SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ ખૂંચી ગયા. ક્ષણવારે ચૈતન્ય પામી ચક્રી બહાર નીકળ્યા. પછી તેણે વિચાર્યું કે-“કોઈ રાજાથી ચક્રી જિતાય નહીં એવી શાશ્વતી સ્થિતિ છે છતાં હું તો આ બાહુબલી વડે પાંચે યુદ્ધમાં જિતાયો, તેથી મારામાં ચક્રીપણું નથી.” એમ વિચારતાં તેના હાથમાં ચક્રરત્ન આવ્યું. તે લઈને ચક્રીએ બાહુબલીને કહ્યું કે હે ભાઈ! હજુ સુધી તને કાંઈ નુકસાન થયું નથી, માટે મારી આજ્ઞા માન્ય કર, નહીં તો આ ચક્રથી તું યમરાજનો અતિથિ થઈશ.” બાહુબલીએ કહ્યું કે-“વૃથા વાણીનો આડંબર શું કામ કરો છો? હજુ બાકી હોય તો તે ચક્રનું બળ પણ દેખાડો.” ઇત્યાદિ વાક્યોથી નિભ્રંછના કરાયેલા ચક્રીએ કોપથી તેના પર ચક્ર મૂક્યું. તે ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું ચક્રીના હાથમાં આવ્યું. કેમકે “ગોત્રના કોઈ સામાન્ય માણસ ઉપર પણ ચક્રની શક્તિ ચાલતી નથી, તો આવા ચરમશરીરી ઉપર તો તેનું પરાક્રમ શાનું જ ચાલે?” પછી બાહુબલી મુષ્ટિ ઉપાડીને “આ હજાર યક્ષ સહિત ચક્રને અથવા તેના અધિપતિ ચક્રીને ચૂર્ણ કરી નાખું” એમ વિચારતા ચક્રી સન્મુખ દોડ્યા. વળી વિચાર થયો કે “અવશ્ય આ મુષ્ટિથી તેનો નાશ થશે. અને તેથી સમગ્ર વિશ્વના લોકો મને છ ખંડના નાથને હણનારો કહેશે, માટે અહંકાર વડે અનેક પાપ ઉપાર્જન કરનાર મને ધિક્કાર છે! અને પ્રથમથી જ પિતાશ્રી પાસે જઈને દીક્ષા ગ્રહણ કરનાર મારા લઘુ બંધુઓને ઘન્ય છે. હજુ સુધી પણ પાપકર્મમાં તત્પર થયેલા મને વારંવાર ધિક્કાર છે.” ઇત્યાદિ વિચારીને બાહુબલીએ તે જ ઊંચી કરેલી મુષ્ટિ વડે પોતાના મસ્તક પરથી કેશનો લોચ કર્યો. તે જ વખતે દેવોએ “સાધુ, સાધુ' એમ બોલીને તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. તેમને નિઃસ્પૃહી થયેલા જોઈને લwથી નમ્ર મુખવાળો ચક્રી પોતાની નિંદા અને તેમની પ્રશંસા કરતો બોલ્યો કે-“હે બંધુ! હું પાપીઓમાં મુખ્ય છું, અને તે કૃપાળુમાં મુખ્ય છે. પ્રથમ તેં મને અનેક પ્રકારે જીત્યો, હમણાં વ્રત રૂપી શસ્ત્ર વડે રાગાદિક શત્રુઓને પણ તે જીત્યા, માટે ત્રણ લોકમાં તારાથી અધિક બળવાન કોઈ નથી. હે બંધુ! મારો અપરાધ ક્ષમા કર.” ઇત્યાદિ સ્વનિંદા અને બાહુબલીની સ્તુતિ કરી. પછી બાહુબલી મુનિએ વિચાર્યું કે-“હું આમ છદ્મસ્થપણે પિતા પાસે જઈશ તો પ્રથમથી દીક્ષિત થયેલા મારા લઘુ બંધુઓને મારે વંદના કરવી પડશે, તેથી મારું લઘુપણું થશે, માટે કેવળજ્ઞાન પામ્યા પછી જ જઈશ.” એમ વિચારીને તે ત્યાં જ કાયોત્સર્ગ રહ્યા. પછી ચક્રી બાહુબલીના જ્યેષ્ઠ પુત્ર સોમયશાની સાથે બહલિ દેશમાં ગયા. ત્યાં તક્ષશિલા નગરીના ઉદ્યાનમાં હજાર આરાવાળું અને વિવિઘ પ્રકારના મણિ તથા રત્નથી જડિત ઘર્મચક્ર અને તે જ નામનો પ્રાસાદ જોયો. તેની અંદર રહેલા પ્રભુને નમસ્કાર કરીને ચક્રીએ સોમયશાને તે પ્રાસાદનું વૃત્તાંત પૂછ્યું. એટલે સોમયશાએ કહ્યું કે–“પૂર્વે ઋષભદેવ પિતા વિહાર કરતાં કરતાં સંધ્યા સમયે અહીં પધાર્યા હતા. તે સમાચાર જાણીને આપના લઘુ બંઘુ બાહુબલીએ વિચાર્યું કે “અત્યારે રાત્રિનો સમય થયો છે, માટે પ્રાતઃકાળે મોટા ઉત્સવપૂર્વક પિતાશ્રીને વાંદીશ.” એમ નિશ્ચય કરીને સર્વ સામગ્રી સજ્જ કરાવી, પ્રાતઃકાળ થતાં મોટી ધામધૂમથી ઉદ્યાનમાં આવ્યા. પરંતુ ત્યાં પ્રભુને જોયા નહીં, તેથી તે બહુ રુદન કરવા લાગ્યા. અને “ઘર્મકાર્યમાં વિલંબ કરનાર એવા મને ધિક્કાર છે! હવે મને ક્યારે પિતાના દર્શન થશે?' ઇત્યાદિ વિલાપ કરવા લાગ્યા. તેને પ્રઘાનોએ વિવિઘ પ્રકારે સમજાવી શાંત કર્યા. પછી વાળુકારતી)માં પ્રતિબિંબિત થયેલા ભગવાનના ૧ બહુ રૂડું કર્યું, બહુ રૂડું કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy