SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૧] ક્રોઘનું ફળ ૧૨૧ પૂતળી જોવામાં આવી. તેના રૂપ તથા લાવણ્યને જોઈને અમરદત્ત મોહ પામી ગયો. તેથી તે ત્યાંથી આઘો પાછો પણ જાય નહીં, ત્યાં જ સ્થિર થઈ ગયો. મિત્રાનંદ તેને વારંવાર ગામમાં જવાનું કહેતા થાકી ગયો, છેવટે તે બોલ્યો કે “હે મિત્ર અમરદત્ત! આ પથ્થરની પૂતળી ઉપર પ્રીતિ બાંધીને શું ઊભો છે? કેમકે આકાશને મંથન કરવાની જેમ તારી ઇચ્છા નિષ્ફળ છે.” અમરદત્તે કહ્યું કે-“હે મિત્ર! જો હું અહીંથી ચાલીશ તો જરૂર મારું મૃત્યુ થશે.” તે સાંભળીને મિત્રાનંદ અત્યંત રોવા લાગ્યો. એટલે અમરદત્ત પણ તે પૂતળી વિના રહેવાને અશક્ત હોવાથી રોવા લાગ્યો. તેવામાં તે પ્રાસાદ કરાવનાર શ્રેષ્ઠી ત્યાં આવી ચડ્યો. તેણે બન્નેને રોતાં જોઈને પૂછ્યું કે-“હે ભાઈ! તમે બન્ને કેમ રડો છો?” ત્યારે મિત્રાનંદે સર્વ વૃત્તાંત કહી બતાવીને પૂછ્યું કે–“હે પિતા! આ સંકટમાં હવે શો ઉપાય કરવો?” શ્રેષ્ઠી બોલ્યો કે-“આ પૂતળી બનાવનાર કારીગર સોપારકપુરમાં રહે છે તેને પૂછો, તે મર્મ બતાવશે.” મિત્રાનંદ બોલ્યો કે-“હે પિતા! જો તમે આ મારા મિત્રની સંભાળ રાખો તો હું સોપારકપુરે જઈને તે કારીગરને પૂછું કે-“આ પૂતળી તેણે સ્વભાવથી જ ઘડી છે કે કોઈ વર્તમાન સ્ત્રીનું રૂપ જોઈને ઘડી છે?” જો કદાચ આવી કોઈ પણ કન્યા હશે, તો હું મારા મિત્રના મનોરથ પૂર્ણ કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ અમરદત્તની સંભાળ રાખવાનું અંગીકાર કર્યું. ત્યારે અમરદત્ત બોલ્યો કે–“હે મિત્ર! તું જાય છે, પણ જો હું તને આપત્તિ પ્રાપ્ત થયાનું સાંભળીશ તો મારા પ્રાણ નાશ પામશે.” મિત્રાનંદ બોલ્યો કે-“જો હું બે માસમાં પાછો ન આવે તો મિત્ર નથી એમ જાણજે.” આ પ્રમાણે તેને ધૈર્ય આપીને મિત્રાનંદ સોપારકપુરે પહોંચ્યો અને ઉત્તમ વેષ ઘારણ કરીને તે કારીગરને ઘેર ગયો. કારીગરે તેનો સત્કાર કરી આવવાનું કારણ પૂછ્યું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે–“મારે એક દેવળ બંઘાવવાની ઇચ્છા છે પરંતુ કોઈ પણ ઠેકાણે તમારું બાંધેલું દેવળ હોય તો દેખાડો.” કારીગર બોલ્યો કે-“પાટલીપુરમાં મેં મારા હાથથી એક પ્રાસાદ કર્યો છે, તે તમે જોયો છે?” મિત્રાનંદે કહ્યું કે-“હા, જોયો છે, પણ તે પ્રાસાદમાં એક પૂતળી છે, તેનું રૂપ તમે તમારી બુદ્ધિકલ્પનાથી કર્યું છે? કે એવું રૂપ સાક્ષાત્ કોઈ ઠેકાણે જોઈને કર્યું છે?” કારીગરે કહ્યું કે–“અવન્તિ નગરીના રાજાની પુત્રી રત્નમંજરીનું સ્વરૂપ જોઈને તે પૂતળી મેં કરી છે.” ત્યારે મિત્રાનંદે તેને કહ્યું કે-“ઠીક ત્યારે હું સારું મુહર્ત જોઈને તમારી પાસે આવીશ, તમે તૈયાર થઈ રહેજો.” એમ કહીને તે અવન્તિ નગરીએ ગયો અને ગામના દરવાજા પાસે એક દેવાલય હતું તેમાં તેણે નિવાસ કર્યો. તેવામાં તેણે કોઈ એક ગૃહસ્થ કરાવેલી ઉદ્ઘોષણા સાંભળી કે–“રાત્રિના ચાર પહોર સુધી આ મડદાનું જે રક્ષણ કરે તેને એક હજાર સોનામહોર હું આપીશ.” આ પ્રમાણે સાંભળીને મિત્રાનંદે શબરક્ષણ અંગીકાર કર્યું. તે વખતે તેને લોકોએ શિખામણ આપી કે–“આ નગરમાં મોડી રાતે ગામના દરવાજા બંઘ થઈ ગયા પછી જે કોઈ મરી જાય તેના મૃતકને મારી ખાઈ જાય છે; માટે તારામાં તેનાથી રક્ષણ કરવાનું સામર્થ્ય હોય તો તું આ કાર્ય અંગીકાર કરજે.” મિત્રાનંદે કહ્યું કે–“વીર પુરુષોને આમાં મોટું કાર્ય શું છે?” પછી તે ગૃહસ્થ ઠરાવના અર્ધા રૂપિયા તથા શબ સોંપ્યું, અને બાકીના રૂપિયા પ્રાતઃકાળે આપીશ, એમ કહીને તે પોતાને ઘેર ગયો. અહીં મિત્રાનંદ શબનું રક્ષણ કરવા રહ્યો. ત્યાં મધ્યરાત્રિએ ભૂત, પ્રેત વગેરેના ઉપસર્ગો થવા લાગ્યા, પણ તેણે તે ઘેર્યથી દૂર કર્યા, અને આખી રાત્રિ શબનું રક્ષણ કર્યું. પ્રાતઃકાળે તે શબને લઈ જઈને તેના સ્વજનોએ ૧. મરકી અથવા કોઈ દેવી વિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy