SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ પ્રત્યાખ્યાન કરનાર માંસ મધમાં આસક્ત એવો કુવિંદ વણકર કપર્દી નામનો યક્ષ થયો હતો; તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે– કુવિંદ વણકરની કથા ક્ષિતિપુર નગરમાં મઘમાંસ ખાનારો કુવિંદ નામે એક વણકર રહેતો હતો. તેને એક દિવસ અનાયાસે વજસ્વામી સૂરિનો મેળાપ થઈ ગયો. તે વખતે ગુરુએ દશ પ્રકારના પ્રત્યાખ્યાનનું વ્યાખ્યાન આપ્યું. તેમાં ગંઠશીના પચખાણને પ્રસંગે ગુરુએ કહ્યું કે जे निच्चमप्पमत्ता, गंठिं बंधंति गंठिसहियस्स । सग्गापवग्ग सुखं, तेहिं निबद्धं स गंठिमि ॥१॥ ભાવાર્થ-“જે અપ્રમાદી મનુષ્યો હમેશાં ગંઠશીના પચખાણ સહિત ગાંઠ બાંધે છે તેમણે તે ગ્રંથિમાં સ્વર્ગ તથા મોક્ષનું સુખ બાંધી લીધું છે એમ સમજવું.” भणिऊण नमुक्कारं, निच्चं विस्सरणवज्जियं धन्ना । पारंति गंठिसहियं, गंठिसह कम्मगंठि वी ॥२॥ ભાવાર્થ-“જે ઘન્ય પુરુષો હમેશાં સ્મરણપૂર્વક નમસ્કાર ભણીને ગંઠશી પચખાણ પારે છે (ગાંઠ છોડે છે) તેણે તે ગાંઠ છોડવાની સાથે કર્મરૂપી ગ્રંથિ પણ છોડી નાખી છે એમ સમજવું.” રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે, દિવસે એક સ્થાને બેસીને તાંબૂલ વગેરે વાપરી મુખ શુદ્ધ કરે તથા ગંઠશી પ્રત્યાખ્યાન કરે, તેવા પુરુષને હમેશાં એકવાર જમતો હોય તો દરેક માસે ઓગણત્રીશ નિર્જળ ઉપવાસનું ફળ મળે એવું વૃદ્ધ વાક્ય છે. કારણ કે–ભોજન, પાણી, તાંબૂલ વગેરે વાપરતાં આખા દિવસમાં આશરે બે ઘડી જાય, એટલે મહિનામાં સાઠ ઘડી જતાં એક દિવસ ખાવા પીવાનો ગણાયો; તેથી બાકીના ઓગણત્રીશ અને બેસણું કરનારને ચાર ઘડી જાય તો બે દિવસ બાદ કરતાં અઠ્ઠાવીસ દિવસ ઉપવાસવાળા થાય.” ઇત્યાદિ ઉપદેશ સાંભળવાથી તે વણકર પ્રતિબોઘ પામ્યો અને ગંઠશી પચખાણ ઘારવાનો નિયમ કર્યો. અનુક્રમે તે મરણ પામીને કપર્દી નામે યક્ષ થયો. એકંદા વજસ્વામી ચતુર્વિઘ સંઘ સહિત સિદ્ધગિરિની યાત્રા માટે ચાલ્યા. માર્ગમાં શત્રુંજય ગિરિ ઉપર રહેનારા કોઈ મિથ્યાત્વી દેવતાએ ઉપસર્ગ કર્યો. તેમાં સકળ સંઘને દિમૂઢ કરી દીધું અને મહા વિકટ અને લાંબો પર્વત વિકર્વીને જવાનો માર્ગ સર્વત્ર રૂંધી દીઘો. તે વખતે સૂરિએ શાસનદેવતાનું સ્મરણ કર્યું. અહીં કપર્દી યક્ષ તરત જ ઉત્પન્ન થયેલ હોવાથી તેણે વિચાર્યું કે-“મેં પૂર્વ ભવમાં શું શું પુણ્ય કર્યું છે કે જેથી મને આવું દેવતાનું સુખ પ્રાપ્ત થયું?” એમ વિચારી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીઘો તો તત્કાળ ગુરુએ આપેલા પ્રત્યાખ્યાનનું ફળ પ્રગટપણે દેખવામાં આવ્યું. પછી તે ગુરુને વાંચવા માટે પૂર્વ ભવનું રૂપ ઘારણ કરીને તેમની પાસે આવ્યો. ગુરુને નમીને તે બોલ્યો કે-“હે પૂજ્ય સ્વામી! આપ મને ઓળખો છો?” ત્યારે સૂરિએ દશ પૂર્વના જ્ઞાની હોવાથી ઉપયોગ દીધો અને તેના પૂર્વ ભવનું વૃત્તાંત જાણીને કહી બતાવ્યું. તે સાંભળી કપર્દી બોલ્યો કે-“હે મહારાજ! મને કાંઈક કામ સેવા બતાવો.” સૂરિએ કહ્યું કે–“કોઈ દુષ્ટ આ સંઘને ઉપદ્રવ કર્યો છે, માટે તું તેનું નિવારણ કર.” તે સાંભળીને તરત જ કપર્દી યક્ષે તે મિથ્યાત્વી દેવને જીતીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy