SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ વળી નરકમાં રહેલો જીવ સુઘા, તૃષા તથા બીજી ક્ષેત્રાદિક વેદના લાખ વર્ષ સુધી અનુભવીને અકામ નિર્જરા વડે પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં જેટલાં નિકાચિત કર્મના બંઘને છેદી નાખે છે તેટલા વર્ષનું અશુભ કર્મ માત્ર એક પુરિમઢ પચખાણથી નાશ પામે છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વધતાં પચખાણથી દશ દશ ગણું કર્મ ખપે છે; એટલે એકાસણાથી દશ લાખ વર્ષનું કર્મ, નીધિથી કરોડ વર્ષનું કર્મ, ઉપવાસથી દશ હજાર કરોડ વર્ષનું કર્મ, છઠ્ઠથી (બે ઉપવાસથી) લાખ કરોડ વર્ષનું કર્મ અને અઠ્ઠમથી (ત્રણ ઉપવાસથી) દશ લાખ કરોડ વર્ષનું અશુભ કર્મ ક્ષય પામે છે. ઇત્યાદિ પ્રત્યાખ્યાનનું ફળ જાણીને યોગ્ય જીવોને બળાત્કારે પણ પચખાણ કરાવવું ઉચિત છે. તે ઉપર દ્રષ્ટાંત કહે છે શ્રીયક મુનિની કથા પાટલીપુર નગરમાં શકપાલ મંત્રીનો પુત્ર શ્રીયક નામે નંદરાજાનો મંત્રી હતો, તેણે ચિરકાળ સુધી રાજ્યનું પ્રઘાનપણું કરીને પછી દીક્ષા લીધી હતી. તે બહુ સુઘાવાળો હતો, તેથી એકાસણા જેવું તપ પણ કરી શકતો નહોતો, પણ ક્રિયામાં તત્પર રહેતો. એકદા પર્યુષણ પર્વમાં તેની બહેન યક્ષા નામની આર્યાએ શ્રીયક મુનિને કહ્યું કે-“હે બંધુ! તમે પચખાણનું ફળ જાણો છો, વળી હાલમાં તો ચારિત્ર ગ્રહણ કર્યું છે, તેથી આવા પર્યુષણ પર્વમાં તો વિશેષ કરીને તપસ્યા કરવી જોઈએ.” ઇત્યાદિ પોતાની બહેન યક્ષા આર્યાના વચનથી શ્રીયક મુનિ લતિ થયા, તેથી તેમણે પોરસીનું પચખાણ લીધું. તે પચખાણ પૂરું થવા આવ્યું, એટલે ફરીથી યક્ષા આર્યાએ કહ્યું કે–“તમે પુરિમઠ્ઠનું પચ્ચખાણ કરો. આ પર્વ ઘણું દુર્લભ છે, અને એટલો કાળ તો ચૈત્ય પરિપાટી કરતાં સુખે ચાલ્યો જશે.” એવું સાંભળીને મુનિએ તેમ કર્યું. તે પચખાણ પૂરું થયું એટલે ફરીથી આર્યાએ કહ્યું કે-“હવે અવઢુના કાળ સુધી રહો.” તેથી તેણે તે પણ અંગીકાર કર્યું. તે કાળ પણ પૂર્ણ થતાં ફરીથી આર્યાએ કહ્યું કે-“હે બંધુ! હવે તો રાત્રીનો સમય નજીક આવ્યો છે, અને રાત્રિ તો સૂઈ જવાથી સુખે જતી રહેશે, માટે ઉપવાસનું પચખાણ કરો.”બહેનના આગ્રહથી મુનિએ તેમ કર્યું. અર્ધ રાત્રી થતાં સુઘાની પીડા વઘી પડવાથી દેવગુરુનું સ્મરણ કરતા સતા મરણ પામીને તેઓ દેવલોકે ગયા. તે વાત જાણીને યક્ષા સાધ્વીએ પોતાને ઋષિહત્યા લાગી એવી શંકાથી ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. તે વખતે ચતુર્વિધ સંઘે એકત્ર થઈને સાધ્વીને કહ્યું કે-“તમે શુદ્ધ ભાવથી ઉપવાસ કરાવ્યો હતો, તેથી તેનું તમને કાંઈ પણ પ્રાયશ્ચિત્ત નથી.” સાધ્વીએ શ્રીસંઘને કહ્યું કે–“જો સાક્ષાત્ જિનેશ્વર મને કહે તો મારા મનની શંકા દૂર થાય, તે સિવાય મારું મન શાંત થશે નહીં.” તે સાંભળીને સર્વ સંધે કાયોત્સર્ગ કર્યો; એટલે શાસનદેવી આવીને બોલી કે–“જે કામ હોય તે કહો, હું શું કામ કરું?” સંઘે કહ્યું કે “આ સાથ્વીને સીમંઘર સ્વામી પાસે લઈ જાઓ.” દેવીએ કહ્યું-“તમે સર્વ સંઘ મારી નિર્વિધ્ર ગતિ થવા માટે કાયોત્સર્ગમાં જ રહો.” સંઘે ફરીને કાયોત્સર્ગ અંગીકાર કર્યો એટલે દેવી તે સાધ્વીને જિનેશ્વર પાસે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગઈ. સાધ્વીએ પ્રભુને નમીને પોતાનો વૃત્તાંત કહ્યો. ત્યારે પ્રભુએ કહ્યું કે-“હે સાથ્વી! ૧ હજાર કરોડ વર્ષ માટે કયું પચખાણ તે રહી ગયેલું છે. કદી તિવિહાર ઉપવાસનું તેટલું ફળ હોય તો ચૌવિહાર ઉપવાસનું દશ હજાર કરોડ વર્ષનું હોય તો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy