SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૪] લોભનું માઠું ફળ ૧૩૭ ગયું અને વહુઓ ઊતરીને ફરવા ગઈ. એટલે શ્રેષ્ઠી પણ બહાર નીકળ્યો. ત્યાં સર્વ પૃથ્વી સુવર્ણમય દીઠી. એટલે લોભથી તેણે લાકડામાં માય તેટલું સુવર્ણ ભરી દીધું, અને પોતે ખોળામાં રખાય તેટલું સુવર્ણ રાખીને તેના પોલાણમાં અંગનો સંકોચ કરીને પેઠો. સમય થતાં ચારે વહુઓ આવી અને હંમેશની રીતે બે વહુઓ ઉપર બેઠી અને બે વહુઓએ લાકડું ઉપાડ્યું. પરંતુ ઉપાડનારી વહુઓને તેનો ભાર બહુ લાગ્યો. તો પણ જેમ તેમ કરીને તે સમુદ્રના મધ્ય ભાગ ઉપર આવી એટલે તે વહુઓ થાકી ગઈ. તેથી તેમણે કહ્યું કે-“આ લાકડામાં તો બહુ ભાર લાગે છે, માટે આને સમુદ્રમાં મૂકી દઈને પેલું પાણી ઉપર તરતું લાકડું લઈએ.” તે સાંભળીને પોલાણમાં રહેલો શ્રેષ્ઠી બોલ્યો કે–“હે વહુઓ! હું અંદર બેઠો છું, માટે આ લાકડું મૂકી દેશો નહીં.” તે સાંભળીને વહુઓ બોલી કે–“તમે ચોવીશ કરોડ દ્રવ્યના સ્વામી છતાં તમારે શું ઓછું હતું કે અહીં આવ્યા?” એમ કહી “ઔષઘ વિના વ્યાધિ જાય છે' એમ ઘારીને તેમણે લાકડાસહિત સાગરશેઠને સમુદ્રમાં ફેંકી દીધો અને બીજા લાકડા પર બેસીને તેઓ પોતાને ઘેર આવી. સમુદ્રમાં પડેલો સાગર શ્રેષ્ઠી બન્ને પ્રકારે નીચે ગયો. અર્થાત્ આકાશમાંથી નીચે પડ્યો અને મરણ પામીને નરકે ગયો. કહ્યું છે કે लोभाभिभुतान् प्रभवंती जीवान्, दुःखान्यसंख्यानि पदे पदेऽपि । तृष्णा हि कृष्णाहिवधूरिवोग्रा, निहंति चैतन्यमशेषमाशु ॥१॥ ભાવાર્થ-“લોભથી પરાભવ પામેલા પ્રાણીઓને પગલે પગલે અસંખ્ય દુઃખો પ્રાપ્ત થાય છે, અને કાળી નાગણના જેવી ઉગ્ર તૃષ્ણા સર્વ પ્રકારના ચૈતન્યનો શીધ્રપણે નાશ કરે છે.” वामदेवेन मित्रेण, रूपदेवो वनांतरे । ઘોનિદ્રાવશમૂતો, તમેન મારિતઃ રાા. ભાવાર્થ-“વનમાં ઘોર નિદ્રાને વશ થયેલા રૂપદેવને તેના મિત્ર વામદેવે એક લાખ દ્રવ્યના લોભથી મારી નાખ્યો.” વળી લોભ એ સર્વ પાપનો બાપ છે. કહ્યું છે કે जनकः सर्व दोषाणां, गुणग्रसनराक्षसः । कंदो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः॥३॥ ભાવાર્થ-“લોભ સર્વ દોષોનો બાપ (ઉત્પન્ન કરનાર) છે, સર્વ ગુણોનો નાશ કરવામાં રાક્ષસ સમાન છે, દુઃખરૂપી લતાનો કંદ (મૂળ) છે, અને ઘર્માદિક ચારે પુરુષાર્થને બાદ કરનાર છે.” તે ઉપર શુભંકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– શુભંકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત પૃથ્વીપુર નામના નગરમાં શુભંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘર્મનું મર્મ જાણનારી જૈનમતિ ગુણવતી નામે ભાર્યા હતી. એકદા તે બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવા માટે પરદેશમાં ગયો. ત્યાં તેણે ચાર વેદ, અઢાર પુરાણ, વ્યાકરણ, અલંકાર, ન્યાય, સાહિત્ય, કોશ વગેરે સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી સ્થાને સ્થાને અનેક વિદ્વાનોને વાદમાં જીતીને જયવંત થયો તો તે પોતાને ઘેર આવ્યો. ત્યાં પણ પોતાના શાસ્ત્રજ્ઞાનનો આડંબર સર્વ લોકને અત્યંત દેખાડવા લાગ્યો. તે જોઈ તેની જૈનઘર્મી ભાર્યાએ વિચાર્યું કે-“આ મારો પતિ મિથ્યાત્વીઓનાં એકાંતવાદી શાસ્ત્રો ભણેલો છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy