SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૬] નવ નિયાણાં ૧૦૧ (૨) વળી કોઈ એવું નિયાણું કરે કે– इमो । बहुचिंता महीनाथो, सुहिया धणिणो उग्गाणं च सुओ होहं, नियाणं बीइयं इमं ॥ १ ॥ ભાવાર્થ-‘રાજાને તો ઘણી ચિંતા હોય છે, અને ધનિક લોકો સુખી હોય છે, માટે તેવા ઊંચ કુળમાં હું પુત્ર થાઉં.’’ એવું જે ચિંતવે તે બીજું નિદાન જાણવું. (૩) વળી કોઈ એવું વિચારે કે પુરુષપણામાં તો વ્યાપાર, સંગ્રામ વગેરે અનેક પ્રકારનાં કષ્ટ છે, તેથી સ્ત્રીનો અવતાર મળે તો સારું. આ ત્રીજું નિદાન સમજવું. તે સુકુમાલિકા સાધ્વીએ કર્યું હતું. (૪) કોઈ એવો વિચાર કરે કે–સ્રીનો જન્મ તો નીચ ગણાય છે, માટે સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પુરુષભવને હું પામું. કેમકે– इत्थि सव्वे पराभूया, पराहीणाइदुक्खिया । कोवि पच्छे नरो होहं, नियाणं तु चतुत्थयं ॥ १ ॥ ભાવાર્થ-સર્વ સ્ત્રીઓ પરાભવ, પરાધીનતા વગેરે દુઃખવાળી હોય છે; માટે પુરુષપણું પામવું સારું છે. આ પ્રમાણે જે વિચારે તે ચોથું નિદાન જાણવું.’’ (૫) મનુષ્યના કામભોગ અપવિત્ર છે, મૂત્ર વિષ્ટાદિથી દુર્ગંધવાળા છે; માટે દેવપણું સારું છે; કેમકે તે દેવો પોતાની તથા બીજાની દેવીઓ ભોગવે છે. વળી પોતે જ ઇચ્છાનુસાર દેવદેવીનાં રૂપ વિકુર્તીને તેની સાથે ભોગ ભોગવે છે; માટે હું પણ તેવો થાઉં. આ પ્રમાણે જે નિયાણું કરે તે પાંચમું પરપ્રવિચાર નિયાણું કહેવાય છે. (૬) જે દેવો બીજી દેવીઓને ભોગવે તે પણ કષ્ટ છે; પરંતુ પોતાના રૂપને જ દેવદેવી રૂપે વિકુર્તીને જેઓ ભોગ ભોગવે છે તે ઠીક છે; માટે હું તેવો થાઉં. એવું જે નિદાન કરે તે સ્વપ્રવિચાર નામે છઠ્ઠું નિયાણું જાણવું. (૭) દેવ અને મનુષ્યના કામભોગમાંથી વૈરાગ્ય પામીને કોઈ એવું ચિંતવે કે—‘‘હું વિષય રહિત અલ્પ વિકારવાળો દેવ થાઉં.’’ એવું નિદાન કરીને તે તેવો થાય, પણ તે ત્યાંથી ચ્યવીને મનુષ્ય થાય ત્યારે દેશવિરતિ પામે નહીં. (૮) કામભોગથી ઉદ્વેગ પામીને કોઈ એવું નિદાન કરે કે—‘દ્રવ્યવાન પુરુષને રાજા, ચોર, અગ્નિ વગેરેથી મહાભય હોય છે, માટે હું અલ્પ આરંભવાળા દરદ્રીના કુળમાં ઉત્પન્ન થાઉં.’’ તે આઠમું નિયાણું સમજવું. Jain Education International (૯) વળી કોઈ એવું નિદાન કરે કે—મુનિને દાન આપવામાં પ્રીતિવાળો અને બાર વ્રતને પાલન કરનાર એવો શ્રાવક હું થાઉં.’’ તે નવમું નિયાણું જાણવું. આ નિયાણાવાળો દેશવિરતપણું પામે, પણ સર્વવિરતિપણું પામે નહીં. આ પ્રમાણે નવ નિયાણાંનું સ્વરૂપ જાણીને કેટલાક નમિરાજર્ષિ જેવા ઉત્તમ પુરુષો, ઇંદ્રાદિના કે દેવાદિકના અનેક પ્રકારના સુખથી લોભ પમાડ્યા છતાં પણ નિયાણું કરતા નથી. શ્રી મહાવીરસ્વામીએ સંગમ દેવતાના કરેલા અનુકૂળ ઉપસર્ગથી પણ નિયાણું કર્યું નહીં, અને નંદિષણ મુનિએ નિયાણું કર્યું, તેથી તે વસુદેવનો જન્મ પામ્યા અને અનેક સ્ત્રીઓના સ્વામી થયા.॰ વળી ૧ વસુદેવ તે કૃષ્ણ વાસુદેવના પિતા; તેમને ૭૨૦૦૦ સ્ત્રીઓ હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy