SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ મહાવિદેહમાં જવાની શક્તિ જ ક્યાંથી હોય?” એમ કહીને તેણે તે વાત પણ અંગીકાર કરી નહીં, તેથી સંઘે તેને સંઘ બહાર કર્યો. ત્યાર પછી આયુષ્યના ક્ષયે તે મિથ્યા પ્રરૂપણા તથા કદાગ્રહની આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યો. આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે–“સંઘે સંઘ બહાર કર્યા છતાં પણ ગોષ્ઠામાહિલે પોતાનો મત છોડ્યો નહીં, અને બોધિરત્ન રહિત થઈને પૃથ્વી પર અનેક માણસોને ભમાવી પોતે સંસારમાં ભમ્યો, માટે કોઈએ પણ કદી કદાગ્રહ કરવો નહીં” વ્યાખ્યાન ૨૩૯ સર્વ વિસંવાદી નામે આઠમો નિહ્નવ स्वल्पमात्रजिनप्रोक्तवचनोत्थापकारिणः । जमालिप्रमुखा ज्ञेया, निह्नवाः सप्त शासने ॥१॥ ભાવાર્થ-“જિનેશ્વરે કહેલા વચનમાંથી અલ્પમાત્ર વચનને ઉત્થાપન કરનારા જમાલિ વગેરે સાત નિહ્નવો જિનશાસનમાં થયેલા જાણવા.” अथ सर्वविसंवादी, निह्नवः प्रोच्यतेऽष्टमः । - શ્રીવરમુર્નાતોદ્ધશતઃ પર્નિવોત્તરે આરા ભાવાર્થ-“હવે શ્રી વીરના નિર્વાણ પછી છસો નવ વર્ષે જિનેશ્વરના સર્વ વચનનું ઉત્થાપન કરનાર આઠમો નિહ્નવ ઉત્પન્ન થયો તેની હકીકત કહે છે.” આઠમા નિહવની કથા (દિગંબર માન્યતાની ઉત્પત્તિ) રથવીર નામના નગરમાં હજાર યોદ્ધાને જીતનાર શિવભૂતિ નામનો એક ક્ષત્રિય હતો. તે રાજાની સેવા કરતો હતો. એકદા રાજાએ તેના શૌર્યાદિક ગુણોની પરીક્ષા કરવા માટે કૃષ્ણ ચતુર્દશીને દિવસે તેને એક પશુ તથા મદિરા આપીને કહ્યું કે-“તું એકલો સ્મશાનમાં જા અને આ બલિદાન આપીને પાછો આવ.” તે મધ્યરાત્રિએ એકલો સ્મશાનમાં ગયો. ત્યાં અનેક ભૂત, પ્રેત, પિશાચ વગેરેએ તેને ભય બતાવ્યો પણ તેનું એક રૂંવાડું પણ ચાલ્યું નહીં; તેથી તેને શૂરવીર જાણીને રાજાએ તેનો પગાર વઘારી આપ્યો. પછી એક દિવસે રાજાએ દક્ષિણમથુરાના રાજાને જીતવા માટે હજાર યોદ્ધાનું સૈન્ય મોકલ્યું, અને ઉત્તરમથુરાના રાજાને જીતવા માટે એકલા શિવભૂતિને મોકલ્યો. તે તુરત જીતીને પાછો આવ્યો. તે જોઈને રાજાએ તેનું સહસ્ત્રમલ્લ નામ પાડ્યું, અને વરદાન માગવા કહ્યું. તેણે માગ્યું કે–“હે સ્વામી!મને સ્વતંત્રતા આપો.” એટલે રાજાએ તેને સ્વતંત્રતા આપી. - પછી તે રાજાના પ્રસાદથી મરજી મુજબ વિલાસ કરતો નગરમાં ફરવા લાગ્યો, અને રાતે બે પહોર રાત્રી ગયા પછી ઘેર આવવા લાગ્યો; તેથી ખેદ પામીને તેની સ્ત્રીએ તેની માને કહ્યું કે-“તમારા પુત્રથી હું કાયર થઈ ગઈ છું, તે કોઈ પણ દિવસ રાત્રે ઘેર વખતસર આવતા નથી; તેથી જાગરણ તથા ભૂખને લીધે હું નિરંતર પીડા પામું છું.” તે સાંભળીને સાસુએ કહ્યું કે-“હે વહુ! આજે તું સૂઈ રહે, હું જાગીશ.” તેમ કહેવાથી વહુ સૂઈ ગઈ. મધ્ય રાત્રે સહસ્ત્રમલે આવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy