SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૬] ક્રોથપિંડ તથા માનપિંડ ૧૪૩ બીજું માણસ મરી ગયું, અને તેવી જ રીતે તેના જ્ઞાતિભોજનને દિવસે તે સાધુ માસક્ષપણને પારણે ત્યાં ગયા. તે દિવસે પણ ચિરકાળ ઊભા રહ્યા છતાં ભિક્ષા ન મળવાથી સાધુએ ફરીને કોપથી કહ્યું કે‘ફરીથી આવા જ કાર્યમાં હું આવીશ.' એમ કહીને તે ચાલતા થયા. વિધિના વશથી તેના ઘરમાં ત્રીજું માણસ મરી ગયું. તેના જ્ઞાતિભોજનને દિવસે વળી તે જ રીતે તે સાધુ આવ્યા. તે વખતે પણ ભિક્ષા નહીં મળવાથી સાધુ કોપથી બોલ્યા કે–‘આ કાર્યમાં આપતા નથી, તો ફરીથી પાછો આવા જ કાર્યમાં આવીશ.’’ એમ કહીને જતાં રસ્તામાં દ્વારપાળે તે સાધુને જોઈને ઘરઘણીને કહ્યું કે“આ સાધુ વારંવાર ભિક્ષા ન મળવાથી ક્રોધ કરીને જાય છે; માટે તેનું સન્માન કરીને ભિક્ષા આપો.'' ઘરઘણીએ વિચાર્યું કે‘આમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ, નહીં તો મહિને મહિને આમ મરણપ્રસંગ ક્યાંથી આવે? કેમકે આવા આવા ખર્ચ કરીને હું તો થાકી ગયો; માટે આ સાધુને સંતોષ પમાડું.' એમ ધારીને તરત ઊભો થઈ તે સાધુ પાસે જઈ તેમને નમસ્કાર કરીને બોલ્યો કે—“હે સ્વામી! મારો અપરાધ ક્ષમા કરો અને આ ઘેબર વહોરીને મારા પર અનુગ્રહ કરો, તેમજ જીવિતદાન આપો.' એ રીતે તેમને બહુ પ્રકારે ખમાવીને યથેચ્છપણે ઘેબર વહોરાવ્યા. આવી રીતે લીઘેલો આહાર ક્રોધપિંડ કહેવાય છે. તે વૃત્તાંત ગુરુએ આલોયણ આપતી વેળાએ જાણ્યો; તેથી તેને યોગ્ય આલોયણ આપીને શુદ્ધ કર્યો. હવે માનપિંડ વિષે કહે છે लब्धिपूर्णस्त्वमेवासी-त्युत्साहितोऽन्यसाधुभिः । गृहिभ्यो गर्वितो गृह्णन्, मानपिंडः स उच्यते ॥१॥ ભાવાર્થ—‘તમે જ સર્વ લબ્ધિથી પૂર્ણ છો.' એમ કહીને બીજા સાધુઓએ ઉત્સાહ પમાડેલો કોઈ સાધુ ગર્વ પામીને ગૃહસ્થો પાસેથી જે પિંડ લઈ આવે તે માનપિંડ કહેવાય છે. માનપિંડ ઉપર મુનિનું દૃષ્ટાંત કોશલ દેશમાં ગિરિપુષ્પ નામના નગરમાં સેવ સંબંધી કોઈક ઓચ્છવ હતો. તેથી તે દિવસે દરેક ઘરે સેવો કરી હતી. તે દિવસે યુવાન સાધુઓમાં પરસ્પર વાતો ચાલતાં એક સાધુએ કહ્યું કે—“આજે તો ગોચરીમાં ઘણી સેવો મળશે, પણ જે કાલે લાવે તે ખરો લબ્ધિમાન ગણાય.’ તે સાંભળીને બીજા સાધુ બોલ્યા કે–‘અહો! ઘી, ગોળ વિનાની થોડી સેવ લાવે તો તેથી શું?’’ તેવામાં એક ગર્વના પર્વત સમાન સાધુ બોલ્યા કે—‘કાલે હું ઘણી સેવ લાવીશ.’’ એમ પ્રતિજ્ઞા કરીને બીજે દિવસે તે સાધુ ગોચરીએ ગયા. ત્યાં એક ગૃહસ્થને ઘેર સેવ દેખીને તેની સ્ત્રી પાસે તેમણે વિવિધ ઉક્તિથી સેવની યાચના કરી, તો પણ તેણે સેવ આપી નહીં. ત્યારે સાધુએ ગર્વથી કહ્યું કે—“ગમે તેમ કરીને પણ હું આ સેવ લઈશ.'' તે સ્ત્રી બોલી કે—‘જો કદાચ તને સેવ આપું તો મને નફટ કહેજે.’’ પછી તે સાધુ બહાર નીકળ્યા અને “તે સ્ત્રીનો પતિ બધું મંડળ ભરાઈને બેઠું છે ત્યાં ગયો છે,’’ એવા કોઈ તરફથી ખબર મળવાથી તે ત્યાં ગયા અને પૂછ્યું કે−‘અહીં દેવદત્ત શેઠ છે?’’ ત્યારે કોઈએ જવાબ આપ્યો કે‘તે શેઠનું શું કામ છે?’’ સાધુએ કહ્યું કે–“તેની પાસે કાંઈક માગવું છે” ત્યારે તેઓ બોલ્યા કે—“અહો! શું કોઈના શૂન્ય ઘરમાં કુમારિકા જોઈ છે?’’ આ પ્રમાણે મશ્કરીનાં વચન સાંભળીને તે શેઠ પોતે બોલ્યો કે–‘હું જ દેવદત્ત છું, તમારે શું કામ છે?'' For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy