SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૯] સર્વ વિસંવાદી નામે આઠમો નિલવ ૧૧૩ કહ્યું કે બારણું ઉઘાડો.” તે સાંભળીને કોપ પામેલી માતાએ કહ્યું કે “હે દુષ્ટ! આ મધ્ય રાત્રીને સમયે જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં જા.” આ પ્રમાણે સાંભળવાથી ક્રોધ પામીને તે ગામમાં ફરવા લાગ્યો; એટલામાં તેણે ઉઘાડા દ્વારવાળો સાધુનો ઉપાશ્રય જોયો, એટલે તેણે જઈને સાઘુને વંદન કરી વ્રત માગ્યું. સૂરિએ રાજાને વલ્લભ તથા માતા વગેરેએ મોકળો નહીં કરેલો તેમજ સ્વેચ્છાચારી જાણીને તેને દીક્ષા આપી નહીં; તો પણ તેણે સાધુના ઘૂંકવાના પાત્રમાંથી ભીની રાખ લઈને જાતે જ લોચ કર્યો. એટલે પછી કૃષ્ણસૂરિએ તેને મુનિવેશ આપ્યો. પછી કૃષ્ણસૂરિની સાથે વિહાર કરતાં એક દિવસ પાછો તે જ નગરમાં આવ્યો. રાજાએ સહસ્ત્રમલ્લને એક રત્નકંબલ આપ્યું, ત્યારે આચાર્યું તેને કહ્યું કે-“આપણે સાધુને આવાં બહુમૂલ્યવાળાં ઉપકરણ રાખવાં ન જોઈએ.” ગુરુએ આમ કહ્યા છતાં પણ તેણે તે કંબલને મૂર્છાથી ગુપ્ત રીતે રાખ્યું, અને હંમેશાં તેની સંભાળ કરવા લાગ્યો. ગુરુએ તેની કંબલ ઉપરની મૂછ જાણી; તેથી એકદા તે ક્યાંય બહાર ગયો હતો તે વખતે કંબલને ફાડીને તે પાદપ્રોંચ્છન વગેરે કરવા સારુ સર્વ સાધુઓને વહેંચી આપ્યું. તે વાત જાણીને શિવભૂતિને ઘણો ક્રોઘ ચડ્યો, અને તેવી સ્થિતિમાં જ ત્યાં રહ્યો. એક દિવસ આચાર્ય જિનકલ્પિકનું વર્ણન કરતા હતા. તે આ પ્રમાણે–“જિનકલ્પિક બે પ્રકારના હોય છે. એક પાણિપાત્ર એટલે હાથમાં લઈને ભોજન કરનારા અને બીજા પાત્રભોજી એટલે પાત્રમાં લઈને ભોજન કરનારા. તે દરેકના પણ બે બે ભેદ છે. એક સ્વલ્પ સચેલકા એટલે અલ્પ વસ્ત્ર રાખનારા અને બીજા અચેલકા એટલે બિલકુલ વસ્ત્ર નહીં રાખનારા.” ઇત્યાદિ હકીકત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે-“જો એમ છે તો હાલમાં શા માટે બહુ ઉપધિ રાખવામાં આવે છે? જિનકલ્પ શા માટે અંગીકાર કરતા નથી?” ગુરુએ કહ્યું કે-“આ ભરતક્ષેત્રમાં શ્રી વીરના ઘર્મપૌત્ર એટલે તેમના ત્રીજા પાટે થયેલા શ્રી જંબુસ્વામીના નિર્વાણ સાથે જિનકલ્પ વગેરે દશ વસ્તુઓનો વિચ્છેદ થયો છે, વળી તેવા સંહનાનાદિકના અભાવથી વર્તમાન કાળમાં તેમ કરી શકાતું નથી.” તે સાંભળીને શિવભૂતિ બોલ્યા કે-“અલ્પ સત્ત્વવાળાને માટે જિનકલ્પ વિચ્છેદ થયો છે, પણ મારા જેવાને માટે નહીં, કેમકે મારા જેવા મહાસત્ત્વ તો વર્તમાન કાળમાં પણ જિનકલ્પ અંગીકાર કરવાને સમર્થ છે. મોક્ષના અભિલાષીએ સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો પછી કષાય, ભય, મૂચ્છદિક દોષના નિઘિ સમાન આ અનર્થકારી પરિગ્રહથી શું? જિતેંદ્રો પોતે અચેલક જ હતા, તેથી વસ્ત્રરહિતપણું જ શ્રેષ્ઠ છે.” ત્યારે ગુરુએ કહ્યું કે-“જો એમ હોય તો દેહને વિષે પણ કષાય, ભય, મૂચ્છ વગેરે દોષનો સંભવ છે, માટે તે દેહનો પણ વત ગ્રહણ કર્યા પછી તરત જ ત્યાગ કરવો જોઈશે; પરંતુ શાસ્ત્રમાં જે પરિગ્રહ રહિતપણું કહ્યું છે તેનો હેતુ એ છે કે ઘર્મના ઉપકરણો ઉપર મૂચ્છ રાખવી નહીં, પણ સર્વથા ઘર્મનાં ઉપકરણનો ત્યાગ કરવો તેમ નથી. વળી જિનેશ્વરો પણ સર્વથા અચેલક હતા તેમ નથી; કેમકે–“સર્વે જીવ મેહૂલેણ નિયા નિવરી વડવી (સર્વ ચોવીશે તીર્થકરોએ એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને દીક્ષા લીઘેલી છે.) ઇત્યાદિ વચનથી જિનેંદ્રો પણ સચેલક હતા.” આ પ્રમાણે આચાર્ય તથા સ્થવિર મુનિઓએ પૂર્વોક્ત તથા વક્ષમાણ* યુક્તિઓથી ૧ સંહનન તે શરીરની મજબૂતી. જિનકલ્પીપણું પાળવામાં જેવી જોઈએ તેવી હાલ મજબૂતી નથી. વળી આદિ' શબ્દથી તથા પ્રકારનું જ્ઞાન વગેરે નથી. ૨ આગળ કહેવામાં આવશે એવી. ભાગ ૪-૮) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy