SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૦] ઢંઢક મત ૧૧૭ પછી સ્તનને ત્રણ રુઝાવાની દવાથી રુઝવી દીધું. તે વૈદ્યને તેણે ઘણું દ્રવ્ય આપ્યું. પછી તે બાવીશ કીડાઓ ઉપર પૂર્ણ ભવના સ્નેહથી દયા લાવીને વેશ્યાએ વિચાર્યું કે-“આ બિચારા મારા હાથના સ્પર્શથી મરી જશે, માટે હું એઓને નગરની ખાઈમાં પડેલા કૂતરાના શબમાં મૂકું.” એમ વિચારીને તેણે તે પ્રમાણે કર્યું. પરંતુ ત્યાં પણ તે બાવીશે કીડા તાપ, સુઘા અને તૃષાથી પીડા પામીને એક અંતર્મુહૂર્તમાં મરણ પામ્યા. ત્યાંથી તેઓ સાઘારણ વનસ્પતિકાયમાં મોઘજાતિના કંદમાં ઉત્પન્ન થશે. ત્યાં તે કંદને ખોદતાં તેઓ સર્વે મરીને પૃથ્વીકાય આદિ પાંચે એકેંદ્રિયમાં જઘન્ય અને મધ્યમ સ્થિતિના આયુષ્યવાળા થશે. ત્યાંથી મરીને તે જ કામલતા વેશ્યાના ઉદરમાં કરમિયા થશે. ત્યાં વિરેચનના પ્રયોગથી તેઓ મરણ પામીને મળદ્વારે બહાર નીકળશે, અને તેની જ વિષ્ટામાં તેઇંદ્રિયપણે ઉત્પન્ન થઈને તથા અંતર્મુહર્તમાં મરીને ફરીથી તે જ વિષ્ટામાં ચૌરિંદ્રિયપણે ઉત્પન્ન થશે. એવી રીતે તે જ વેશ્યાની વિષ્ટામાં, મૂત્રમાં, ઘૂંકમાં, બળખામાં અને નાકની લીંટ વગેરેમાં બેઇંદ્રિય તેઇદ્રિય ને ચૌરિંદ્રિયપણે સાત સાતવાર ઉત્પન્ન થશે. એ પ્રમાણે ઓગણત્રીશ ભવ કરશે. પછી ત્રીશમા ભવમાં તે બાવીશ જીવો તે જ વેશ્યાના ઘરની ખાળમાં સંમૂર્ણિમ દેડકા થશે. ત્યાં બેથી નવ દિવસનું આયુષ્ય ભોગવીને એકત્રીશમા ભવમાં તે વેશ્યાના ઘરને વિષે ગર્ભજ ઉંદર થશે. ત્યાં બેથી નવ માસના આયુષ્યને અંતે મરીને બત્રીશમા ભવને વિષે તે ગણિકાના આંગણામાં વિષ્ટા વગેરેનો આહાર કરનારા શકર (ભૂંડ) થશે. ત્યાં બેથી નવ વર્ષનું આયુષ્ય ભોગવીને તેત્રીશમા ભવને વિષે અવન્તિ નગરીમાં ચાંડાલના કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે બાવીશ ચાંડાલો વૃદ્ધિ પામીને ઠંડસંસ્થાનવાળા, લાંબા દાંતવાળા, મોટા પેટવાળા, ગળી જેવા કૃષ્ણ વર્ણવાળા, જોવાને પણ અયોગ્ય, મનુષ્યોને દુગચ્છા ઉત્પન્ન કરનારા અને પોતાના નીચ કર્મમાં કુશળ થશે. એવા સમયમાં તે અગ્નિદત્ત! તે વેશ્યા વૃદ્ધ થવાથી દ્રવ્યને પોતાના ઘર્મમાં ખર્ચા, તાપસી દીક્ષારૂપ ઘર્મ સ્વીકારી મિથિલા નગરીથી નીકળીને કાશી દેશમાં ગંગા નદીને કાંઠે રહેલા તાપસી પાસે આવશે, અને તેમની પાસે શૌચમૂળ ઘર્મ અંગીકાર કરશે. ત્યાંથી ફરતી ફરતી અનુક્રમે અવંતિ દેશમાં રહેલી ક્ષિપ્રા નદીને કાંઠે આવશે. ત્યાં અનેક મનુષ્યો પાસે પોતાનો શૌચમૂળ ઘર્મ પ્રગટ કરશે અને કહેશે કે-“હે મનુષ્યો! શૌચમચી ઘર્મ બે પ્રકારનો છે, દ્રવ્યશૌચ તથા ભાવશૌચ. તેમાં જળ અને માટીથી દ્રવ્યશૌચ થાય છે, અને દર્ભ તથા મંત્રથી ભાવશૌચ કહેવાય છે. જે કાંઈ પણ અશુચિ થયું હોય તે સર્વને માટી લગાડીને પછી તેને શુદ્ધ જળથી ઘોવું જોઈએ, તેમ કરવાથી સર્વ વસ્તુ શુદ્ધ થાય છે. આ પ્રમાણે નિરંતર સાત વાર જળ વડે શુદ્ધિ કરવાથી પ્રાણીઓ મોક્ષપદને પામે છે.” ઇત્યાદિ તે વેશ્યા તાપસીનો ઉપદેશ સાંભળીને પેલા ચાંડાળો તે ઘર્મના રસિક થશે; તેથી બીજા બઘા દર્શનના તેમાં વિશેષે જૈન મુનિના તથા જૈન ચૈત્યોના વઘારે દ્વેષી થશે, અને તેમના અવર્ણવાદ બોલશે. છેવટે તેઓ વૈરાગ્ય પામીને તે વેશ્યા તાપસી પાસે તાપસી દીક્ષા લેશે. ત્યાર પછી પાંચ વર્ષે મરણ પામીને ચોત્રીશમા ભવે તે જ અવંતિ નગરીમાં ભાંડના કુળને વિષે ઉત્પન્ન થશે. ત્યાં અનેક પ્રકારની ભાંડચેષ્ટા કરીને પોતાની આજીવિકા ચલાવશે. એક વખત કુશસ્થલ નગરના રાજાની પાસે તેઓ ભાંડચેષ્ટા કરીને લોકોને હસાવશે. તે સમયે અષ્ટમ તપને પારણે કોઈ બે સાઘુઓ ગોચરીને માટે ત્યાંથી નીકળશે, તેને જોઈને પુરોહિતના કહેવાથી તે ભાંડો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy