SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ ભાવાર્થ-“આંઘળો, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન (કથા), સ્ત્રી અને જળ એને જ્યાં લઈ જઈએ ત્યાં તેઓ જાય છે. અર્થાત્ આંધળાને જેટલી પૃથ્વી અને જે બાજુ ચલાવો તેટલું ચાલે છે, રાજાનું ચિત્ત જે બાજુ વાળો તે બાજુ વળે છે, કથાનો પ્રવાહ જે બાજુ વહેવરાવો તે બાજુ વહે છે, સ્ત્રીને જ્યાં લઈ જાઓ કે મોકલો ત્યાં જાય છે અને જળ જે બાજુ નીક કરી આપો તે તરફ વહે છે.” મિત્રાનંદે કહ્યું કે-“રાજાની સમક્ષ તારા ઉપર હું સર્ષવના દાણા નાંખું ત્યારે તારે ફૂત્કાર કરવા.” તે વાત રત્નમંજરીએ કબૂલ કરી. એટલે તેણે રાજા પાસે જઈને કહ્યું કે-“હે સ્વામી! આપે કહ્યું તે સત્ય છે. પણ એક સાંઢ તૈયાર કરો, આજ રાત્રે મંત્રના બળથી તેને સાંઢ ઉપર બેસાડીને હું લઈ જઈશ. પછી માર્ગમાં જ્યાં સૂર્યોદય થશે ત્યાં તે મારી રહેશે.” તે સાંભળીને ભય પામેલા રાજાએ એક વાયુના સરખી વેગવાળી સાંઢ મંગાવી તેને આપી. સંધ્યા સમયે તે રાજકુમારીના કેશ પકડી મિત્રાનંદે તેના ઉપર સર્ષવના દાણા છાંટ્યા, એટલે તે ફંફાડા મારવા લાગી. પછી તેને સાંઢ ઉપર બેસાડીને તે ચાલતો થયો. રાજા ગામના દરવાજા બંધ કરાવીને પોતાના મહેલમાં ગયો. મિત્રાનંદ પણ મિત્રની પત્ની હોવાથી માતા પ્રમાણે તેની ભક્તિ કરવા લાગ્યો. અહીં અમરદત્ત મિત્રને બે માસનો અવધિ પૂર્ણ થવાથી ચિતા કરીને તેમાં પ્રવેશ કરવાની તૈયારી કરતો હતો, તેવામાં કાકતાલીય ન્યાયની જેમ મિત્રાનંદ અને રત્નમંજરી આવીને તેને મળ્યા. તે જ વખતે તે જ ચિતાના અગ્નિની તથા નગરના લોકોની સાક્ષીએ તેની સાથે પાણિગ્રહણ કર્યું. નગરના લોકો તે સ્ત્રીના સ્વરૂપની, મિત્રાનંદના શૈર્યની અને અમરદત્તના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. હવે તે જ સમયે તે નગરનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો; તેથી બીજો રાજા મુકરર કરવા માટે પ્રઘાનોએ મળીને પંચદિવ્ય કર્યા. તેણે ફરતાં ફરતાં નગર બહાર આવીને અમરદત્તના ઉપર કળશ ઢોળ્યો, તેથી તેને મોટા ઉત્સવપૂર્વક રાજ્યનો સ્વામી કર્યો. પછી તેણે મિત્રને મંત્રીપદ આપ્યું, અને રત્નસારને નગરશેઠ બનાવ્યો. આ પ્રમાણે તે અખંડિત આજ્ઞાથી રાજ્ય ચલાવવા લાગ્યો. મિત્રાનંદ રાજ્યકાર્યમાં ગૂંથાયો હતો, તો પણ શબનું વચન કદી પણ વિસ્મરણ થતું નહોતું, તેથી તેણે અમરદત્ત રાજાને કહ્યું કે “આપણું નગર અહીંથી નજીક છે, તેથી મારું મન ઘણું દુઃખી રહ્યા કરે છે, માટે મને દૂર દેશ જવાની રજા આપો.” રાજાએ કહ્યું-“હે મિત્ર! જો એમ છે, તો આપણા નોકરોને સાથે લઈને તું વસંતપુરે જા, પરંતુ હમેશાં કુશળ સમાચાર મોકલ્યા કરજે.” પછી મિત્રાનંદે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું. તેના જવાથી તેના વિયોગે કરીને પીડા પામતો રાજા તેના કુશળ સમાચાર નિરંતર ઇચ્છતો હતો, પણ ઘણા દિવસો ગયા છતાં તેનું કાંઈ પણ વૃત્તાંત તેના જાણવામાં આવ્યું નહીં. તેથી ગભરાયેલા ચિત્તે તેણે રાણીને કહ્યું કે-“અરે! મિત્રાનંદની કાંઈ પણ વાર્તા સંભળાતી નથી.” રાણી બોલી કે–“હે પ્રાણનાથ! જ્ઞાની ગુરુ વિના સંશય નાશ પામે તેમ નથી.” અન્યદા વનપાળે આવીને રાજાને વિનંતિ કરી કે-“હે સ્વામી! આજે આપના ઉદ્યાનમાં જ્ઞાનભાનુ નામના ગુરુમહારાજ પઘાર્યા છે. તે સાંભળીને રાજાએ વનપાળને વધામણી આપી, અને રાણીને સાથે લઈને મોટા ઉત્સવપૂર્વક તે ગુરુ પાસે ગયો; ગુરુને વાંદીને યોગ્ય આસને બેઠો. ગુરુએ અનેક જનોએ પૂછેલા સંશયના ખુલાસા આપ્યા, તે સાંભળીને રાજાએ પ્રત્યક્ષ જ્ઞાનવાળા ૧ પુત્ર વિનાનો, વાંઝિયો. ૨ હાથી, ઘોડા, કળશ, છત્ર અને ચામર એ પાંચ દિવ્ય કરવામાં આવે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy