SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ અષાઢભૂતિ મુનિનું દૃષ્ટાંત રાજગૃહી નામની નગરીમાં સિંહરથ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એકદા વિવિધ જ્ઞાનવાળા, તપસ્વી અને બુદ્ધિમાન ઘર્મરુચિ આચાર્ય પધાર્યા. ગોચરીને અવસરે તેમના શિષ્ય અષાઢભૂતિ ગુરુની આજ્ઞા લઈને એકલા ગોચરી માટે નગરમાં ગયા. મઘ્યાહ્ન સમય થતાં મહર્ષિક નામના નટને ઘેર પહોંચ્યા. ત્યાં તે નટની ભુવનસુંદરી અને જયસુંદરી નામની બે કન્યાઓએ સુગંધી દ્રવ્યવાળો એક મોદક વહોરાવ્યો. તે લઈને બહાર નીકળી તે મુનિએ વિચાર્યું કે—“આ એક લાડુ તો મારા ગુરુને આપવો જોઈશે.’' એમ ઘારીને તત્કાળ યુવાવસ્થાવાળું બીજું રૂપ ઘારણ કરી ફરી તે નટના ઘરમાં પ્રવેશ કરી ધર્મલાભ આપ્યો. એટલે તે કન્યાઓએ બીજો એક મોદક વહોરાવ્યો. તે લઈને બહાર પોળના દરવાજા સુધી જઈ તેમણે વિચાર્યું કે આ બીજો મોદક તો મારા ધર્માચાર્યને આપવો પડશે.'' એમ વિચારી કાણી આંખવાળું અતિવૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરી ત્યાં જઈને ત્રીજો મોદક લીધો. વળી બહાર આવીને આ તો ઉપાઘ્યાયને આપવો પડશે'' એમ ધારી કૂબડાનું રૂપ ધારણ કરીને ચોથો મોદક લીધો. તે પણ “સંઘાડાના સાધુને આપવો પડશે’’ એમ ધારીને કોઢીયાનું રૂપ ધારણ કરીને પાંચમો લાડુ લીધો. ‘આ પણ વડીલ ગુરુભાઈને આપવો પડશે.’’ એમ ઘારીને પોતાને માટે બાર વર્ષના બાળસાધુનું રૂપ ધારણ કરીને છઠ્ઠો લાડુ લીધો. આ પ્રમાણે પોતાનો મનોરથ સિદ્ધ કરી તે ગુરુ પાસે આવ્યા. ૧૩૨ [સ્તંભ ૧૭ આ સાથેનું સર્વ ચરિત્ર બારીમાં બેઠેલા નટે જોયું. તેથી તેણે વિચાર્યું કે—“અહો! આ ઘણો સારો નટ થઈ શકે તેમ છે.’’ પછી તેણે પોતાની સ્ત્રીને તથા બન્ને કન્યાઓને કહ્યું કે—આ સાધુને ખાવા પીવાનું સારી રીતે આપીને તેને લોભ પમાડજો, કેમકે તે આપણા માટે સુવર્ણપુરુષ છે. તે અનેક રીતે રૂપનું પરાવર્તન કરવાની લબ્ધિ જાણે છે. માટે તે આપણે ઘેર નિરંતર આવ્યા કરે તેવી રીતે તેની સેવા બજાવજો. તે રસનો લોભી છે, એટલે તરત ફસાઈ જશે. માયાવીને માયા જ બતાવવી.’’ પછી બીજે દિવસે પણ અષાઢભૂતિ સાધુ ત્યાં વહોરવા આવ્યા, એટલે તેમને ઘણા મોદક આપીને તેણે કહ્યું કે—“હે પૂજ્ય! આપ હમેશાં અહીં પધારજો. આપના પસાયથી અમારા ઘરમાં ઘણી સમૃદ્ધિ છે.’’ એ પ્રમાણે નટના કહેવાથી તે સાધુ હમેશાં ત્યાં આવવા લાગ્યા અને નિત્યપિંડ ગ્રહણ કરવા લાગ્યા. વહોરાવતી વેળાએ નટની કન્યાઓ હાવ ભાવ વિલાસ પૂર્વક હાસ્ય કરતી, ઉત્તમ વસ્ત્ર ધારણ કરતી, અને કોઈ કોઈ વખત કટાક્ષ પૂર્વક મર્મવચન બોલતી. તે સર્વ જોઈને વશીભૂત થયેલા સાધુ રાગદૃષ્ટિથી તેની આકૃતિ, કેશપાશ અને પગની પાની વગેરે વારંવાર જોતા હતા. એક દિવસ તે કન્યાઓએ તેમને કહ્યું કે—“હે સ્વામી! આપનું સ્વરૂપ તથા શ્રેષ્ઠ ચાતુર્ય જોઈને અમે આપના ઉપર આસક્ત થયેલી છીએ. હજુ સુધી અમે કુમારી છીએ, તેથી કૃપા કરીને અમારા અંગમાં વ્યાપ્ત થયેલી કામજ્વરની પીડાનો તમે નાશ કરો, અહીં ચિત્રશાળામાં જ રહીને આકડાના તૂલ જેવી કોમળ શય્યામાં અમારી સાથે વિષયસુખ ભોગવો અને ઉત્તમ મોદકોનો સ્વાદ ચાખો. જે માણસ પ્રત્યક્ષ મળેલાં સુખોને મૂકીને પરોક્ષ એવા પરલોકના સુખની વાંછા કરે છે તે મૂર્ખ છે.” મુનિએ કહ્યું કે–‘હું મારા ગુરુની તથા ધર્માચાર્યની રજા લઈને પછી આવીશ.’’ તે કન્યાઓ બોલી કે‘હવે અમે આપના વિરહની વ્યથા સહન કરવા શક્તિમાન નથી, માટે અમને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy