SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૭ સાઘુએ કહ્યું કે–“જો તમે છ પુરુષમાંના કોઈ ન હો, અને તેથી જુદા સાતમા હો તો તમારી પાસે માગું.” તે સાંભળીને સર્વ લોકો વિસ્મય પામ્યા, અને બોલ્યા કે–“તે છ પુરુષ કયા?” ત્યારે સાઘુએ કહ્યું કે श्वेतांगुलिर्बकोड्डायी, तीर्थस्नाता च किंकरः ।। हदनो गृध्रपक्षीव, षडेते गृहिणीवशाः॥१॥ ભાવાર્થ-“શ્વેત આંગળીવાળો, બગલાં ઉડાડનારો, તીર્થમાં (તળાવાદિમાં) સ્નાન કરનારો, ચાકર, ગંઘાતો અને ગીઘ પક્ષી જેવો–એ છ માણસો સ્ત્રીને વશ થયેલા હોય છે.” તેનાં દ્રષ્ટાંત આ પ્રમાણે (૧) એક પુરુષ પોતાની સ્ત્રીને વશ હતો અને તેના હુકમ પ્રમાણે કરનારો હતો. તેણે સુઘા લાગવાથી તેની સ્ત્રી પાસે ખાવાનું માગ્યું, ત્યારે શય્યામાં સૂતેલી તેની સ્ત્રી બોલી કે–“જો તમારે વહેલું ખાવું હોય તો ચૂલામાંથી રાખ કાઢીને બાળવા માટે લાકડાં વગેરે લાવી આપો, તો હું ઉતાવળી રાંધીને તમને જમાડું.” તે સાંભળીને તેણે હમેશાં તેમ કરવા માંડ્યું. એ પ્રમાણે દરરોજ ચૂલામાંથી રાખ કાઢવાથી તેની આંગળીઓ ઘોળી થઈ ગઈ. તેથી લોકમાં તેને સૌ શ્વેતાંગુલી કહેવા લાગ્યા. (૨) કોઈ સ્ત્રીને આધીન થયેલા પુરુષને તેની સ્ત્રીએ કહ્યું કે–“હમેશાં તમારે તળાવમાંથી પાણી ભરી લાવવું.” એટલે તે પુરુષ દિવસે પાણી લેવા જતાં લા આવવાથી રાત્રે તળાવ ઉપર પાણી ભરવા જતો. તેથી તળાવમાં રહેલાં બગલાં ઊડી જતાં હતાં, માટે તે લોકોમાં બગલા ઉડાડનારના નામથી પ્રસિદ્ધ થયો. (૩) કોઈ પુરુષે પોતાની સ્ત્રી પાસે નાહવા માટે પાણી માગ્યું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે-“ઘોતિયું લઈને તળાવે સ્નાન કરી આવો.” તેણે હમેશાં તેમ કરવા માંડ્યું. એટલે તે લોકમાં તીર્થસ્માતા નામથી પ્રસિદ્ધ થયો. (૪) એક સ્ત્રીલબ્ધ પુરુષ હમેશાં પ્રાત:કાળે ઊઠીને “હે પ્રિયા! શું કામ કરું? એમ પૂછતો; પછી સ્ત્રી તેને કામ બતાવતી. તે સ્ત્રીના કહેવા પ્રમાણે દળવા ખાંડવાનું કામ કરવા લાગ્યો. એટલે લોકો તેને કિંકર કહીને બોલાવવા લાગ્યા. આ ઉપર એક બીજું દ્રષ્ટાંત છે કે–બ્રહ્મદત્ત ચક્રીએ તેના પર પ્રસન્ન થયેલા કોઈ દેવતા પાસે સર્વ જાતિના તિર્યંચોની બોલી સમજી શકાય એવી વિદ્યા માગી; ત્યારે દેવતાએ કહ્યું કે– “હું તે વિદ્યા તમને આપું, પણ તે વાત તમે જો કોઈને કહેશો તો તમારું મૃત્યુ થશે.” એમ કહીને તેણે વિદ્યા આપી. પછી એક દિવસ રાજા અંતઃપુરમાં આવ્યો, ત્યારે તેને અંગ વિલેપન કરવા માટે રાણી ચંદનનું કચોલું લાવી. તે જોઈને ભીંત ઉપર રહેલી એક ઘરોળીએ પોતાના પતિને પોતાની ભાષામાં કહ્યું કે-“આમાંથી ચંદન મને લાવી આપો.” ત્યારે તેણે કહ્યું કે-“રાજા પાસે હું ચંદન લેવા જાઉં, તો રાજા મને મારી નાંખે.” તે બોલી કે–“જો ચંદન નહીં લાવી આપો, તો હું મરી જઈશ.” આ વાત સાંભળવાથી ચક્રીને હસવું આવ્યું. તે જોઈને રાણીએ પૂછ્યું કે–“કાંઈ પણ કારણ વિના તમે કેમ હસ્યા? માટે તેનું કારણ કહો, નહીં તો હું મરી જઈશ.” રાજાએ કહ્યું કે-“ચિતા પાસે ચાલ. કેમકે હસવાનું કારણ હું કહીશ, તો તરત મારું મૃત્યુ થશે.” એમ કહેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy