SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ વ્યાખ્યાન ૨૪૭ લોભપિંડનું સ્વરૂપ स्निग्धं मनोहरं पिंडं, वीक्ष्यातिरसलोलुपः । સર્વત્રાત્યનુષાનો, નોમપિંડઃ સ તે શા ભાવાર્થ-ગોળ ઘી મિશ્રિત તે સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ એવો આહાર જોઈને રસમાં અત્યંત લોલુપી સાધુ તેવા આહારને માટે સર્વત્ર ઊંચનીચ કુળમાં અટન કરે છે. તેવી રીતે મેળવેલો આહાર તે લોભપિંડ કહેવાય છે.’’ તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે છે– લોભપિંડ ઉપર સુવ્રત મુનિની કથા ચંપા નગરીમાં સુવ્રત નામના કોઈ સાધુ માસક્ષપણને પારણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચારે પ્રકારના અભિગ્રહને ધારણ કરીને પહેલી પોરસીમાં જ ગોચરી માટે નીકળ્યા. તે અતિતપસ્વી હોવાથી તેને સર્વ કાળ ગોચરીને યોગ્ય છે. ૧૪૬ [સ્તંભ ૧૭ શ્રી કલ્પસૂત્રમાં સમાચારી વ્યાખ્યાનમાં કહ્યું છે કે-નિષ્વમત્તસ્સ મિલ્લુસ્ત વ્પતિ એનું ગોયરાÉ' ઇત્યાદિ. નિત્ય આહાર કરનાર સાધુને એક જ ગોચરીનો કાળ કલ્યે છે. અર્થાત્ હમેશાં એકાશન કરનાર સાધુને એક જ ગોચરીને સમયે શ્રાવકના ઘરમાં પેસવું ને નીકળવું કલ્પે છે, બીજી વાર જવું આવવું કલ્પતું નથી. પણ જો કોઈ સાધુ એકાશન કરીને આચાર્ય, ઉપાધ્યાય કે ગ્લાન સાધુ વગેરેની વૈયાવચ્ચ કરવા શક્તિમાન થઈ શકતા ન હોય તો તેને બે વાર પણ ગોચરી કરવા જવું કલ્પે છે, કેમકે તપ કરતાં વૈયાવૃત્યનું ફળ અધિક છે. વળી જે ક્ષુલ્લક સાધુ છે, એટલે જેને દાઢી મૂછ તથા બગલના વાળ ઊગ્યા નથી તેને બે વાર ગોચરી કરવા જતાં પણ દોષ નથી. એકાંતર ઉપવાસ કરનાર સાધુને પારણાને દિવસે એક વાર ગોચરી કરવાથી નિર્વાહ ન થાય તો બે વાર ગોચરી કરવા જવાની છૂટ છે. છઠ્ઠ (બે ઉપવાસ) કરનાર સાધુને પારણાને દિવસે બે વાર ગોચરી કરવા જવું કલ્પે છે, અને અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કે તેથી વધારે ૪-૬ વગેરે ઉપવાસ કરનાર સાધુને પારણાને દિવસે સર્વ કાળ ગોચરીનો છે. જ્યારે ઇચ્છા થાય ત્યારે ગોચરી જઈ શકે, પરંતુ પ્રાતઃકાળે લાવેલી ગોચરી રાખી મુકાય નહીં. કેમકે તેથી જીવસંસક્તાદિ દોષનો સંભવ છે. ૨ હવે તે સાધુ આહારને માટે નગરમાં ફરતા હતા, તેવામાં શ્રાવકની જ્ઞાતિમાં સિંહકેસરીઆ લાડુની લાણી થતી જોઈને તેમણે વિચાર કર્યો કે—‘આજે મારે લાડુ જ વહોરવા, તેમાં પણ સિંહકેસરીઆ જ લેવા.'' એવો અભિગ્રહ ધારીને ભિક્ષા માટે તે કોઈના ઘરમાં પેઠા. રસના લોલુપ હોવાથી બીજો આહાર લીધો નહીં, અને સિંહકેસરીઆ લાડુ મળ્યા નહીં; તેથી તેમનો ક્લિષ્ટ અધ્યવસાય થયો, અને તે સિંહકેસરીઆ લાડુનું જ ધ્યાન કરતાં અટન કરવા લાગ્યા. મધ્યાહ્ન સમય થતાં “મને આજે લાડુ મળ્યા નહીં'' એમ ઘારી ચિત્તમાં ખેદ કરવા લાગ્યા. તે લાડુના જ ધ્યાનમાં તલ્લીન થવાથી કોઈના ઘરદ્વારમાં પ્રવેશ કરતા ત્યારે ધર્મલાભ’” કહેવાને બદલે ૧. માયાપિંડનો અધિકાર અષાઢભૂતિના વૃત્તાંતમાં સમાયેલો હોવાથી ક્રોધ, માન પછી લોભપિંડ વિષે જ કહે છે. ૨. દશ દશ જાતિનાં ઉત્તમ મૂળ, ફળ, બીજ, પુષ્પ ને પર્ણનો રસ અને દશ જાતિની સુગંધ તથા ચાર વિગઇ મળીને ૬૪ પ્રકાર એકઠા થવાથી સિંહકેસરીઆ લાડુ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy