SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ પ્રથમ તે દાનશાળામાં ગયો, એટલે પેલી દાઢો પર તેની દ્રષ્ટિ પડતાં જ તે ખીરરૂપ થઈ ગઈ, તેથી તે ખાવા લાગ્યો. તે પ્રમાણે જોઈને રામે રાખેલા રક્ષકો તેને મારવા દોડ્યા. તેમને મેઘનાદે હરાવ્યા. તે વૃત્તાંત જાણીને પરશુરામ પોતે હાથમાં પરશુ લઈને તેને મારવા આવ્યો. સુભૂમે તેના પર થાળને ભમાવીને મૂક્યો, કે તે જ થાળ હજાર દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું. તેનાથી રામ મૃત્યુ પામ્યો. તે વખતે દેવતાઓએ સુભમ ઉપર પુષ્યની વૃષ્ટિ કરી. પૂર્વના વૈરને લીધે સુભૂમે એકવીશ વખત બ્રાહ્મણ વિનાની પૃથ્વી કરી. અનુક્રમે તે છ ખંડનું ચક્રવર્તીપણું પામ્યો; તો પણ લોભને લીધે તેને ઘાતકી ખંડમાં આવેલા ભરતક્ષેત્રના છ ખંડ સાધવાની ઇચ્છા થઈ. તે વખતે દેવ, દાનવ અને વિદ્યાઘરોએ તેને કહ્યું કે-“હે રાજા! પૂર્વે ભરત ચક્રવર્તી વગેરેએ માત્ર આ ભરતક્ષેત્રના છ ખંડને જ પોતાની આજ્ઞામાં રાખ્યા હતા. અનંત કાળમાં અનંતા ચક્રીઓ થઈ ગયા, અનંતા થવાના છે, તે સર્વની એવી જ સ્થિતિ અને નીતિ છે. કોઈ ઘાતકીખંડના ભરતક્ષેત્રને સાઘવા જતું નથી.” ઇત્યાદિ દેવાદિકના ઉપદેશની અવગણના કરીને સુભૂમ ચક્રી પોતાના સૈન્ય સહિત લવણસમુદ્રને કાંઠે આવ્યો, અને પોતાના ચર્મરત્નને હાથનો સ્પર્શ કરીને વિસ્તાર્યું. તેની ઉપર સર્વ સૈન્યને બેસાડીને લવણસમુદ્રને પેલે પાર જવા માટે ચાલ્યો. તે વખતે સર્વ દેવોએ પૃથક્ પૃથક પોતપોતાના મનમાં વિચાર કર્યો કે–“આ રાજાના ઘણા દેવો સેવક છે, તેથી મારી એકલાની શક્તિ શું કામની છે? હું જઈશ તો કાંઈ અટકી પડશે નહીં. માટે લાવ, હું દેવાંગનાને મળી આવું.” એમ વિચારીને એક વખતે સર્વ દેવોએ તેને છોડી દીઘો; એટલે તે સર્વ સેના સહિત બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રમાં ડૂબી ગયો અને મરીને સાતમી નરકે ગયો. અતિ લોભરૂપી પિશાચે જેનું ચિત્ત ગ્રસ્ત કર્યું છે એવા કયા પુરુષો વિપત્તિ નથી પામતા? કેમ કે ચક્રવર્તીનું પદ પામ્યા છતાં પણ સુભૂમ રાજા લોભથી જ સાતમી નરકે ગયો.” વ્યાખ્યાન ૨૪૬ ક્રોધપિંડ તથા માનપિંડ उच्चाटनादि सामर्थ्य-शापमंत्रतपोबलम् । प्रदर्श्य क्रोधतो लाति, क्रोधपिंडः स उच्यते ॥४॥ ભાવાર્થ-“ઉચ્ચાટન, કામણ, મારણ, વશીકરણ વગેરેના સામર્થ્યથી શાપ, મંત્ર તથા તપનું બળ દેખાડીને ક્રોઘથી જે આહારાદિકનું ગ્રહણ કરે છે તે ક્રોઘપિંડ કહેવાય છે.” ક્રોપિંડ ઉપર મુનિનું દ્રષ્ટાંત હસ્તિકલ્પ નામના નગરમાં કોઈ સાધુ માસક્ષપણને પારણે એક બ્રાહ્મણને ઘેર વહોરવા ગયા. ત્યાં કોઈના મરણપ્રસંગની જ્ઞાતિ જમતી હતી. જમવા બેઠેલા બ્રાહ્મણોને ઘેબર વગેરે પીરસાતા હતા. ત્યાં તે સાધુ ઘણી વાર સુધી ઊભા રહ્યા, પણ કોઈએ ભિક્ષા તો આપી નહીં પણ ઊલટા બ્રાહ્મણો “અહીંથી નીકળ, અહીંથી નીકળ” એમ કહીને તે સાઘુની અવગણના કરવા લાગ્યા. ત્યારે સાઘુએ ક્રોઘથી કહ્યું કે–“આ પ્રસંગે તમે મને અન્ન આપતા નથી, તો ફરીને આવા જ પ્રસંગે હું આવીશ.” એમ કહીને સાધુ અન્ય સ્થાને ગયા. દૈવયોગે થોડા જ દિવસમાં તે બ્રાહ્મણના ઘરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy