SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ બાંધીને લટકાવો.' એવા વચનથી તેણે મહા આકરું કર્મ બાંધ્યું. સત્યશ્રીએ પણ કોઈ વખત પોતાના પુત્રની વહુને કહ્યું કે—‘ડાકણની જેમ ઉતાવળી ઉતાવળી શું ખાય છે? ઘીરે ધીરે કેમ ખાતી નથી કે જેથી ગળું તો રુંધાય નહીં?’ એમ કહેવાથી તેણે પણ કર્મ બાંધ્યું. એકદા ક્ષેમંકરે ચાકરને કહ્યું કે-‘આજે અમુક ગામ જવાનું છે, માટે જા.' ત્યારે ચાકર બોલ્યો કે—‘આજે મારા સ્વજનોને મળવા સારુ હું ઉત્સુક છું, તેથી નહીં જઈ શકું.' ક્ષેમંકરે કોપથી કહ્યું કે ‘ભલે તારા સ્વજનનો મેળાપ ન થાય,પણ જવું પડશે.’ એવામાં કોઈ બે મુનિ ગોચરી માટે પઘાર્યા. તેમને જોઈને ક્ષેમંકરે પોતાની સ્ત્રીને કહ્યું કે–‘આ મહર્ષિઓને મોટા હર્ષપૂર્વક પ્રાસુક અને એષણીય અન્ન વહોરાવ.’ તે વખતે પેલા ચાકરે મનમાં વિચાર કર્યો કે—‘આ દંપતીને ધન્ય છે કે જેઓ સંપૂર્ણ ભક્તિપૂર્વક મુનિને દાન આપે છે.' તેવામાં તે ત્રણેના ઉપર અકસ્માત્ વીજળી પડવાથી તે ત્રણે એકી વખતે મરણ પામ્યા. તેમાં ક્ષેમંકરનો જીવ તું અમરદત્ત થયો છે, સત્યશ્રીનો જીવ તારી પટ્ટરાણી થયો છે, તારો ચાકર ચંદ્રસેન તે મિત્રાનંદ થયો છે. તે ચાકરે જે મુસાફરને શીંગો લેતાં બાંધવાનું કહ્યું હતું, તે જ મરીને પેલા વટ વૃક્ષ ઉપર વ્યંતર થયો. તે મિત્રાનંદને જોઈને પોતાના પૂર્વજન્મનું વૈર યાદ આવવાથી શબદ્વારા બોલ્યો હતો.'' આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને રાજા તથા રાણીને જાતિસ્મરણજ્ઞાન થયું, ગુરુનું વચન સત્ય માનીને તેઓ ઘેર આવ્યા. પછી અનુક્રમે તેમને પુત્ર થયો. તે યુવાવસ્થા પામ્યો, ત્યારે તેને રાજ્ય સોંપીને તે દંપતીએ દીક્ષા ગ્રહણ કરી, અને ક્રમે કરીને તેઓ મોક્ષે ગયા. આ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે—થોડો પણ ક્રોધ મોટા દુઃખનું કારણ થાય છે. માટે મુમુક્ષુએ તેનો ત્યાગ કરવો. -~ વ્યાખ્યાન ૪૨ માનનો ત્યાગ કર્તવ્ય मानत्यागान्महौजस्वी, तत्त्वज्ञानी सुदक्षताम् । दधन् दधौ महज्ज्ञानं, बाहुबलिमुनीश्वरः ॥१॥ ભાવાર્થ-મોટા પરાક્રમી, તત્વજ્ઞાની અને અતિ દક્ષપણાને ઘારણ કરનાર બાહુબલી મુનીશ્વરે માનનો ત્યાગ કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.’’ શ્રી બાહુબલીનું દૃષ્ટાંત શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રી સાઠ હજાર વર્ષે છ ખંડ પૃથ્વી જીતીને અયોધ્યા નગરીમાં આવ્યા. ત્યાં બાર વર્ષ સુધી ચક્રીનો રાજ્યાભિષેક થતી વખતે કયા કયા રાજાઓ આવ્યા છે અને કયા નથી આવ્યા? એવું અવલોકન કરતાં ચક્રીએ પોતાના નાના ભાઈઓને નહીં આવેલા જાણીને તેઓને બોલાવવા માટે દરેકની પાસે પોતાના દૂત મોકલ્યા. દૂતો તેમની પાસે જઈને બોલ્યા કે—‘‘હે ભરતરાજાના ભાઈઓ! તમો સર્વે ભરત ચક્રી પાસે આવી તેની સેવા કરો.'' તેઓ બોલ્યા કે‘‘ભરત ઋષભદેવના પુત્ર છે, તેમ અમે પણ ઋષભદેવના પુત્રો છીએ. તો શું તે અમારા થકી અધિક છે કે અમારી પાસે સેવા માગે છે? હે દૂતો! તમે તમારે સ્થાને જાઓ. અમે પિતાને પૂછીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy