SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૮] દશમા અદ્ધા પચખાણના દશ ભેદ અને તેનું ફળ ૧૫૧ (૫) પાંચમું એકલઠાણું એકાસણાની જેમ જ જાણવું. તેમાં ફેર એટલો છે કે-શરીરનો સંકોચ અને વિકાસ કર્યા વિના એક જ સ્થાને શરીરને રાખવું તે એક જ સ્થાન (એકલઠાણું) પચખાણ કહેવાય છે. તેથી તેમાં સાકટ્ટાસરે આગાર વિના સાત આગાર છે. તેમાં ભોજન વખતે પ્રથમ જેવી રીતે શરીરનાં અંગોપાંગ રાખ્યાં હોય તેની તે જ સ્થિતિએ ભોજન થઈ રહે ત્યાં સુધી રાખવાં; માત્ર એક હાથ તથા મુખ અશક્ય પરિહાર હોવાથી ચલાવવાનો નિષેધ નથી. અહીં કોઈ શંકા કરે કે-“એકાસણા વગેરેના પચખાણમાં કાળનો નિયમ જણાતો નથી, તો તેને કાળ પચખાણ કેમ કહ્યાં?” તેનો ઉત્તર એ છે કે “એકાસણાદિક પચખાણો પણ પ્રાયે પોરસી આદિ કાળ પચખાણ સહિત જ કરવામાં આવે છે તેથી તે કાળ પચખાણ કહેવાય છે.” (૬) છઠ્ઠું આયંબિલ, તેમાં આચાર્મ્સ એટલે અવશ્રાવણ તથા આર્મ્સ એટલે ચોથો રસ (ખાટો) તેનાથી નિવર્તવું તે આચામ્સ (આંબિલ) કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે; તે ચોખા, અડદ અને સાથવો-તેના આહારથી થાય છે; અથવા અવશ્રાવણની જેમ અન્નાદિક સ્વાદ રહિત કરવામાં આવે તે આચામ્ય જાણવું. એ પચખાણમાં પણ આઠ આગાર છે, પરંતુ તે એકાસણાના આગારથી જુદા છે. (૭) સાતમું અભક્તાર્થ એટલે ઉપવાસનું પચખાણ. તેમાં પાંચ આગાર છે. જેમાં ભોજન કરવાનું પ્રયોજન નથી તે અભક્તાર્થ એટલે ઉપવાસ કહેવાય છે. આગલી રાત્રે ચોવિહારનું પચખાણ કર્યું હોય અને બીજે દિવસે ઉપવાસ કરે, તો તેને ચોથ પચખાણ અપાય અને આગળની રાત્રે ચોવિહારનું પચખાણ કર્યા વિના બીજે દિવસે ઉપવાસ કરે તેને પચખાણમાં માત્ર “મટ્ટ” કહીને જ પચખાણ અપાય; ચોથ કહેવાય નહીં. વળી આગળના તથા પાછળના દિવસે એકાસણું કરી વચ્ચે ઉપવાસ કરે, તેને ચોથભક્ત (ચતુર્થભક્ત) કહેવાય એવો વૃદ્ધ સંપ્રદાય છે. (૮) આઠમું ચરિમ એટલે દિવસના પાછલા ભાગે તથા આયુષ્યના પાછલા ભાગે જે પચખાણ લેવામાં આવે તે “વિવસ વરિ” અથવા “મવરિમ” કહેવાય છે. તેમાં ચાર આગાર છે. સાઘુને જીવન પર્યત હમેશાં રાત્રે ત્રિવિધ ત્રિવિધ ભાંગાએ કરીને ચોવિહાર પચખાણ થાય છે; અને શ્રાવકોને શક્તિ પ્રમાણે ચોવિહાર, તિવિહાર વગેરે પચખાણ થઈ શકે છે. (૯) નવમું અભિગ્રહ પચખાણ છે. તેમાં પણ ચાર આગાર કહેલા છે. અંગૂઠી, મૂઠી, ગ્રંથિ (ગાંઠ) વગેરે સહિત કરવામાં આવતાં સર્વ અભિગ્રહ આ પચખાણમાં આવી જાય છે. પ્રમાદ ટાળવાને ઇચ્છનારા મનુષ્યને પચખાણ વિના એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. માટે નવકારશી વગેરે કાળ પ્રત્યાખ્યાન પૂરું થાય, ત્યારે ગ્રંથિ અથવા મુષ્ટિ સહિત પચખાણ ઘારવું. વારંવાર ઔષઘાદિક ખાનારા બાળક તથા રોગી વગેરેને પણ આ પચખાણ સુસાધ્ય છે અને અપ્રમાદનું કારણ છે. આ પચખાણ કરવાથી મોટાં ફળની પ્રાપ્તિ થાય છે. માત્ર એક જ વાર ગ્રંથિ સહિત ૧. ઓસામણ તરીકે લોકોમાં કહેવાય છે. ૨. ચતુર્થભક્ત એટલે ચાર ટંકના આહારનો ત્યાગ. એક દિવસના આહારના બે ટંક ગણાય અને આગળના પાછળના દિવસે એકાસણું હોવાથી એક-એક ટંક તથા ઉપવાસના દિવસે બે ટંક આહારનો ત્યાગ હોવાથી કુલ ચાર ટંકના આહારનો ત્યાગ થાય એ ચતુર્થભક્ત અથવા ઉપવાસ કહેવાય. ૩. વીંટી વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy