SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૫] લોભનું સ્વરૂપ ૧૩૯ ભાવાર્થ-“અત્યંત પાપકર્મને ઉત્પન્ન કરનાર પાપનો બાપ જો લોભ હોય તો બીજા પાપથી શું? જો સત્ય હોય તો તપની શી જરૂર છે? જો મન પવિત્ર હોય તો તીર્થ કરવાથી શું વિશેષ છે? જો સુજનતા હોય તો આ માણસનું શું કામ છે? જો મહિમા હોય તો અલંકાર પહેરવાથી શું વિશેષ છે? જો સારી વિદ્યા હોય તો ઘનની શી જરૂર છે? અને જો અપયશ હોય તો પછી મૃત્યુએ કરીને શું વધારે છે? અર્થાત્ અપયશ એ જ મૃત્યુ છે.” (એમ સર્વત્ર જાણવું.) | ઇત્યાદિ વિચાર કરીને તે બ્રાહ્મણ પોતાને ઘેર આવી પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે-“હે પ્રિયા! જૈન સાઘુએ મને સારો બોઘ પમાડ્યો. જૈનધર્મ સર્વ ઘર્મમાં ઉત્તમ અને લોકોત્તર છે. માત્ર એક લોભને નહીં જીતવાથી સર્વ ઘર્મકૃત્યો વ્યર્થ છે. લોભી માણસ સર્વ પ્રકારનાં પાપકર્મો કરે છે.” પછી તે બ્રાહ્મણ ફરીને ગુરુ પાસે ગયો, અને ગુરુને કહ્યું કે–“હે સ્વામી! આપની કૃપાથી મને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્ન પ્રાપ્ત થયાં.” ઇત્યાદિ ગુરુની પ્રશંસા કરીને તેનો અત્યંત ઉપકાર માન્યો. આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે–લોભનો નાશ કરવા જેવો બીજો કોઈ ઘર્મ નથી અને લોભને વશ થવા જેવું બીજું કોઈ પાપ નથી.” જુઓ! સ્ત્રીએ મોકલેલા બ્રાહ્મણને નિઃસ્પૃહ ગુરુએ યુક્તિથી પ્રતિબોધ પમાડ્યો. વ્યાખ્યાન ૨૪૫ લોભનું સ્વરૂપ आरभ्यते पूरयितुं, लोभगर्तो यथा यथा । तथा तथा महच्चित्रं, मुहुरेष विवर्द्धते ॥१॥ ભાવાર્થ-“લોભરૂપી ગર્ત (ખાડો) જેમ જેમ પૂર્ણ કરવા આરંભ કરીએ છીએ, તેમ તેમ તે ખાડો વારંવાર વૃદ્ધિ પામે છે તે એક મોટું આશ્ચર્ય છે.” અનંતી વખત ભોજન કર્યા, વસ્ત્રો પહેર્યો, વિષયો સેવ્યા અને ભવોભવમાં દ્રવ્યનો પણ સંચય કર્યો છતાં લોભરૂપી ગર્તનો એક ખૂણો પણ પૂર્ણ થયો નહીં. આ વિષયમાં સુભૂમ ચક્રીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે સુભૂમ ચક્રીનું દ્રષ્ટાંત એકદા સ્વર્ગમાં વિશ્વાનર અને ઘવંતરી નામના બે દેવો પરસ્પર મિત્ર હોવાથી પોતપોતાના ઘર્મની પ્રશંસા કરવા લાગ્યા. તેમાં એક જૈનઘર્મી હતો અને બીજો શૈવઘર્મી હતો. પછી તેઓ ઘર્મની પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવ્યા. તે વખતે મિથિલા નગરીનો પધરથ નામનો રાજા વાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લઈને માર્ગે ચાલ્યો જતો હતો. તેને જોઈને તેની પરીક્ષા કરવા માટે તે દેવોએ અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ અન્ન વિદુર્થીને આપવા માંડ્યાં. પરંતુ તે દેવપિંડ છે એમ જાણવાથી સુઘાથી પીડિત છતાં પણ તે મુનિએ તે ગ્રહણ કર્યા નહીં અને પોતાના નિયમથી ચલાયમાન થયા નહીં. આગળ જતાં બે માર્ગ આવ્યા, તેમાં એક રસ્તા ઉપર તીક્ષ્ણ કાંટા વિફર્યા અને બીજા માર્ગ ઉપર સૂક્ષ્મ દેડકાં ઉત્પન્ન કર્યા. ત્રીજો માર્ગ ન હોવાથી તે રાજર્ષિ ઈર્યાસમિતિ પાળવા માટે કાંટાવાળા માર્ગે ચાલ્યા. કાંટા લાગવાથી પગમાંથી રુધિરની ઘારા વહેવા માંડી, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy