SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ વ્યાખ્યાન ૨૪૯] પ્રત્યાખ્યાનના દશ ભેદ કરવામાં આવે છે. (૮) આઠમું પરિમાળા નામનું પચખાણ છે, તેમાં પરિમાણ એટલે કેવળ (કોળિયા) તથા ભિક્ષાના ઘર વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું એટલે નિયમ કરવો. આ તપમાં જેટલું પરિમાણ કર્યું હોય તેથી અધિક વસ્તુ વાપરવી નહીં એમ સમજવું. (૯) નવમું સંત પચખાણ છે. તેમાં “સંકેત” એટલે “ઘર” સહિત જે હોય તે અર્થાત્ ગૃહસ્થ; અથવા સંકેત એટલે જ ગૃહસ્થ અને તેને કરવા લાયક પચખાણ તે સાંકેતિક પચખાણ કહેવાય છે. આ પચખાણ પાયે ગૃહસ્થોને જ હોય છે અથવા “કેત” એટલે ચિહ્ન અને “સ” એટલે સહિત અર્થાત્ કાંઈ પણ ચિસહિત લેવામાં આવે છે. જેમકે-કોઈ શ્રાવક પોરસી આદિ પચખાણ લઈને ક્ષેત્ર વગેરે અન્ય સ્થાને ગયો હોય અથવા ઘેર જ રહ્યો હોય. પછી પ્રત્યાખ્યાનનો સમય પૂર્ણ થયો હોય પણ ભોજનસામગ્રી થઈ ન હોય તેથી એક ક્ષણવાર પણ પ્રત્યાખ્યાન વિના રહેવું યોગ્ય નથી એમ ઘારીને તે અંગૂઠા વગેરેનું ચિહ્ન કરે એટલે કે-“જ્યાં સુધી મૂઠીમાં અંગૂઠો રાખી નવકાર ગણી બહાર કાઢે નહીં ત્યાં સુધી, અથવા મૂઠી વાળું નહીં કે ગાંઠ છોડું નહીં ત્યાં સુધી મારે ભોજન કરવું નહીં.” એવી જ રીતે “જ્યાં સુધી ઘરમાં પેસું નહીં, અથવા પરસેવાના બિંદુ સુકાય નહીં, અથવા દીવો ઓલવાય નહીં, ત્યાં સુધી મારે ભોજન કરવું નહીં.” એવો નિયમ કરી રાખે તે સંકેત પચખાણ કહેવાય છે. કેટલીક વખત પોરસી આદિ પચખાણ કર્યું ન હોય પણ માત્ર ગ્રંથિ વગેરેનું ચિહ્ન ઘારી અભિગ્રહ કરવામાં આવે છે તો તે પણ સાંકેતિક પચખાણ ગણાય છે. આવી રીતે સાધુ પણ પચખાણ કરી શકે છે. (૧૦) દશમું બદ્ધા પચખાણ છે. અદ્ધા શબ્દનો અર્થ કાળ થાય છે, તેમાં મુહૂર્ત પહોર વગેરે કાળનો નિયમ કરીને પચખાણ કરવામાં આવે છે તેથી તેને અદ્ધા પચખાણ કહેલું છે. તેનું સ્વરૂપ પાછલા વ્યાખ્યાનમાં આવી ગયું છે. કાંઈ પણ પચખાણ લીધું હોય તો તે દામનકની જેમ બરાબર પાળવું. તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે દામનકનું દ્રષ્ટાંત હસ્તિનાપુરમાં સુનંદ નામે એક કુલપુત્ર રહેતો હતો. તેને જિનદાસ નામના શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી; તેથી તે શ્રેષ્ઠી પાસે હમેશાં પચખાણનો મહિમા સાંભળતો હતો. એકદા શ્રેષ્ઠી તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુએ અનાગત આદિ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા ફળનું વર્ણન કર્યુંતે સાંભળીને સુનંદે મદ્યમાંસનું પચખાણ શુદ્ધ ભાવથી ગ્રહણ કર્યું. પછી કોઈ વખત સર્વ સ્થાને મોટો દુષ્કાળ પડ્યો; તેથી છઠ્ઠા આરાની જેમ સર્વ લોક પ્રાયે માંસભક્ષણ કરનારા થઈ ગયા. સુનંદના સ્વજનો સુઘાથી અત્યંત પીડાવા લાગ્યા, તેથી તેને એક દિવસ ઘણો ઉપાલંભ આપીને તેના સાળા સાથે માછલાં લેવા માટે મોકલ્યો. સુનંદે પાણીમાં જાળ નાંખી; પરંતુ જાળમાં ફસાયેલાં માછલાં જોઈને તેમને મૂકી દેતો હતો. તે જોઈને તેના સાળાએ કહ્યું કે-“હે બનેવી! તમે કોઈ મુંડાના વાક્યરૂપી જાળમાં ફસાયા લાગો છો, તેથી તમારાં સ્ત્રીપુત્રાદિકને દુઃખરૂપી જાળમાંથી શી રીતે કાઢી શકશો? જાણ્યું તમારું દયાપણું!” વગેરે કહ્યા છતાં પણ તેણે તે દિવસે એકે માછલું પકડ્યું નહીં. તેવી જ રીતે બીજે દિવસે પણ એક માછલું પકડ્યું નહીં, અને કહેવા લાગ્યો કે-“હું શું કરું? કોઈ વખત મને મસ્ય પકડવાનો અભ્યાસ નથી.” તે સાંભળીને તેના સ્વજનો તેને શીખવવા લાગ્યા; પરંતુ તેની નિર્મળ ઘર્મની ભાવના ગઈ નહીં. ત્રીજે દિવસે તળાવ પર જઈને જાળ નાંખી. તેમાં એક માછલાની પાંખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy