SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૨] માનનો ત્યાગ કર્તવ્ય ૧૨૯ સાક્ષી તરીકે ઊભા રહ્યા. તે વખતે ચક્રીના સૈનિકોએ વિચાર્યું કે–“આ બાહુબલીની સાથે હૃદ્ધ યુદ્ધ કરવામાં ઇંદ્ર પણ જીતે કે કેમ તે શંકાસ્પદ છે, તો અમારા સ્વામીનો શી રીતે જય થશે?” આવા વિચારો કરતા પોતાના સુભટોને જોઈને પોતાનું સામર્થ્ય બતાવવા માટે ચક્રીએ એક મોટો કૂવો ખોદાવ્યો, અને તે કૂવાને એક કાંઠે ઊભા રહીને ચક્રીએ પોતાના ડાબા હાથે લોઢાની મોટી સાંકળો બંઘાવી, પછી કૂવાને સામે કાંઠે સર્વ સૈનિકોને રાખીને તેમને કહ્યું કે-“તમે સર્વે મળી આ સાંકળ ખેંચીને મને કૂવામાં પાડો.” તે સર્વેએ તે પ્રમાણે તેને ખેંચ્યો પણ ચક્રી જરા પણ પોતાના સ્થાનથી ચલિત થયા નહીં. કેમકે, આખા ભરતખંડનાં નર, નારી, હાથી, ઘોડા વગેરે સર્વ પ્રાણીઓ ભેગા થઈને ખેંચે, તો પણ તેઓ એક તલમાત્ર પણ ચક્રીને ખસેડવા સમર્થ થાય નહીં, તો પછી સેના માત્રથી તો શું થઈ શકે? પછી ચક્રીએ હૃદય પર લેપ કરવાને મિષે પોતાનો હાથ જરાક ખેંચ્યો, એટલે સર્વ સૈન્ય લતા ઉપર રહેલા પક્ષીઓની જેમ સાંકળ સાથે લટકી ગયું. આ પ્રમાણે ચક્રીનું પરાક્રમ જોઈને તેઓ હર્ષ પામ્યા અને સાક્ષી થઈને દૂર ઊભા રહ્યા. હવે ચક્રી તથા બાહુબલી પ્રથમ દ્રષ્ટિયુદ્ધ કરવા માટે સામસામા ઊભા રહ્યા, અને અનિમેષ દ્રષ્ટિથી એક બીજાની સામું જોવા લાગ્યા. તે વખતે નેત્રો રક્ત થવાથી તેઓ ભયંકર દેખાવા લાગ્યા. છેવટે બાહુબલીનું ભયંકર નેત્રવાળું મુખ જોઈને ચક્રના નેત્રમાં આંસુ આવી ગયાં, તેથી તે તરત મીંચાઈ ગયાં. તે જોઈને ચક્રી તથા તેનું સૈન્ય નમ્ર મુખવાળું (લતિ) થયું. ચક્રીને લક્તિ જોઈને બાહુબલીએ કહ્યું કે-“હે ભાઈ! કેમ ઉદ્વેગ પામો છો? હવે વચનયુદ્ધ કરો.” તેથી ચક્રીએ અતિ ઘોર નાદ કર્યો, જેથી આખું સૈન્ય બધિર થઈ ગયું. ત્યાર પછી બાહુબલીએ પણ ક્રોઘથી સિંહનાદ કર્યો, તેનાથી સર્વ સૈન્ય મૂચ્છિત જેવું થઈ ગયું. ફરીથી ચક્રીએ અને બાહુબલીએ સિંહનાદ કર્યો. તે વખતે ચક્રીનો શબ્દ દિવસના પહેલા પહોરની છાયાની માફક અને દુર્જનની મૈત્રીની માફક અનુક્રમે ક્ષીણ થવા લાગ્યો અને બાહુબલીનો શબ્દ વૃદ્ધિ પામવા લાગ્યો. તેથી વિલખા થયેલા ચક્રી પ્રત્યે બાહુબલીએ કહ્યું કે-“હે ભાઈ! ખેદ પામશો નહીં. હું કાકતાલીય ન્યાયથી કદી વાયુદ્ધમાં તમને જીત્યો, તેથી શું થયું? માટે હવે મુષ્ટિયુદ્ધ કરવા તૈયાર થાઓ.” આ પ્રમાણેના બાહુબલીના વાક્યથી ઉત્સાહ પામેલા ચક્રી મુષ્ટિયુદ્ધ માટે તૈયાર થયા. બન્ને જણ હાથ વડે ઢંઘ ઉપર આસ્ફોટ કરતા કૂદી કૂદીને પરસ્પર આલિંગન કરીને બાહુ વડે એકબીજાને દબાવતા સતા ગર્જના કરવા લાગ્યા. પછી બાહુબલીએ ચક્રીને હાથ વડે પકડીને લીલામાત્રમાં દડાની જેમ ઊંચે આકાશમાં ઉછાળ્યા. તે એટલા ઊંચા ગયા કે આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. તેથી બન્ને સૈન્યમાં હાહાકાર થઈ ગયો. બાહુબલીને પણ વિચાર થયો કે–“મારા બંધુ અંતરિક્ષથી ભૂમિ પર પડીને વિશીર્ણ થઈ ન જાય ત્યાં સુધીમાં હું તેને અઘરથી જ ઝીલી લઉં.” એમ વિચારીને તેમણે શય્યાની જેમ બન્ને હાથ રાખ્યા, અને ઊંચી દ્રષ્ટિ રાખીને ઊભા રહ્યા. ઘણી વારે ચક્રી આકાશમાંથી નીચે આવ્યા, એટલે તેને બાહુબલીએ પોતાના હાથ ઉપર ઝીલી લીઘા. પછી ચક્રીએ ક્રોઘના આવેશથી બાહુબલીના મસ્તક પર મુષ્ટિનો પ્રહાર કર્યો, તેથી તેના મુકુટના સેંકડો કકડા થઈ ગયા અને આંખો મિંચાઈ ગઈ. થોડી વારે પાછા સજ્જ થઈને બાહુબલીએ પણ લોહના દંડથી ચક્રીનું કવચ (બખતર) ચૂર્ણ કરી નાખ્યું. ફરીથી ચક્રીએ દંડાઘાતથી બાહુબલીને જાનુ સુથી પૃથ્વીમાં મગ્ન કરી દીધા. ક્ષણવારમાં ભૂમિમાંથી નીકળીને તેણે લોહના દંડ વડે ચક્રીના મસ્તક પર પ્રહાર કર્યો, તેથી તે કંઠ સુધી ભૂમિમાં Jain Education CELLPLXC For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy