SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૬ ભાવાર્થ-દીન પુરુષોનો ઉપકાર કરવો તે જ પુરુષોનું વ્રત છે, માટે આ બ્રાહ્મણનો ઉપકાર કરીને મારો જન્મ હું સફળ કરું.” એમ વિચારીને તે સિદ્ધે બ્રાહ્મણને કહ્યું કે–“વિદ્યાથી સાઘેલો કુંભ આપું કે વિદ્યા આપું?” તે સાંભળીને વિદ્યા સાઘવામાં બીકણ અને કામભોગ મેળવવામાં ઉત્સુક એવા તે બ્રાહ્મણે કહ્યું કે–“વિદ્યાથી સાઘેલો કુંભ જ આપો.” એટલે સિદ્ધ તેને કામકુંભ આપ્યો. તે લઈને તે દરિદ્રી બ્રાહ્મણ જલદીથી પોતાના ગામમાં ગયો, અને કુંભના પ્રભાવથી ઘર વગેરે મનોરથ પ્રમાણે કરીને બાંઘવાદિ કુટુંબ સહિત સ્વચ્છંદપણે ભોગ ભોગવવા લાગ્યો. તેના બાંઘવો કોઈ ખેતીનું કામ કરતા હતા, કોઈ પશુ ચારવાનું કામ કરતા હતા, અને કોઈ વ્યાપાર કરતા હતા. તે સર્વ ઘંઘા છોડી દઈ મદાંધ થઈને ભોગ ભોગવવા લાગ્યા. એક દિવસ સુરાપાન કરીને તે બ્રાહ્મણ ખાંઘ ઉપર કુંભ રાખી નૃત્ય કરવા લાગ્યો. ઉદ્ધતાઈને લીધે તેના હાથમાંથી કુંભ છૂટી ગયો, અને પૃથ્વી પર પડી જવાથી તેના સેંકડો કકડા થઈ ગયા. તે સાથે તે નિભંગીના મનોરથ પણ ભગ્ન થઈ ગયા; એટલે કે કુંભના પ્રભાવથી ઉત્પન્ન થયેલો ઘર વગેરે સર્વ વૈભવ ઇંદ્રજાળથી બનાવેલા નગરની જેમ તત્કાળ અદ્રશ્ય થઈ ગયો, અને પોતાની પાસે વિદ્યા નહીં હોવાથી તેવો નવીન કુંભકરવાની તેની શક્તિ નહોતી; તેથી તે નવો કુંભ કરી ન શક્યો અને પાછો સદા દરિદ્રીપણાથી વ્યાકુળ રહ્યો. હે શિષ્ય! આ દ્રષ્ટાંતનો સાર એ છે કે-જ્ઞાન વિનાની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. આ બ્રાહ્મણે પ્રમાદથી વિદ્યા ગ્રહણ કરી નહીં, તેથી તે મંદબુદ્ધિવાળો આ લોકમાં જ દુઃખ પામ્યો, તેમ બીજા માણસો પણ જ્ઞાન વિના અનેક ક્રિયાઓ કરે, તો પણ અશુદ્ધ જ થાય છે.” વ્યાખ્યાન ૨૩૬ નવ નિયાણાં संति नव निदानानि, क्षमापः श्रेष्ठी नितंबिनी ।। इत्यादीनि च हेयानि, मोक्षकांक्षैर्मुनीश्वरैः॥१॥ ભાવાર્થ-“રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી આદિ નવ નિયાણાં છે. તે મોક્ષની ઇચ્છાવાળા મુનીશ્વરોએ ત્યાગ કરવા લાયક છે.” નવ નિયામાં પાક્ષિક સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહેલાં છે– निव सिठि इत्थि पुरिसे, परपवियारे सपवियारे । अप्पुसरे दरिद्दे, सढे हुज्जा नव नियाणा ॥१॥ ભાવાર્થ-“રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પવિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણાં છે. હવે તેનું વિશેષ વર્ણન કરે છે (૧) કોઈ સાધુ અથવા સાધ્વી એવું નિદાન કરે કે–દેવ અથવા દેવલોક તો સાક્ષાત જોયા નથી, માટે રાજાઓ જ ખરા દેવ જણાય છે. તેથી જો મારાં કરેલાં તપ અનુષ્ઠાન વગેરેનું ફળ હોય તો આવતા ભવમાં મને રાજાપણું પ્રાપ્ત થજો.” પછી તે દેવલોકમાં જઈને રાજાપણે ઉત્પન્ન થાય છે, પરંતુ તેને બોધિબીજ દુર્લભ થાય છે. આવું નિયાણું બ્રહ્મદત્ત ચક્રીએ પૂર્વ ભવમાં કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy