SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૧] ક્રોધનું ફળ ૧૨૩ હવે પ્રાતઃકાળે મિત્રાનંદે રાજા પાસે જઈને ફરિયાદ કરી કે—‘હે રાજા! અખંડિત આજ્ઞાવાળા આપ રાજ્ય કરતાં છતાં અમુક શ્રેષ્ઠી મારું માગણું ધન આપતો નથી. આપ તો લોકપાળ છો, તેથી તેવા દુષ્ટનો નિગ્રહ કરવો જોઈએ.’’ તે સાંભળીને રાજાએ પોતાના સિપાઈઓ મોકલી તે શ્રેષ્ઠીને બોલાવ્યો. શ્રેષ્ઠીએ બધો વ્યતિકર જાણ્યો, એટલે રાજસભામાં આવતાં જ પ્રથમ મિત્રાનંદને તેનું બાકી રહેલું દ્રવ્ય આપીને પ્રણામપૂર્વક રાજાને કહ્યું કે−‘‘પિતાની પાછળના લોકાચારમાં ગૂંથાવાથી તથા પિતાના વિરહના શોકથી ઘન આપવામાં વિલંબ થયો હતો.’’ રાજાએ તેની વાત સત્ય માનીને તેને રજા આપી. પછી રાજાએ મિત્રાનંદને પૂછ્યું કે—“તેં રાત્રે મૃતકનું રક્ષણ શી રીતે કર્યું?”’ તે બોલ્યો કે—“હે રાજા! તે રાત્રિએ ભૂત, વેતાલ, રાક્ષસ, શાકિની, વ્યંતર વગેરે અનેક પ્રકારના શસ્રો સહિત આવ્યા હતા; તેઓની સાથે મેં રાત્રીના ત્રણ પહોર સુધી ઘણું યુદ્ધ કર્યું. છેવટે તે સર્વ ગુરુએ આપેલા મંત્રના બળથી નાસી ગયા. પછી ચોથે પહોરે કોઈ એક અપ્સરા જેવી સ્ત્રી મારી પાસે આવી. તેણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં, વિવિધ પ્રકારનાં આભૂષણથી શોભિત હતી, કેશ છૂટા મૂકેલા હોવાથી ભયંકર લાગતી હતી. મુખમાંથી અગ્નિની જ્વાળા કાઢતી હતી અને હાથમાં કર્ગીકા રાખેલી હતી. તે સ્ત્રીએ મને કહ્યું કે—હૈ દુષ્ટ! આજે તને જ ખાઈ જઈશ.' મેં તેને જોઈને વિચાર્યું કે—‘લોકો કહેતા હતા તે મારી, ખરેખર આ જ છે.' તેથી હું તેની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો તે અને ચમત્કારથી તેનો હાથ મરડીને તેના હાથમાંથી સુવર્ણનું કંકણ કાઢી લીધું. છેવટે તે નાસવા લાગી એટલે મેં તેની જમણી જંઘામાં છરી વડે ત્રિશૂળનું ચિહ્ન કર્યું.” આ પ્રમાણે સાંભળવાથી રાજા આશ્ચર્ય પામીને બોલ્યા કે—“તેં મારીના હાથમાંથી ખેંચી લીધેલું કડું બતાવ.’’ મિત્રાનંદે તે કડું બતાવ્યું, એટલે રાજા પોતાનું નામાંકિત કડું જોઈને વિચાર કરવા લાગ્યો કે—‘“અહો! શું મારી કન્યા જ મરકી ઠરી? કેમકે આ ભૂષણ તેનું છે.’’ એમ વિચારીને તેની ખાતરી કરવા માટે શૌચનું મિષ કરીને રાજા મહેલમાં ગયો. જઈને જુએ છે તો કન્યા સૂતેલી હતી, તેના હાથમાં કંકણ નહોતું, અને જંઘા પર કરેલાં ચિહ્ન ઉપર લૂગડાનો પાટો બાંધેલો હતો. તે જોઈને રાજા જાણે વજ્રથી હણાયો હોય તેવો થયો, અને બોલ્યો કે—“અહો! આ પુત્રીએ મારા વંશમાં કલંક લગાડ્યું.'' પછી રાજાએ સભામાં જઈને ગુપ્ત રીતે મિત્રાનંદને કહ્યું કે—“હે ભદ્ર! મારી પુત્રી જ મરકી ઠરે છે, તેમાં કાંઈ સંદેહ નથી; તેથી તેનો નિગ્રહ કર.'’ તે બોલ્યો કે–“હે રાજા! આપના કુળમાં એવું હોય નહીં.'' રાજાએ કહ્યું કે—‘નહીં, હું સત્ય જ કહું છું. માટે તે સર્વ પ્રજાને મારી ન નાંખે, તેટલામાં તું કોઈ પણ ઉપાયથી તેનો નિગ્રહ કર.'' મિત્રાનંદે કહ્યું કે—‘પ્રથમ મને જોવા દો, કે તે મારાથી સાઘ્ય છે કે નહીં?’’ રાજાએ કહ્યું કે–‘સ્વેચ્છાથી જઈને જો.'' એટલે મિત્રાનંદ રાજકન્યા પાસે ગયો. તેણે તેને ઓળખ્યો અને તેને બેસવા માટે આસન આપ્યું. પછી મિત્રાનંદ બોલ્યો કે “હે સુભ્રૂ! મેં તને કલંક આપ્યું છે; માટે હવે તારે અહીં રહેવું યોગ્ય નથી. પરંતુ તું ચિંતા કરીશ નહીં, તને સારે સ્થાને લઈ જઈશ.’’ તે સાંભળીને તેના ગુણોથી આધીન થયેલી રાજકન્યા બોલી કે—‘આ મારા પ્રાણ પણ તમારે આઘીન છે.’’ કહ્યું છે કે अंधो नरपतेश्चित्तं व्याख्यानं महिला जलम् । तत्रैतानि हि गच्छंति, नीयंते यत्र शिक्षकैः ॥ १ ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy