SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ અગ્નિદાહ કર્યો. પછી મિત્રાનંદે શરત પ્રમાણે બાકીના રૂપિયા માગ્યા, પણ શ્રેષ્ઠીએ આપ્યા નહીં. ત્યારે તે બોલ્યો કે-“હવે તો તે દ્રવ્ય અહીંના રાજાની સમક્ષ લઉં તો જ હું વિરાગ્રણી ખરો.” પછી તે સુંદર વેષ ધારણ કરીને રાજાની માનિતી વેશ્યાને ઘેર ગયો. તે વેશ્યાએ તેનો સત્કાર કર્યો. મિત્રાનંદે રાત્રિ રહેવા માટે ચારસો સોનામહોર વેશ્યાની માતાને આપી. તેથી હર્ષ પામીને તે અક્કાએ પોતાની પુત્રી કે જે રાજાની વેશ્યા હતી તેને કહ્યું કે-“હે પુત્રી! આ યુવકની ઉત્તમ સેવા બજાવજે.” પછી રાત્રે સર્વ ભોગસામગ્રી તૈયાર કરી શૃંગાર સજીને વેશ્યા શયનગૃહમાં આવી. તે વખતે મિત્રાનંદે વિચાર્યું કે–“વિષયમાં આસક્ત થયેલા મનુષ્યોનાં કાર્ય સિદ્ધ થતાં નથી.” એમ નિશ્ચય કરીને તે વેશ્યા પ્રત્યે બોલ્યો કે-“હે કલ્યાણી! એક પાટલો લાવ, જેથી હું ઇષ્ટ દેવનું સ્મરણ કરું.” એટલે તે તરત જ એક સુવર્ણનો પાટલો લાવી. તેના પર મિત્રાનંદ પદ્માસન વાળીને બેઠો. તેની સામે વેશ્યાએ અનેક હાવભાવ કર્યા, પરંતુ તેનું મન ચલિત થયું નહીં. આખી રાત્રિ એ જ પ્રમાણે નિર્ગમન કરીને પ્રભાતે ત્યાંથી નીકળી બીજે સ્થાને ગયો. બીજી રાત્રિ પણ તેણે તે જ પ્રમાણે નિર્ગમન કરી. તે વૃત્તાંત સાંભળીને અક્કાએ તેને કહ્યું કે-“હે ભદ્ર! આ મારી પુત્રી રાજાઓને પણ દુર્લભ છે છતાં તું તેની કેમ અવગણના કરે છે?” મિત્રાનંદ બોલ્યો કે-“સમય આવ્યું હું સર્વ કહીશ; પરંતુ હું તને પૂછું છું કે–“રાજગૃહમાં તારો પ્રવેશ છે કે નહીં?” ” અક્કાએ જવાબ આપ્યો કે-“આ મારી પુત્રી રાજાની ચામરઘારિણી છે, અને રાજાની પુત્રી રત્નમંજરી મારી પુત્રીની સખી છે.” તે સાંભળી મિત્રાનંદે રાજવેશ્યાને કહ્યું કે-“હે ભદ્ર! તું આજે રત્નમંજરોને કહેજે કે–“હે સખી! જેને ગુણનો સમૂહ મેં સાંભળ્યો છે, અને તેથી રાગ ઉત્પન્ન થવાને લીધે તે જેના પર પત્ર લખ્યો હતો તે અમરદત્તનો મિત્ર તારા પ્રિયનો પત્ર લઈને અહીં આવ્યો છે. એ પછી તે વેશ્યાએ રત્નમંજરી પાસે જઈને કહ્યું કે–“હે સખી! આજે હું તારા પ્રિયના સમાચાર કહેવા આવી છું.” ત્યારે હસીને વિસ્મયપૂર્વક તે બોલી કે “કોણ મારો પ્રિય છે?” ત્યારે તે વેશ્યાએ સમગ્ર સમાચાર કહ્યા. તે સાંભળીને રાજપુત્રીએ વિચાર્યું કે–“ખરેખર આ કોઈ અલૌકિક ઘૂર્ત હોવો જોઈએ; કેમકે આજ સુધી મારો કોઈ પણ પ્રિય નથી. પરંતુ જેણે આવું કપટજાળ રચ્યું છે તેને દ્રષ્ટિએ તો જોવો જોઈએ.” એમ વિચારીને તેણે વેશ્યાને કહ્યું કે–“હે સખી! મારા પ્રિયનો સંદેશો લાવનાર તે માણસને મારા પ્રિયના પત્ર સહિત આજે આ બારીને રસ્તે અહીં લાવજે.” તે વેશ્યાએ ઘેર આવીને સર્વ વૃત્તાંત મિત્રાનંદને કહ્યો. પછી તે રાત્રે અક્કાએ બતાવેલા રસ્તા વડે સાત કિલ્લાનું ઉલ્લંઘન કરીને તે રાજકન્યાના નિવાસગૃહમાં ગયો. અક્કાએ પોતાની પુત્રી પાસે તેના ધૈર્યની પ્રશંસા કરી. અહીં રાજપુત્રી તેનું ધૈર્ય, પ્રિયના પત્રમાંનું લેખનચાતુર્ય, તેમજ તેનું રૂપ, લાવણ્ય અને વચનકળાનું કૌશલ્ય જોઈને જાણે ખંભિત થઈ ગઈ હોય તેમ એક અક્ષર પણ બોલ્યા વિના સ્થિર થઈ ગઈ. તે વખતે મિત્રાનંદે હિંમત કરીને તેના હાથમાંથી રાજાના નામવાળું કડું કાઢી લીધું, અને તેની જંઘા ઉપર છરી વડે ત્રિશૂળની આકૃતિ કરી. પછી ત્યાંથી નીકળી અક્કાને ઘેર ગયો. રાજકુમારી તેના ગુણોથી આક્ષિપ્ત થઈ સતી વિચારવા લાગી કે–“ખરેખર તે સામાન્ય પુરુષ નહોતો, માટે મેં તેની સાથે સંભાષણ પણ કર્યું નહીં તે સારું કર્યું નહીં.” ઇત્યાદિ વિચાર કરતાં તે પાછલી રાતે નિદ્રાવશ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy