SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સંભ ૧૭ ઉત્તર :- નવકારશીને અદ્ધા પચખાણમાં પ્રથમ કહેલ છે તેથી તેમજ ત્યાર પછી બીજું પચખાણ પોરસીનું કહેલ છે, માટે પોરસીની પહેલાંનો કાળ મુહૂર્ત જ બાકી રહ્યો, તેથી મુહૂર્ત શબ્દ વિશેષ્ય રાખવામાં અયોગ્ય નથી. પ્રશ્ન:- કદી એમ હોય તો પણ એક જ મુહૂર્ત કેમ કહો છો? બે ત્રણ મુહૂર્ત કેમ લેતા નથી? ઉત્તર :- નવકારશીના પચખાણના આગાર માત્ર બે જ છે અને પોરસીના છ છે, તેથી નવકારશીનો કાળ ઘણો થોડો હોવો જોઈએ, માટે એક જ મુહૂર્તનો કાળ ગણવો એ યોગ્ય છે. વળી આ પચખાણ નવકાર સહિતનું છે, તેથી એક મુહૂર્તનો કાળ પૂર્ણ થયા પછી પણ નવકાર ગણ્યા વિના પચખાણ પૂર્ણ થતું નથી. તેમજ તેટલો કાળ પૂર્ણ થયા પહેલાં નવકાર મંત્ર ગણીને પણ પચખાણ પારે તો પચખાણ અપૂર્ણ રહે છે તેથી તેનો ભંગ જાણવો. પ્રશ્ન :- ત્યારે પહેલું મુહૂર્ત જ નવકારશીના પચખાણમાં લેવું તેનું શું કારણ, બીજું ત્રીજું શા માટે નહીં? ઉત્તર :- પોરસીના પચખાણમાં જેમ “રૂપ સૂરે” નો પાઠ છે તેમ નવકારશીમાં પણ “વા, સૂરે” નો પાઠ છે તેથી એ પચખાણ સૂર્યોદયથી જ થાય છે. વળી નવકારશી, પોરસી વગેરે કાળ પચખાણ જો સૂર્યોદય પહેલાં લેવામાં આવે તો જ તે શુદ્ધ કહેવાય છે, અને બીજા પચખાણ સૂર્યોદય પછી પણ કરવામાં આવે છે. જો નવકારશીનું પચખાણ સૂર્યોદય થયા પહેલાં કર્યું હોય તો તે પચખાણ પૂરું થયા પછી પણ પોરસી વગેરે કાળ પચખાણ થઈ શકે છે; પરંતુ નવકારશીનું પચખાણ કર્યું ન હોય, અને પોરસી આદિ પચખાણ સૂર્યોદય થયા પછી કરે તો તે શુદ્ધ થતું નથી, એટલે સૂર્યોદય પહેલાં પોરસી વગેરે પચખાણ કર્યું હોય અને નવકારશીનું પચખાણ કર્યું ન હોય, તો તે પોરસી આદિ પચખાણ પૂરું થયા પછી બીજું કાળ પચખાણ થઈ શકે નહીં, પરંતુ તે તે પચખાણ પૂરું થયા અગાઉ કરે તો તે શુદ્ધ કહેવાય છે. ઇત્યાદિ વૃદ્ધ વ્યવહાર ચાલતો આવે છે. આ નવકારશીનું પચખાણ રાત્રિભોજનના પ્રત્યાખ્યાન રૂપ વ્રતના નિર્ણયરૂપ હોવાથી રાત્રીએ ચોવિહાર કરનારાને જ કરવું સૂઝે છે. (૨) બીજું પોરસીનું પચખાણ એક પહોર સુધીનું છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે–“પુરુષના શરીર જેવડી છાયા થાય ત્યારે પોરસી પૂરી થાય.” આ પચખાણમાં છ આગાર કહેલા છે. તે જ પ્રમાણે સાર્થ પોરસી પચખાણમાં પણ જાણવું, કેમકે તેનો તેમાં સમાવેશ થાય છે. (૩) ત્રીજું પુરિમઠ્ઠનું પચખાણ દિવસના પ્રથમ બે પહોર સુધીનું છે. તેમાં પોરસીના કહેલા છે આગાર ઉપરાંત એક મહત્તરાગાર વધારાનો છે, એટલે તેના સાત આગાર છે. નવકારશીનું પચખાણ સૂર્યોદય પહેલાં ધાર્યું ન હોય, તો પણ પુરિમટ્ટનું પચખાણ લઈ શકાય છે. “અવઢ પચખાણ પણ પુરિમઠ્ઠની જ જેમ પાછલા બે પહોરનું જાણવું. (૪) ચોથું એકાસણું એટલે એકવાર અશન કહેતાં ભોજન કરવું તે અથવા એક આસન પર બેસીને ભોજન કરવું તે. આ એકાસણાના પચખાણમાં આઠ આગાર કહેલા છે. ૧ અવદ પચખાણ સૂર્યોદયથી ત્રણ પહોરનું કહેવાય છે, આમાં પૂર્વાદ્ધ (પુરિમ)ની જેમ અવઠ્ઠ (અપરાદ્ધ પણ પાછલા બે પહોરનું કહે છે. તત્ત્વ બહુશ્રુત જાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy