SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૬] ક્રોઘપિંડ તથા માનપિંડ ૧૪૫ પણ રાણીએ હઠ મૂકી નહીં, ત્યારે રાજા ચિતામાં પ્રવેશ કરવા ચાલ્યા. રસ્તામાં રાજાના સેવકો ઘોડાને માટે લીલા જવનું ગાડું ભરીને આવતા હતા. તે જોઈને કોઈ બકરીએ બકરાને કહ્યું કે—“મને એક જવનો પૂળો લાવી આપો.’’ બકરો બાલ્યો કે—‘જો હું તને એ લાવી આપું તો રાજાના સેવકો મારા પ્રાણ લઈ લે.’’ બકરી બોલી કે—“જો તમે લાવી નહીં આપો, તો હું મરી જઈશ.' ત્યારે બકરો બોલ્યો કે—‘હું કાંઈ આ ચક્રીના જેવો સ્ત્રીનો ચાકર નથી કે સ્ત્રીના વચનથી મરવા જાઉં.’’ તે સાંભળીને ચક્રીએ વિચાર્યું કે—‘હું તો પશુ કરતાં પણ વધારે મૂર્ખ બન્યો કે જેથી સ્ત્રીના કહેવાથી મરવા ચાલ્યો.’’ એમ વિચારી બકરાને ગુરુ માનીને ચક્રી પાછો વળ્યો. (૫) કોઈ સ્ત્રીઆસક્ત પુરુષ સ્ત્રીના કહેવાથી છોકરાં રમાડવાં, તેમને મૂત્રોત્સર્ગાદિ કરાવવું અને તેનાં બાળોતિયાં ધોવાં વગેરે કામ કરવા લાગ્યો, તેથી તેનાં વસ્ત્રો કાયમ દુર્ગંધ મારતાં; એટલે લોકો તેને હદન (દુર્ગંઘી) કહેવા લાગ્યા. (૬) કોઈ પુરુષ ભોજન કરવા બેઠો. તે વખતે તેણે પોતાની સ્ત્રી પાસે શાક, છાશ વગેરે માગ્યું, ત્યારે તે સ્ત્રી ઘરના કામમાં ગૂંચાયેલી હોવાથી ક્રોધ વડે બોલી કે–“તમારે હાથે લઈ લો.’’ તેથી તે પુરુષ ગીધ પક્ષીની જેમ કાંઈક બડબડતો હાથે લેવા લાગ્યો. તેથી તે લોકમાં ગીઘ પક્ષીની જેવો કહેવાવા લાગ્યો. માટે આ છ પ્રકારના પુરુષો સ્ત્રીને આધીન છે, સ્ત્રીના ગુલામ છે. તમે જો તેમાંના એકેય ન હો તો તમારી પાસે કંઈક માંગું.’’ આ પ્રમાણે સાધુનાં વચન સાંભળીને સભાના માણસો બોલ્યા કે—“હે સાધુ! આ શેઠ પણ તે છમાંથી જ એક છે.’’ ત્યારે શેઠ બોલ્યા કે—“હે સાધુ! આ લોકોના કહેવાથી શું? તમારી મરજી પ્રમાણે માગો.’ સાધુએ કહ્યું કે—જો એમ હોય, તો તમારા ઘરમાંથી ઘી ગોળ સહિત ઘણી સેવ મને આપો.’’ તે વાત કબૂલ કરીને શેઠ ઘેર ચાલ્યા. સાધુએ તેને તેની સ્ત્રીનો વૃત્તાંત કહ્યો. તેથી સાધુને દરવાજા પાસે રાખીને તે ઘરમાં ગયો, અને પોતાની સ્ત્રીને કાંઈ કામના મિષથી મેડી ઉપર મોકલી, મુનિએ માગેલી સર્વ સામગ્રી વહોરાવી. તે લઈને સાધુએ પોતાનું નાક આંગળી વતી ઘસીને તે શેઠની સ્ત્રીને “નકટી (નફટ) થઈ” એમ સૂચવ્યું. પછી તે સ્ત્રીએ સાધુને પાછા બોલાવીને વધારે સેવ આપી. તે લઈને તેઓ સંતુષ્ટ થયા, અને ઉપાશ્રયે જઈ સર્વ સાધુની પાસે પોતાના ગુણ અને લબ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. એકદા આલોયણને વખતે ગુરુએ પૂછ્યું કે—“તેં કોઈ વખત મૂળ ગુણ કે ઉત્તર ગુણની કાંઈ પણ ખંડના કરી છે?’' તેણે કહ્યું કે—“મેં એક વખત દેવદત્ત શેઠને ઘેરથી મોટો આડંબર કરીને સેવ લીધી હતી.’’ ત્યારે ગુરુએ કહ્યું કે—“એ માનપિંડ કહેવાય છે. માટે ત્રણ કાળમાં પણ પરવસ્તુ ઉપર આસક્તિ નહીં રાખનારા મુનિઓએ એવો પિંડ લેવો યોગ્ય નથી.” તે સાંભળીને તેણે પોતાના આત્માની નિંદા કરી અને તે કર્મ આલોવ્યું. જેમ ક્રોઘપિંડ લેવાથી મુનિધર્મનો ઉદ્યોત થતો નથી, તેમજ માનપિંડ પણ નિઃસ્પૃહી સાધુઓને લેવા યોગ્ય નથી. તેથી પિંડશુદ્ધિ માટે સાધુઓએ નિરંતર યતના કરવી.’’ Jain Educatiભાગ ૪-૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy