SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૮] કદાગ્રહ ત્યાજ્ય ૧૦૯ સ્થાપ્યા?’’ તે સાંભળીને સર્વેએ વાલ વગેરેના ઘડાના દૃષ્ટાંત પૂર્વક સર્વ વૃત્તાંત કહ્યો, તેથી તે અતિ ખેદ પામ્યા; અને જુદા ઉપાશ્રયમાં રહીને સૂરિની નિંદા કરવા લાગ્યા, તેમજ તેમણે સાધુઓને અવળું સમજાવવા માંડ્યું, અને કહ્યું કે—“તમે વાલના ઘડા જેવા આચાર્યની પાસે કેમ શ્રુતનો અભ્યાસ કરો છો?’’ એક દિવસ દુર્બલિકા પુષ્પમિત્ર સૂરિના શિષ્ય વિઘ્ય નામના મુનિ કર્મપ્રવાદ નામના પૂર્વની આવૃત્તિ કરતા હતા, તેમાં એવો વિષય હતો કે—‘જીવના પ્રદેશ સાથે બદ્ધ થયેલું કર્મ જેનો બંધ માત્ર થાય છે એટલે કષાય રહિત (કેવળી) મુનિને ઈર્યાપથિકી સંબંધી જે કર્મ બંધાય છે તે બદ્ધ કહેવાય છે. તે કર્મ કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત પર નાંખેલી ભૂકાની મૂઠીની જેમ જીવના પ્રદેશથી જુદું પડે છે. હવે જીવના પ્રદેશોએ પોતાનું કરી લીધેલું જે કર્મ તે બદ્ઘસ્પષ્ટ કહેવાય છે, તેવું કર્મ આર્દ્ર ભીંત પર નાંખેલા ભીના ચૂર્ણની જેમ કાળાંતરે નાશ પામે છે; અને અતિ ગાઢ અધ્યવસાયથી બાંધેલું કર્મ કે જે અપવર્તનાદિ કરણને અયોગ્ય હોવાથી નિકાચિત કહેવાય છે તે કર્મ અતિ ગાઢ બંધવાળું હોવાથી આર્દ્ર ભીંત ઉપર આકરા કળીચૂનાનો યા સફેતાનો હાથ દીધો હોય તેની જેમ કાળાંતરે પણ વિપાકથી ભોગવ્યા વિના પ્રાયે કરીને ક્ષય પામતું નથી. આ ત્રણે પ્રકારનો બંધ સમજવા માટે સોયના સમૂહનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે (૧) દોરો વીંટેલા સોયના સમૂહ જેવું બન્ધ કર્મ જાણવું, (૨) લોઢાની પાટીથી બાંધેલા સોયના સમૂહ જેવું બન્ને સ્પષ્ટ બદ્ધ કર્મ જાણવું અને (૩) અગ્નિથી તપાવી હથોડાવતી ટીપીને એકત્ર કરેલા સોયના સમૂહ જેવું બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મ જાણવું. અહીં કોઈને શંકા થાય કે—‘નિકાચિત તથા અનિકાચિત કર્મમાં શો તફાવત?’ તો તેનો ઉત્તર કહે છે, કે—કર્મના સંબંધમાં શ્રી કમ્મપયડિ ગ્રંથમાં અપવર્તનાદિક આઠ ક૨ણ કહેલાં છે. તે સર્વ કરણ અનિકાચિત કર્મમાં જ પ્રવર્તે છે, અને નિકાચિત કર્મમાં તો તેનું ફળ ઉદય આવ્યેથી પ્રાયે કરીને ભોગવવું જ પડે છે, એટલો નિકાચિત ને અનિકાચિતમાં ફેર છે. જ અહીં નિકાચિત કર્મના સંબંધમાં ‘પ્રાયે કરીને ભોગવવું જ પડે છે,' એમાં ‘પ્રાયે' શબ્દ કહેવાનું તાત્પર્ય એ છે કે ‘તવસાબો નિાવામાં પિ (તપથી નિકાચિત કર્મનો પણ ક્ષય થાય)' એ વચનના અનુસારે અત્યંત તપ કરવાથી તથા ઉત્કટ અધ્યવસાયના બળથી નિકાચિત કર્મમાં પણ અપવર્તનાદિક કરણો પ્રવર્તે છે. આવી રીતે વ્યાખ્યા કરવાથી એ તાત્પર્ય સમજવું કે—ક્ષીરનીરની જેમ તથા અગ્નિથી તપાવેલા લોહના ગોળાની જેમ જીવના પ્રદેશ સાથે કર્મનો સંબંધ છે.’ આ પ્રમાણે વિન્ક્ય મુનિની વ્યાખ્યા સાંભળીને અસત્કર્મના ઉદયને લીધે કદાગ્રહથી તેને નહીં સ્વીકારતો ગોષ્ઠામાહિલ તેની પાસે જઈને બોલ્યો કે—‘જીવ કર્મનો જે તાદાત્મ્ય સંબંધ કહ્યો તે દૂષિત છે; કેમકે તાદાત્મ્યભાવ માનવાથી જેમ જીવના પ્રદેશ જીવથી ભિન્ન થતા નથી તેમ કર્મ પણ જીવથી અભિન્ન રહેશે, અને તેથી સદા કાળ જીવ કર્મ સહિત રહેવાથી મોક્ષ પામશે નહીં, મોક્ષનો અભાવ થશે; માટે મારી યુક્તિ જ યોગ્ય છે કે સર્પની કાંચળીની પેઠે જીવની સાથે કર્મનો માત્ર ૧ પ્રતિક્રમણ હેતુ ગ્રંથમાં સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એમ ચાર ભેદ કહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy