દેવીને વંદન કરીને તેની પૂજા કરી. ભક્તિથી પ્રસન્ન થઈને દેવીએ તેને પાંચ રત્ન આપ્યાં; તેમાં એક સૌભાગ્ય આપનાર, બીજું રોગનો નાશ કરનાર, ત્રીજું આપત્તિમાંથી રક્ષણ કરનાર, ચોથું વિષ ઉતારનાર અને પાંચમું લક્ષ્મી આપનાર હતું. તે રત્નો તેણે પોતાની જંઘા વિદારીને તેમાં ગોપવ્યાં. પછી ઘનદત્ત નગરમાં આગળ ચાલ્યો, પણ કોઈ મનુષ્ય તેના જોવામાં આવ્યું નહીં. ચાલતાં ચાલતાં ૧ લોહીનો રંગ બનાવનાર વસ્તીવાળો દેશ (બબ્બરકુળ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy