SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ ગયા પછી તેની સ્ત્રીઓએ વિચાર્યું કે-“અહો!મદ્ય માંસ ખાઘા વિના આપણે ઘણા દિવસો નિર્ગમન કર્યા, માટે આજે તો હવે ઇચ્છાપૂર્વક ખાઈએ; આપણા પતિ તો નટની સાથે વાદ કરવા ગયા છે, તે છ માસે આવશે.” એમ વિચારીને તેમણે પુષ્કળ મદ્યપાન કર્યું, તેથી તેઓ ઉન્મત્ત થઈ ગઈ. અહીં રાજસભામાં પરદેશી નટે પ્રથમ પોતાની કળા દેખાડી, એટલે અષાઢ લીલા માત્રમાં અનેક કળાઓ દેખાડીને તત્કાળ તેને જીતી લીઘો; તેથી અહંકાર રહિત થયેલો તે નટ પૂતળાં વગેરે પોતાની સર્વ લક્ષ્મી મૂકીને લક્ષથી નાસી ગયો. અષાઢ નટ તરત જ પોતાને ઘેર આવ્યો. ત્યાં આવીને જોયું તો બન્ને સ્ત્રીઓને મદોન્મત્ત થઈને પડેલી, દુર્ગથી મુખવાળી અને માખીઓ જેના મોઢા ઉપર બણબણી રહી છે એવી તેમજ માખીઓથી આખે શરીરે વ્યાપ્ત થયેલી દીઠી. તેને જોઈને અષાઢે વિચાર્યું કે-“ધિક્કાર છે મને કે હું આવી માયાવી અને અનેક માખીઓએ જેના મુખનું ચુંબન કર્યું છે એવી સ્ત્રીઓ ઉપર અંઘની જેમ આસક્ત થઈને ઉભયભ્રષ્ટ થયો.” ઇત્યાદિ વિચાર કરતાં ગુરુનું વાક્ય યાદ આવવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એટલે તરત જ મેડી ઉપરથી નીચે ઊતરી સર્વની સમક્ષ તે બોલ્યો કે–“અનેક પાપનાં સ્થાનરૂપ સ્ત્રીઓનાં વિચિત્ર ચરિત્ર જોઈને મોહમાં લપટાઈ ગયેલા મેં હાથમાં રહેલા ચારિત્રરત્નનું રક્ષણ કર્યું નહીં તથા સીમંતિનીઓનો સીમંત (સેંથો) પ્રથમ નરકના સીમંત નામના પહેલા નરકવાસને આપનાર છે, એવું નિષ્કારણ જગદ્ વત્સલ જિનેશ્વરનું વચન મેં અજ્ઞાનીએ વ્યર્થ કર્યું, પરંતુ હવે “ચરિત્ર શબ્દના પહેલા અક્ષરને માત્રા સહિત કરું. પ્રથમ તેને (ચારિત્રને) માત્રા રહિત કર્યો હતો તે યોગ્ય કર્યું નહોતું.” આ પ્રમાણેનાં તેનાં વાક્યો સાંભળીને તે નટકન્યાઓ ભયભીત થઈ ગઈ, જેથી તેમનો મદ્યનો કેફ ઊતરી ગયો, એટલે તેઓ દીનમુખે આંખમાંથી અશ્રપાત કરતી પગે લાગીને બોલી કે–“હે સ્વામી! હે પ્રાણનાથ! આ દાસીઓનો એક અપરાધ ક્ષમા કરો. અમારું અબળાનું ઊગતું યૌવન કેમ વ્યર્થ કરો છો?” તે બોલ્યાં કે-“એવા સુખભોગ અનંતવાર ભોગવ્યા છતાં પણ ભોગની આશા પરમાત્માનો માર્ગ પામ્યા વિના વૃદ્ધ થતી નથી અર્થાત્ નાશ પામતી નથી.” ઇત્યાદિ ઘણે પ્રકારે તેમણે ઘર્મનો ઉપદેશ કર્યો, પણ તે સ્ત્રીઓ કાંઈ પણ ઘર્મ પામી નહીં, અને ઊલટો ઘનોપાર્જન કરવાનો ઉપાય માગ્યો. છેવટે કહ્યું કે–“હે પ્રાણનાથ! પુષ્કળ ઘન આપીને પછી જાઓ, નહીં તો જવા નહીં દઈએ.” ત્યારે અષાઢ સિંહરથ રાજા પાસે ગયો અને કહ્યું કે-“હે રાજા! તમને ભરત ચક્રવર્તીનું નાટક બતાવું.” રાજાએ તે વાત અંગીકાર કરી, તેથી તેણે સાત દિવસમાં ભરત ચક્રવર્તીનું નાટક નવું તૈયાર કર્યું. પછી નાટકના પ્રારંભમાં પાંચસો રાજપુત્રોને તૈયાર કરી તેઓને કહ્યું કે–“હું જે પ્રમાણે કરું તે જ પ્રમાણે તમારે પણ કરવું.” પછી પોતે ભરત થયો; અને ચક્રની ઉત્પત્તિ, છ ખંડનું સાઘવું, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા અને ચોરાશી લાખ રથનું નિર્માણ કરવું, છન્ને કરોડ સુભટો સહિત ત્રણ ખંડ જીત્યા પછી વિદ્યાધરની કન્યાને સ્ત્રીરત્ન તરીકે પરણવી, ઋષભકૂટ પર્વતે જઈ પોતાનું નામ લખવું, એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓને લઈને અયોધ્યામાં આવવું અને રાજ્યાભિષેકનું કરવું-ઇત્યાદિ યથાવિધિ ભજવીને અનુક્રમે તે ૧ આ લોક તથા પરલોકના સુખથી ભ્રષ્ટ, ૨ સ્ત્રીઓનો. ૩ માત્રા એટલે કાના સહિત કરવાથી ચારિત્ર થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy