SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૮] કદાગ્રહ ત્યાજ્ય ૧૧૧ વિચાર કરે છે–પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી હું સ્વર્ગાદિકમાં દેવાંગના સાથે ભોગ વગેરે ભોગવીશ.” આમ થવાથી પરિણામ અશુદ્ધ થયા, તેથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ થયું.” તે વિષે સૂત્રમાં કહ્યું છે કે रागेण च दोसेण च, परिणामेण च न दूसियं जंतु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥४॥ ભાવાર્થ-“જે રાગ, દ્વેષ કે પરિણામથી દૂષિત થયેલું ન હોય, તે જ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું.” અહીં ગુરુ તેને ઉત્તર આપે છે કે–“તમે જે આશંસા દોષ આપ્યો તે કાળનો અવધિ કરવાથી પ્રાપ્ત થાય છે? કે વાંચ્છાથી પ્રાપ્ત થાય છે? જો કાળનો અવધિ કરવાથી થતો હોય તો પોરસી વગેરેના પચખાણમાં પણ તે દોષ પ્રાપ્ત થશે, કેમકે કાળપ્રત્યાખ્યાનમાં પ્રહર વગેરે કાળમાન સાક્ષાત્ કહેલું છે. જો કદાચ “પોરસી વગેરેમાં પણ કાળનો અવધિ કહેવો નહીં' એમ કહેશો તો દીક્ષા ગ્રહણ કરવાના દિવસથી જ અનશન કરવું જોઈશે, અને તીર્થકરોએ તો તપસ્વીઓને દશ પ્રકારે અનાગત આદિ પ્રત્યાખ્યાનો કરવાના સિદ્ધાંતમાં કહેલાં છે. હવે જો ‘તૃષ્ણાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. એ બીજો પક્ષ માનશો તો તે પણ અયોગ્ય છે; કેમકે મુનિને અન્ય ભવમાં પાપ સેવવાની ઇચ્છા હોતી નથી; અને જો અવધિ વિના પ્રત્યાખ્યાન કરે, તો સર્વ આવતા (ભવિષ્ય) કાળનું પ્રત્યાખ્યાન થઈ જશે, તેમ થવાથી આયુષના ક્ષયે દેવગતિને પામેલા યતિને સાવદ્ય કર્મના સેવનથી અવશ્ય વ્રતનો ભંગ પ્રાપ્ત થશે. આ વગેરે કારણોથી આશંસા રહિતપણે અવઘિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી કાયોત્સર્ગની જેમ કાંઈ પણ દોષ નથી.” ઇત્યાદિ યુક્તિઓથી સમજાવ્યા છતાં પણ જ્યારે તે કાંઈ પણ શ્રદ્ધા પામ્યા નહીં, ત્યારે પુષ્યમિત્ર આચાર્ય તેને અન્ય ગચ્છના બહુશ્રુત અને વૃદ્ધ મુનિઓ પાસે લઈ ગયા. તેઓએ કહ્યું કે--“આ પુષ્પમિત્ર આચાર્ય જેમ કહે છે તેમજ આર્યરક્ષિત સૂરિએ પણ પ્રરૂપણા કરેલી છે, તેમાં કાંઈ પણ ન્યૂનાધિક નથી.” ત્યારે ગોષ્ઠામાહિલે કહ્યું કે–“તમારા જેવા ઋષિઓ શું જાણે? તીર્થકરોએ તો જેમ હું કહું છું, તેમજ પ્રરૂપણા કરી છે.” સ્થવિર મુનિઓએ કહ્યું કે-“તું મિથ્યા અભિનિવેશ ન કર. એમ કરવાથી તીર્થકરની આશાતના થાય છે તે શું તું જાણતો નથી?” ઇત્યાદિ કહેવા છતાં પણ ગોષ્ઠામાહિલે અંગીકાર કર્યું નહીં. ત્યારે સર્વ સંધે મળીને શાસનદેવતાને બોલાવવા માટે કાયોત્સર્ગ કર્યો, તેથી કોઈ ભદ્રક દેવીએ આવીને કહ્યું કે-“મને આજ્ઞા આપો, હું શું કાર્ય કરું?” સંઘે સિદ્ધાંતનો પરમાર્થ જાણતાં છતાં પણ લોકના વિશ્વાસને માટે કહ્યું-“હે દેવી! તમે મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પાસે જઈને પૂછી લાવો કે સંઘ જે વાત કહે છે તે સત્ય કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય?” દેવીએ કહ્યું કે-“હું મહાવિદેહમાં જઈને પાછી આવું ત્યાં સુધી મને માર્ગમાં વિધ્ર ન થવા માટે કૃપા કરીને તમે કાયોત્સર્ગમાં રહો કે જેથી હું જઈ શકું.” સંઘે તે પ્રમાણે કર્યું. પછી તે દેવીએ મહાવિદેહમાં જઈ પ્રભુને પૂછી આવીને સંઘને કહ્યું કે–“તીર્થકરે મને કહ્યું કે “તમે (સંઘ) કહો છો તે સત્ય છે અને શ્રી વીર જિનેશ્વર મુક્તિ પામ્યા પછી પાંચસો ચોરાશી વર્ષે સાતમો નિતવ થવાનો હતો તે આ મિથ્યાવાદી ગોષ્ઠામાહિલ થયેલો છે.” ” તે સાંભળીને ગોષ્ઠામાહિલ બોલ્યો કે-“આ બિચારી દેવી અલ્પ ઋદ્ધિવાળી છે. તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy