SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૦] વ્રતખંડનનું ફળ ૧૫૯ પરણાવી. દામનક તેની સાથે સુખેથી વિલાસ કરવા લાગ્યો. કેટલેક દિવસે સાગરશ્રેષ્ઠી ઘેર આવ્યો, એટલે વિષાના લગ્નની વાત જાણી તે અતિ ખેદ પામ્યો. તેણે વિચાર્યું કે—“અહો! મારું ચિંતવેલું કાર્ય તો ઊલટું થયું અને આ તો મારો જમાઈ થયો, તો પણ પ્રપંચથી તેને મારી નાખું. પુત્રી વિધવા થાય તે સારું, પણ શત્રુની વૃદ્ધિ થાય તે સારું નહીં.'’ આ પ્રમાણે વિચાર કરીને તેણે પેલા ચાંડાળ પાસે જઈને કહ્યું કે—“અરે! તે દિવસે તેં મને આંગળીની નિશાની આપીને છેતર્યો તે ઠીક કર્યું નહીં.’’ ચાંડાળ બોલ્યો કે—‘હે શેઠજી! હવે તેને દેખાડો, હું જરૂર મારી નાખીશ.’’ પછી શ્રેષ્ઠી તેને મારવા માટે માતૃકા દેવીના દેરાનો સંકેત આપીને ઘેર આવ્યા અને દામનકને કહ્યું કે‘“હે વત્સ! તું આજે સાંજે વિષા સહિત માતૃકા દેવીના પ્રાસાદમાં પૂજા કરવા જજે, કે જેથી દેવીની કૃપા વડે તમારા બન્નેનું કુશળ થાય.’’ પછી સાયંકાળ થતાં તે દંપતી પૂજા કરવા માટે ચાલ્યા. માર્ગમાં તેનો સાળો મળ્યો. તેણે કહ્યું કે–‘ક્યાં જાઓ છો?’’ દામનકે દેવીની પૂજા કરવા જવાનું કહ્યું, એટલે તે બોલ્યો કે—‘અત્યારે પૂજાનો સમય નથી, કેમકે અંધકાર પ્રસરવાનો સમય નજીક હોવાથી ઘણા દોષને ઉત્પન્ન કરનાર પ્રદોષનો સમય છે.’' એમ કહીને તે બન્નેને ત્યાં જ રોકીને પોતે પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા ગયો. પ્રથમથી જ શ્રેષ્ઠીનો સંકેત હોવાથી પેલા ચાંડાળે તેને દેરામાં પેસતાં જ જાણે તે દેવીને બળિદાન દેતો ન હોય તેમ મારી નાંખ્યો. પુત્રનું મરણ સાંભળીને સાગર શ્રેષ્ઠીનું વક્ષઃસ્થળ ભેદાઈ ગયું, તેથી તે પણ મૃત્યુ પામ્યો. પછી રાજાએ દામનકને તેના ઘરનો સ્વામી કર્યો. એક વખત રાત્રિના પાછલા પહોરે ૧મંગલપાઠકના મુખથી દામનકે એક ગાથા સાંભળી. તેનો ભાવાર્થ એવો હતો કે–“નિરપરાધીને અનર્થમાં નાખવા માટે કોઈ અનેક પ્રયત્નો કરે તો તે ઊલટા તેને બહુ ગુણના કરનારા થાય છે. દુઃખને માટે કરેલ ઉપાય સુખને માટે થાય છે; કેમકે કૃત્તાંત (દેવ) જ જેનો પક્ષ કરે તેને બીજો શું કરી શકે?’’ આ ગાથા તે ત્રણ વાર બાલ્યો, એટલે દામનકે તેને ત્રણલાખ દ્રવ્ય આપ્યું. રાજાએ એ વાત જાણીને એટલું બધું દાન આપવાનું કારણ પૂછ્યું, ત્યારે દામનકે પોતાનો સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો. એકદા જ્ઞાની ગુરુ મળવાથી તેમની પાસેથી પોતાના પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનનું ફળ જાણીને જાતિસ્મરણ થવાથી દામનક વિશેષે ધર્મનો રાગી થયો. અનુક્રમે મરણ પામીને તેણે દેવલોકનું સુખ પ્રાપ્ત કર્યું. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે. “પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનના પ્રભાવથી દામનકનું શત્રુએ પ્રયોજેલું કષ્ટ નાશ પામ્યું, અને ઊલટો તેના જ ઘરનો સ્વામી થયા. તેમજ અનુક્રમે તે લોકોત્તર સુખ પામ્યો; માટે સર્વ કોઈએ ભાવપૂર્વક પ્રત્યાખ્યાન કરવું. વ્યાખ્યાન ૨૫૦ વ્રતખંડનનું ફળ यथा श्रेष्ठिसुतः पूर्वं धर्मखण्डनयानया । ધનવાĂ: ળવળ્યું, મત્સ્યોદ્દપરામિઃ ||શા ૧ ભાટ ચારણ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy