SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ સારાં વસ્ત્રો પહેરે, કે સ્નાન દાન વગેરે કરે તો તેની સાથે તે હમેશાં કલહ કરવા લાગ્યો. ભિક્ષુકો તેને ઘેર જતા નહીં, એટલું જ નહીં પણ કાગડા વગેરે પક્ષીઓએ પણ તેનું દ્વાર તજી દીધું હતું. પોષણ કરવા લાયકનું પોષણ નહીં કરવાથી ગૃહસ્થાશ્રમી લોકાચારરહિત કહેવાય છે અને તેથી તેની શોભા તથા મહિમા નાશ પામે છે અને અપયશ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે– वृद्धौ मातापितरौ, साध्वी भार्या लघूनि शिशूनि । अप्युपायशतं कृत्वा, पोष्याणि मनुरब्रवीत् ॥१॥ ભાવાર્થ-‘‘વૃદ્ધ માતા-પિતા, સતી સ્ત્રી અને નાનાં બાળકો સેંકડો ઉપાય કરીને પણ પોષણ કરવા લાયક છે, એવું મનુએ કહેલું છે.” સાગર શ્રેષ્ઠીની આવી રીતભાતથી તેનું બધું કુટુંબ દુ:ખી હતું, પણ તેના પુત્રની સ્ત્રીઓ તો રાત્રે શેઠના સૂતા પછી સ્વચ્છંદપણે ખાતી હતી અને ક્રીડા કરતી હતી. એક વખત કોઈ યોગિની આકાશમાર્ગે જતી હતી, તેણે સસરાને ઘેર રહેતાં છતાં તેની પ્રીતિ નહીં હોવાથી મ્લાન મુખવાળી તેની વહુઓને ગોખમાં બેઠેલી જોઈ, તેથી કૌતુક વડે તે તેમની પાસે આવી એટલે તેઓએ તેને ગોત્રદેવીની જેમ નમસ્કાર કર્યો, તથા મોદક વગેરે આપીને ખૂબ સંતુષ્ટ કરી. એટલે તે યોગિની, માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી આકાશગામી વિદ્યા તેમને આપીને, પક્ષીની જેમ આકાશમાં ઊડી ગઈ. એકદા રાત્રિએ પતિ વગેરે સર્વ સૂઈ ગયા ત્યારે ચારે વહુઓ પેલા મંત્ર વડે એક લાકડું અધિવાસિત કરી તેના પર ચઢીને રત્નદ્વીપે ગઈ. ત્યાં સર્વત્ર ક્રીડા કરીને પાછલી રાત્રે પાછી આવી, અને તે લાકડું જ્યાં ત્યાં મૂકીને પોતપોતાને ઠેકાણે સૂઈ ગઈ. એ પ્રમાણે હંમેશાં રાત્રીએ કરવા લાગી. એક દિવસ પશુઓને બાંધવા છોડવાનું તથા દોહવાનું કામ કરનાર ચાકરે તે લાકડું હંમેશાં આડું અવળું થતું જોઈને તેનું કારણ જાણવાની ઇચ્છાથી રાત્રે ગુપ્ત રીતે જોયું એટલે વહુઓનું ચરિત્ર જાણી લીધું. પછી તેણે વિચાર્યું કે—“આ હંમેશાં ક્યાં જાય છે? તે કાલે જોઈશ.’’ પછી બીજે દિવસે રાત્રે તે પોતાનું સર્વ કાર્ય કરીને તે કાષ્ઠના પોલાણમાં સંતાઈ રહ્યો. સમય થતાં હંમેશની જેમ તે કાષ્ઠ ઊડીને સુવર્ણદ્વીપે ગયું. ચારે સ્ત્રી લાકડા પરથી ઊતરીને ચોતરફ ફરવા ગઈ, એટલે ચાકર પણ બહાર નીકળ્યો, ત્યાં તો સર્વ પૃથ્વી સુવર્ણમય જોઈને તે વિસ્મય પામ્યો. પછી તે વહુઓને આવવાનો વખત થયો. એટલે ત્યાર પહેલાં તે ચાકર થોડુંક સુવર્ણ લઈને પૂર્વની જેમ કાષ્ઠના પોલાણમાં ભરાઈ ગયો. થોડી વારે તે સ્ત્રીઓ પણ આવી અને મંત્રશક્તિથી તે કાષ્ઠસહિત ક્ષણવારમાં પોતાને ઠેકાણે આવીને સૂઈ ગઈ. આ પ્રમાણે કેટલોક કાળ ગયો. પેલો ચાકર સુવર્ણ લાવ્યો હતો, તેથી શેઠના ઘરનું કામકાજ કરવામાં અનાદર કરવા લાગ્યો અને શ્રેષ્ઠી તેને કાંઈ કહે તો સામું બોલવા લાગ્યો. તેથી ઘૂર્તમાં શિરોમણિ શ્રેષ્ઠીએ વિચાર્યું કે—‘દ્રવ્યમાન થયા વિના આમ બોલે નહીં, તેથી આણે મારા ઘરમાંથી કાંઈક ચોરી લીધું જણાય છે.’' એમ ઘારીને એક દિવસ તેને એકાંતમાં બોલાવીને શ્રેષ્ઠીએ યુક્તિપૂર્વક એવી રીતે પૂછ્યું કે તેણે પેટના અજીર્ણની જેમ સર્વ વૃત્તાંત કહી દીધું. શેઠે કહ્યું કે—“આજે મારે જવું છે, તું કોઈને વાત કરીશ નહીં.’’ એમ ચાકરને કહીને શેઠ રાત્રીને સમયે તે કાષ્ઠના પોલાણમાં ભરાઈ ગયા. પ્રથમની જેમ લાકડું સુવર્ણદ્વીપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy