SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ બોધ કર્યા છતાં પણ તથાપ્રકારના કષાય અને મોહનીયના ઉદયથી તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, અને સર્વ વસ્ત્રોને તજી દઈને ગામ બહાર અરણ્યમાં જઈને રહ્યો. એકદા ઉત્તરા નામની તેની બહેન તેને વાંદવા ગઈ. ત્યાં પોતાના ભાઈને વસ્રરહિત જોઈને તેણે પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો. પછી તે ભિક્ષાને માટે નગરમાં ગઈ. ત્યાં કોઈ વેશ્યાએ તેને જોઈને વિચાર્યું કે‘વસ્ત્ર રહિત હોવાથી બીભત્સ` દેખાતી આ સ્ત્રીને જોઈને લોકો અમારી ઉપરથી પણ વિરક્ત થશે.'' એમ ધારીને તેણે તેની ઇચ્છા નહીં છતાં બળાત્કારે વસ્ત્ર પહેરાવ્યાં. તે વૃત્તાંત ઉત્તરાએ શિવભૂતિ પાસે જઈને જણાવ્યો. તે સાંભળીને શિવભૂતિએ વિચાર્યું કે-‘વસ્ત્રરહિત સ્ત્રી ઘણી બીભત્સ તથા અતિ લગ્નસ્પદ થાય છે.’’ તેથી તેણે ઉત્તરાને કહ્યું કે ‘“હવે તું તો આ જ રીતે રહેજે, વસ્ત્ર તજીશ નહીં.’’ હવે અનેક જૈન સાધુઓ શિવભૂતિને સમજાવવા લાગ્યા કે−‘જિનાગમને વિષે ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરવાનું કહેલું છે. ‘તિäિ ટાળેહિં વર્ત્ય ધારેખ્ખા હિરિવત્તિયં, તુાંછાવત્તિયં, परिसहवत्तियं. ' અર્થ—‘હ્રી’ એટલે લગ્ન અથવા સંયમ, તેના રક્ષણનિમિત્તે, લોકમાં ‘દુર્ગચ્છા’ (નિંદા) ન થવા માટે, તથા ‘પરીષહ’ એટલે ટાઢ, તડકો, ડાંસ, મચ્છર વગેરેથી રક્ષણ થવા માટે. એ ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરવાં. વળી કહ્યું છે કે ‘તપસ્વીઓને ધર્મમાં સહાયભૂત હોવાથી શુદ્ધ આહારાદિકની જેમ વસ્ત્રાદિકનું ગ્રહણ કરવું, તેમાં દોષ નથી.’ વળી તું એમ કહે છે કે—“હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી એમ ચાર પ્રકારનું રૌદ્ર ધ્યાન કહેલું છે. તેમાં ‘હિંસા' એટલે પ્રાણીનો વધ તેનો ‘અનુબંધ’ એટલે નિરંતર ચિંતવન જેમાં હોય તે હિંસાનુબંધી, અસત્યનું ચિંતવન જેમાં હોય તે મૃષાનુબંધી, ચોરીનું ચિંતવન જેમાં હોય તે સ્ટેયાનુબંઘી અને તસ્કરાદિક થકી પોતાના વિત્તને ગુપ્ત રાખવા માટે નિરંતર તેના રક્ષણ સંબંધી ચિંતવન કરવું તે સંરક્ષણાનુબંધી. આમાં રૌદ્ર ધ્યાનનો ચોથો ભેદ જે સંરક્ષણાનુબંધી છે તે વસ્ત્રાદિક ગ્રહણ કરવાથી અવશ્ય થશે. કેમકે તે રૌદ્ર ધ્યાનનો હેતુ છે. વળી ‘શસ્ત્રાદિકની જેમ દુર્ગતિનું કારણ હોવાથી વસ્ત્રાદિક ગ્રહણ કરવાં નહીં' એવી તારી બુદ્ધિ થાય છે પણ તે અયુક્ત છે. કેમકે—હે દેવોના પ્રિય! તારી આ યુક્તિ પ્રમાણે તો દેહાદિકમાં પણ રૌદ્ર ધ્યાનની પ્રાપ્તિ થશે. કેમકે શરીરનું પણ જળ, અગ્નિ, ચોર, ડાંસ, શિકારી પશુ, વિષ, કંટક વગેરેથી રક્ષણ કરવાની જરૂર પડે છે, તેથી દેહાદિકમાં પણ સંરક્ષણાનુબંધીની તુલ્યતા છે. એટલે તે દેહાદિકનો પણ ત્યાગ કરવો જોઈશે. કદાચ તું એમ કહીશ કે—‘દેહાદિક મોક્ષનું સાધન કરવામાં અંગીભૂત હોવાથી જયણા વડે તેનું સંરક્ષણ કરવું તેમાં દોષ નથી, પણ તે પ્રશસ્ત સંરક્ષણ છે.' તો અહીં પણ આગમમાં કહેલા યતના (જયણા) ના પ્રકારથી જ વસ્ત્રાદિકનું સંરક્ષણ કરવું, તે કેમ પ્રશસ્ત નથી? માટે વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કરવો? વળી ‘મૂચ્છા પરિગ્ગહો વુત્તો, તિ પુત્ત મમ્હેસિળા (ભગવંતે મૂર્છાને જ પરિગ્રહ ૧ ખરાબ દેખાવવાળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy