SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૫] લોભનું સ્વરૂપ ૧૪૧ તેની પ્રાર્થનાથી જમદગ્નિએ બ્રાહ્મણ તથા ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થાય તેવા બે ચરુ મંત્રીને તૈયાર કર્યા. તેમાંથી રેણુકાએ બ્રાહ્મણ ચરુ નહીં ખાતાં ક્ષત્રિય ચરુ ખાઘો અને બ્રહ્મચરુ પોતાની બહેન કે જે હસ્તિનાપુરના રાજા અનંતવીર્યની પટ્ટરાણી હતી તેને મોકલ્યો. તે તેણે ખાધો. સમય આવતાં રેણુકાને રામ નામનો અને તેની બહેનને કતવીર્ય નામનો પુત્ર થયો. અન્યદા તે આશ્રમમાં એક વિદ્યાઘર આવ્યો, તેને અતિસારનો વ્યાધિ થયો હતો. રામે તેની સેવા કરીને તેને સાજો કર્યો; તેથી વિદ્યાઘરે તેને પરશુ વિદ્યા આપી. રામ તે વિદ્યા સાથીને પરશુરામ નામે પ્રસિદ્ધ થયો અને દેવાધિષ્ઠિત પરશુ લઈને ચોતરફ ફરવા લાગ્યો. એકદા રેણુકા પોતાની બહેનને મળવા માટે હસ્તિનાપુર ગઈ. ત્યાં પોતાના બનેવીની સાથે તેણે ભોગ ભોગવ્યો. તેનાથી તેને એક પુત્ર થયો. રામે પોતાની માતાને દુરાચારિણી જાણીને પુત્ર સહિત મારી નાંખી; તેથી ક્રોઘ પામેલા અનંતવીર્યે તેનો આશ્રમ ભાંગી નાંખ્યો. તે જાણીને રામે તેને પરશુ વડે મારી નાંખ્યો. પછી તેના રાજ્ય ઉપર પ્રધાનોએ તેના પુત્ર કૃતવીર્યને બેસાડ્યો. તે કૃતવીર્ય રાજાએ પિતાનું વૈર લેવા માટે જમદગ્નિને માર્યો. તેથી ક્રોધાયમાન થયેલા રામે કૃતવીર્યને મારીને તેનું રાજ્ય લઈ લીધું. તે વખતે કૃતવીર્યની એક સગર્ભા સ્ત્રી નાસીને તાપસીના આશ્રમમાં ગઈ. તેને રાજાની રાણી જાણીને તાપસોએ ભોંયરામાં ગુપ્ત રીતે રાખી. રામને ક્ષત્રિય જાતિ પર ક્રોઘ થવાથી તેણે સાત વાર ક્ષત્રિયરહિત પૃથ્વી કરી, અને મારેલા રાજાઓની દાઢ કઢાવી તેનો થાળ ભરીને સભામાં પોતાની પાસે રાખ્યો. એકદા કોઈ એક નિમિત્તિઓ આવ્યો. તેણે પરશુરામના પૂછવાથી કહ્યું કે-“જે માણસની દ્રષ્ટિથી આ દાઢો ખીરરૂપ થઈ જશે, અને જે માણસ તે ખીર ખાઈ જશે, તેના હાથથી તમારું મૃત્યુ થશે.” તે સાંભળીને રામે શત્રુની ખબર પડવા માટે એક દાનશાળા કરાવી. તેમાં એક સિંહાસન રાખી તેના પર તે થાળ મૂક્યો. પછી તે ક્ષત્રિયોનો વઘ કરવા માટે ચોતરફ ભમવા લાગ્યો. જ્યાં જ્યાં કોઈ પણ ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તેની પરશુ (કુઠાર) માંથી અગ્નિની જ્વાળા નીકળતી, એટલે તેને તે મારી નાખતો. ફરતો ફરતો એક દિવસ તે પેલા તાપસોના આશ્રમમાં ગયો. ત્યાં કૃતવીર્યની રાણીને ભોંયરામાં પુત્ર પ્રસવ્યો હતો, તેનું નામ સુભૂમ રાખેલું હતું. તે ક્ષત્રિય પુત્ર હોવાથી રામના પરશુમાંથી ત્યાં વાળા નીકળી, એટલે રામે તાપસીને કહ્યું કે-“આ આશ્રમમાં કોઈ પણ ક્ષત્રિય હોવો જોઈએ.” તાપસી બોલ્યા કે–“અમે સર્વે તાપસો મૂળ ક્ષત્રિયો જ છીએ.” એ પ્રમાણે સાંભળીને સંદેહરહિત થયેલો પરશુરામ પોતાને સ્થાને જઈ રાજ્ય કરવા લાગ્યો. એકદા વૈતાઢ્ય પર્વતના સ્વામી મેઘનાદ નામના વિદ્યાઘરે નિમિત્તિયાને પૂછ્યું કે–“મારી કન્યાનો પતિ કોણ થશે?” નિમિત્તિયાએ કહ્યું-“સુભૂમ નામે ચક્રવર્તી તમારી પુત્રીનો પતિ થશે.” તે સાંભળીને મેઘનાદે પોતાની પુત્રી ભોંયરામાં જ રહેલા સુભૂમને પરણાવી. એક દિવસે સુભૂમે પોતાની માતાને પૂછ્યું કે–“હે માતા! શું પૃથ્વી આટલી જ છે?” ત્યારે માતાએ કહ્યું કે-“પુત્ર! પૃથ્વી તો ઘણી છે, પણ તારા પિતાને પરશુરામે મારી નાંખ્યા, અને હમણાં હસ્તિનાપુરનું રાજ્ય તે કરે છે; તેના ભયથી આપણે આ ભોંયરામાં આવીને રહ્યા છીએ.” આ પ્રમાણે સાંભળીને સુભૂમને બહુ ક્રોઘ ચડ્યો; તેથી તત્કાળ બહાર નીકળી મેઘનાદને સાથે લઈને તે હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy