SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૬ સ્પર્શ જ છે. અગ્નિથી તપાવેલા લોહગોળાના ન્યાયની જેમ તાદાસ્ય ભાવ પામ્યા વિના જ તે જીવની સાથે જોડાય છે, અને તેની સાથે પરભવમાં જાય છે. એમ માનવાથી મોક્ષની પ્રાપ્તિ રહેશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને વિધ્યમુનિને શંકા પડવાથી તેમણે આચાર્ય પાસે જઈને પૂછ્યું, ત્યારે આચાર્યે કહ્યું કે-“તમે જે પ્રથમ કહ્યું તે જ સત્ય છે. કેમ કે जीवो हि स्वावगाहाभिाप्त एवांबरे स्थितम् । गृह्णाति कर्मदलिकं, जातु न त्वन्यदेशगम् ॥१॥ अथात्मान्यप्रदेशस्थं, कर्मादायानुवेष्टयेत् । યાત્માનં તદા તસ્ય, તે યુવકોષમા રા. ભાવાર્થ-જીવ પોતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશપ્રદેશમાં રહેલાં જ કર્મનાં દળીને ગ્રહણ કરે છે. પણ બીજા પ્રદેશમાં રહેલાંને ગ્રહણ કરતો નથી; તેથી જો કદાચ આત્મા અન્ય પ્રદેશમાં રહેલા કર્મને ગ્રહણ કરીને પોતાની ફરતા વટે, તો તે કર્મને સર્પ કાંચલીની ઉપમા ઘટી શકે. તે સિવાય ઘટી શકે નહીં. આ પ્રકારનું ગુરુનું વચન વિંધ્યમુનિએ ગોષ્ઠામાહિલને કહ્યું, પણ તેણે અંગીકાર કર્યું નહીં, એટલે આચાર્યે તેને બોલાવીને પૂછ્યું કે-“તમે સર્પકંચુકની જેમ કર્મનો સંબંઘ માનો છો, તે જીવના દરેક પ્રદેશની સાથે માનો છો કે જીવની બહાર ત્વચાના પર્યત ભાગ સાથે ફરતો વીંટાયેલો માનો છો? જો જીવના દરેક પ્રદેશના પર્યત ભાગ સાથે માનશો, તો આકાશની જેમ જીવમાં સર્વ પ્રદેશ કર્મ પ્રાપ્ત થશે. તો પછી જીવનો મધ્યભાગ કયો કે જે કર્મ રહિત રહેશે? કેમકે જીવના પ્રતિપ્રદેશે કર્મ લાગવાથી કોઈ મધ્ય પ્રદેશ બાકી રહેશે નહીં કે જેથી કર્મનું અસર્વવ્યાપીપણું થાય. એ રીતે સાધ્યવિકળતા પ્રાપ્ત થવાથી કંચુકનું દ્રષ્ટાંત અઘટિત છે અને જો જીવની બહાર ત્વચાના પર્યત ભાગ સાથે કંચુકની જેમ સ્પર્શ કરેલું કર્મ માનશો, તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જશે, ત્યારે અંગના બાહ્ય મેલની જેમ તેની સાથે કર્મ જશે નહીં; અને “ભલે જીવની સાથે કર્મ ન જાય તેમાં શો દોષ છે?” એમ કહેશો તો સર્વ જીવનો મોક્ષ થશે, કેમકે પુનર્જન્મના કારણભૂત કર્મનો જ તેની સાથે અભાવ છે ઇત્યાદિ અનેક દોષ પ્રાપ્ત થશે.” તે સાંભળીને ગોષ્ઠામાહિલે પૂછ્યું કે–“જો જીવ અને કર્મનું જુદાપણું ન હોય, તો જીવથકી તેનો વિયોગ શી રીતે થાય?” ત્યારે ગુરુએ કહ્યું કે–જો કે કર્મ જીવની સાથે અભેદે કરીને રહ્યું છે, તો પણ સુવર્ણ અને માટીની જેમ તેનો વિયોગ થઈ શકે છે. જેમ મિથ્યાત્વાદિકે કરીને કર્મનું ગ્રહણ થાય છે, તેમ જ્ઞાન અને ક્રિયાએ કરીને તેનો વિયોગ થઈ શકે છે.' ઇત્યાદિ અનેક યુક્તિઓથી તેને સમજાવ્યા છતાં ગોષ્ઠામાહિલ બોઘ પામ્યો નહીં, અને તેણે પોતાનો કદાગ્રહ મૂક્યો નહીં. એકદા વિંધ્યમુનિ નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં આવેલા મુનિઓના પ્રત્યાખ્યાન(પચખાણ)નું વર્ણન કરતા હતા કે-“મુનિએ યાવજીવ (જીવનપર્યત) સર્વ સાવદ્યનાં પ્રત્યાખ્યાનો ત્રિવિધે ત્રિવિઘે કરવાં.” તે સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે–“સર્વ પ્રત્યાખ્યાન યાવજીવ આદિ અવધિ વિના જ કરવાં. અવધિ સહિત કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. જેમકે કોઈ સાઘુ એવો ૧ પરભવમાં ભોગાદિકની ઇચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy