SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૧] ક્રોઘનું ફળ ૧૨૫ ગુરુને પોતાના મિત્રની હકીકત પૂછી, તેથી ગુરુએ કહ્યું કે-“હે રાજ! તારો મિત્ર અહીંથી ચાલીને ઘણે દૂર પહોંચ્યા પછી એક પર્વતની પાસે નદીને કાંઠે પડાવ કરીને રહ્યો હતો, અને તારા સેવકો જમવામાં રોકાયા હતા, તે વખતે ઓચિંતી ચોરની ઘાડ પડી, તેઓએ તારા સર્વ સેવકોનો પરાજય કર્યો, અને મિત્રાનંદ એકલો ત્યાંથી નાસી ગયો. તે કોઈક વટ વૃક્ષની નીચે સૂતો હતો, તેવામાં સર્વે તેને ડસ્યો. તે સમયે કોઈ તપસ્વી ત્યાં આવ્યા. તેણે તેનું વિષ ઉતાર્યું. ત્યાંથી મિત્રાનંદ તારી પાસે આવતો હતો, તેટલામાં માર્ગમાં ચોરલોકોએ તેને પકડ્યો, અને એક વાણિયાને ત્યાં વેચ્યો. તે વણિકે પારસકુળ તરફ જતાં રસ્તામાં અવંતિ નગરીની બહાર પડાવ કર્યો. રાત્રિએ સમય જોઈને તારો મિત્ર બંધન તોડીને નાઠો. ગામની ખાળને રસ્તે તે ગામમાં પેસવા જતો હતો, એટલામાં રાજાના સિપાઈઓએ તેને દીઠો, એટલે ચોર જાણી ચોરની જેમ પકડીને બાંધ્યો. પ્રાતઃકાળ થતાં રાજાના હુકમથી તેને પૂર્વોક્ત વટ વૃક્ષ ઉપર જ મારી નાખવા માટે બાંધવામાં આવ્યો. તે વખતે તારો મિત્ર વિચાર કરવા લાગ્યો કે–અહો! શબનું કહેલું વાક્ય સારું થયું. કહ્યું છે કે यत्र वा तत्र वा यातु, यद्वा तद्वा करोत्वसौ । तथाऽपि मुच्यते प्राणी, न पूर्वकृतकर्मणः॥१॥ ભાવાર્થ–પ્રાણી ગમે ત્યાં જાઓ અથવા ગમે તે ઉપાય કરો પરંતુ તે પૂર્વે કરેલાં કર્મોથી કોઈ પ્રકારે મુક્ત થતો નથી.” ત્યાં મિત્રાનંદ મરણ પામ્યો. પછી એક દિવસ ગોવાળિયાના બાળકો તે વડની પાસે રમતા હતા, તેની કોઈ ઊછળીને તેના મુખમાં પડી.” આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને રાજા અત્યંત રુદન કરવા લાગ્યો. રાણી પણ વિલાપ કરતાં બોલી કે यदाऽहं भवताऽऽनीता, तदाऽनेके विनिर्मिताः । उपायाः स्ववितत्तौ ते, क्व गता हा महामते ॥१॥ ભાવાર્થ-“હે દિયર! જ્યારે તમે મને અહીં લાવ્યા તે વખતે તમે ઘણા ઉપાયો કર્યા હતા, છતાં હે બુદ્ધિશાળી! આજે તમારી વિપત્તિમાં તે સર્વ ઉપાયો ક્યાં ગયા?” ગુરુએ રાજાને તથા રાણીને કહ્યું કે शोकोऽवश्यं परित्यज्य, राजन् धर्मोद्यमं कुरु । येनेदृशानां दुःखानां, भाजनं नोपजायते ॥१॥ ભાવાર્થ-“હે રાજનું! શોકનો ત્યાગ કરીને ઘર્મમાં ઉદ્યમ કરો, જેથી ફરીથી આવા દુઃખોનું સ્થાન થવાય નહીં, અર્થાત્ આવાં દુઃખો ફરીથી આવે નહીં.” રાજાએ ગુરુને ફરીથી પૂછ્યું કે-“હે સ્વામી! તે મારો મિત્ર મરીને ક્યાં ઉત્પન્ન થયો?” ગુરુએ કહ્યું કે-“હે રાજા! તે તારી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે, અને અનુક્રમે રાજા થશે.” ફરીને રાજાએ પોતાના, રાણીના અને મિત્રના પૂર્વભવ પૂગ્યા. ત્યારે ગુરુએ કહ્યું કે-“હે રાજા! તું આજથી ત્રીજે ભવે ક્ષેમંકર નામે કણબી હતો. સત્યશ્રી નામે તારે પત્ની હતી અને ચંદ્રસેન નામનો ચાકર હતો. તે ચાકર એકદા તારા ખેતરમાં કામ કરતો હતો, તે વખતે તેણે બીજાના ખેતરમાંથી કોઈક મુસાફરને ઘાન્યની શીંગો લેતા જોયો. તે જોઈને ચંદ્રસેન બોલ્યો કે-“આ મહાચોરને ઊંચો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy