SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ - *- - વ્યાખ્યાન ૨૪૪] લોભનું માઠું ફળ ૧૩૫ આદર્શ ભવનમાં ગયો. ત્યાં આંગળીમાંથી વીંટી પડી ગઈ. તે જોઈને જ ભારતની જેમ સર્વ અનિત્યાદિ ભાવનાઓ ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે ત્યાં જ પંચમુષ્ટિ લોન્ચ કરી દેવતાએ આપેલો મુનિવેશ ઘારણ કરીને નીકળ્યા, અને રાજા વગેરેને પ્રતિબોધ કરી નાટકના પાત્રરૂપ કરેલાં પાંચસો રાજપુત્રોને બોઘ પમાડી દીક્ષા આપી, તથા બીજા અનેક ભવ્ય પ્રાણીઓને પણ બોઘ પમાડ્યો. નાટકને માટે રત્નાદિક સર્વ વસ્તુ એકઠી કરી હતી તે સર્વ તેના સસરા નટે લઈ લીધી; તેથી તેનું જીવન પર્યતનું નિર્ધનપણું ટળી ગયું. - હવે અષાઢભૂતિ મુનિએ પાંચસો સાધુઓ સહિત અન્યત્ર વિહાર કર્યો. કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી તે પોતાના ગુરુને વાંદવા યોગ્ય થયા. તે સ્વરૂપ જાણીને તેના ગુરુ વગેરે વારંવાર મસ્તક ધુણાવીને તેની પ્રશંસા કરવા લાગ્યા કે-“અહો! દેવતાઓ પણ ચક્રીના જેવી સંપત્તિ વિદુર્વે છે, તથા બહારનાં સ્વરૂપો યથાસ્થિત દેખાડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ આ અષાઢમુનિએ તો બાહ્ય રૂપો એવી રીતે કર્યા કે જેથી આંતર સ્વરૂપ પણ ભેદ રહિત પ્રગટ કરી બતાવ્યું, તે જ મોટું આશ્ચર્ય છે.” “આ અષાઢ મુનિ માયાપિંડનું ભોજન કરવાથી ભ્રષ્ટચિત્ત થયા, તો પણ માત્ર એક મદ્યમાંસ ત્યાગ રૂપ નિયમની શુદ્ધિથી તેમણે પોતાના આત્માને તાર્યો અને બાઘકારી સ્થાને રહીને પણ ભરત ચક્રીનું નાટક કરીને તેમણે આત્માનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. વ્યાખ્યાન ૨૪૪ લોભનું માઠું ફળ पुमाननर्थं प्राप्नोति, लोभक्षोभितमानसः । यतो लोभपराभूतः, सागरः सागरेऽपतत् ॥१॥ ભાવાર્થ-“જેનું મન લોભથી ક્ષોભ પામેલું છે તે મનુષ્ય અનર્થને પામે છે. કેમકે લોભથી પરાભવ પામેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં પડ્યો.” अति लोभो न कर्त्तव्यो, लोभो नैव च नैव च । તિજ્ઞામાભિભૂતાત્મા, સાગર: સારં ગતઃારા ભાવાર્થ-“અતિ લોભ ન કરવો, લોભ ન જ કરવો, ન જ કરવો; અતિ લોભથી પરાભવ પામેલો સાગરશેઠ સમુદ્રમાં ગયો.” સાગર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત સમુદ્રને કાંઠે ધ્યાનસાગર નામે એક શહેર હતું. તેમાં ચોવીશ કરોડ સોનૈયાનો પતિ સાગર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે જમની જેમ ક્રૂર દૃષ્ટિવાળો હતો, જુગારીની જેમ સર્વને ઠગતો હતો, તેનું વચન કાગડાના જેવું કઠોર હતું, તેની ગતિ (રીતભાત) સર્પના જેવી કુટિલ હતી અને પામર માણસની જેમ તે સર્વદા કલહપ્રિય હતો. તેને ચાર પુત્રો હતા. તેમને એકેક સ્ત્રી પરણાવેલી હોવાથી ઘરમાં ચાર વહુઓ હતી. અન્યદા શ્રેષ્ઠીની સ્ત્રી મરણ પામી. ત્યારથી શ્રેષ્ઠી અતિ કૃપણ હોવાથી તથા અવિશ્વાસુ હોવાથી ઘેર જ રહેવા લાગ્યો, અને તેની નજરે ઘરમાં કોઈ પણ સારું ભોજન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy