SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ કોઈક જીવ સમકિત રહિત હોય છતાં પણ તામલિ તાપસની જેમ નિયાણું કરતો નથી. તે તામલિ તાપસનો વૃત્તાંત આ પ્રમાણે છે— તામલિ તાપસની કથા તામ્રલિપ્તિ નામની નગરીમાં તામિલ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને એક દિવસ રાત્રિજાગરિકા કરતાં લૌકિક વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે—“હું પૂર્વ જન્મના પુણ્યથી આ ભવમાં પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, રાજ્યસત્કાર વગેરે અનેક સુખ ભોગવું છું. જન્મથી આરંભીને કોઈ વખત એક શ્વાસોચ્છ્વાસ પણ મેં દુ:ખે લીધો નથી. તેથી હવે પ્રાતઃકાળે સ્વજનોને ભોજન વગેરેથી સંતુષ્ટ કરી મોટા પુત્રને ગૃહકાર્યનો ભાર સોંપીને સર્વની રજા લઈ કાષ્ઠનું પાત્ર હાથમાં રાખીને તાપસી દીક્ષા ગ્રહણ કરીશ. પછી હાથ ઊંચા રાખીને સૂર્ય સન્મુખ સૃષ્ટિ કરી ઊભો રહીશ; જાવજ્જીવ છઠ્ઠું તપ કરીશ. પારણાને દિવસે તે કાષ્ઠપાત્ર લઈને તામ્રલિપ્તિ નગરીમાં ઊંચ નીચ અને મધ્યમ સર્વ કુળમાં ભિક્ષા માટે અટન કરીશ; દાળ તથા શાક રહિત માત્ર ભાત જેવું હવિષ્યાન્ન લઈને તે અન્નને એકવીશ વાર જળ વડે ધોઈ તેને નીરસ કરીને પછી હું તે અન્ન ખાઈશ.’’ ઇત્યાદિ વિચાર કરીને પ્રાતઃકાળ થતાં તેણે રાત્રીનું ચિંતવેલું સર્વ કાર્ય કર્યું, અને પોતાની ઉદરપૂર્તિ થાય તેવડું કાષ્ઠનું એક પાત્ર કરાવ્યું. તેમાં ચાર ખાનાં પડાવ્યાં. તેની અંદર આવેલ અન્નમાંથી ત્રણ ભાગ દાનમાં આપી ચોથા ભાગ વડે પારણું કરવાનો નિરઘાર કર્યો; અને અવ્યક્ત લિંગને તેમજ સર્વને પ્રણામ કરવાના વ્રતને અંગીકાર કરીને તે નદીની પાસે આશ્રમ કરીને તેમાં રહ્યો. પછી ઇંદ્ર, શંકર, રાજા, કાગડો, કૂતરો, ચાંડાલ વગેરે જેને દેખે તેને પ્રણામ કરવા લાગ્યો. ષષ્ઠ તપને પારણે નગરીમાં અટન કરીને તે પાત્ર ભરી લાવી તેમાં મળેલાં અન્નમાંથી એક ભાગ જળચર પ્રાણીને, એક ભાગ સ્થળચર પ્રાણીને અને એક ભાગ ખેચર પ્રાણીને (પક્ષીને) એમ ત્રણ ભાગ આપીને ચોથા ભાગને એકવીશ વાર જળથી ઘોઈ તેના વડે સંતોષથી ઉદરપૂર્તિ કરવા લાગ્યો. આ પ્રમાણે તેણે સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું. તેથી તે બાળતપસ્વી (અજ્ઞાન તપસ્વી) નો દેહ તદ્દન શુષ્ક અને અસ્થિ પણ દેખાય નહીં તેવો કૃશ થઈ ગયો. એકદા તેણે રાત્રિજાગરિકા કરતાં વિચાર્યું કે—‘હું માત્ર જીવના બળથી ગમનાગમન કરું છું, શરીરનું બળ બિલકુલ નથી, માટે આ શ૨ી૨ને પ્રભાતે વોસરાવી દઉં.’ એમ વિચારીને પ્રાતઃકાળે ઈશાન ખૂણામાં પોતાના દેહપ્રમાણ મંડળ આળેખીને તેમાં અનશન કરી આત્મધ્યાન કરતો રહ્યો. હવે તે અવસરે બલિચંચા રાજઘાનીનો ઇંદ્ર॰ ચવ્યો. એટલે ત્યાં રહેનારા દેવ અને દેવીઓએ વિચાર્યું કે—‘આપણે સર્વે દુષ્કર તપ કરનાર તામલિ નામના બાળ તપસ્વી પાસે જઈએ, અને તેને અનેક પ્રકારના સુખાદિકથી લોભ પમાડીને તે આપણા ઇંદ્ર થાય તેવું નિયાણું કરાવીએ.’ પછી તે દેવ અને દેવીઓ તામિલ તાપસ પાસે આવ્યાં. અને તેની પાસે બત્રીશ પ્રકારનું નાટક કર્યું. પછી ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને તેઓએ કહ્યું કે—“હે સ્વામી! અમારી રાજધાની પ્રાપ્ત કરવા માટે નિયાણું કરો કે જેથી અમારું ઇંદ્રપણું પામીને અમારી સાથે દિવ્ય ભોગ ભોગવી શકો.’’ ૧ ભુવનપતિ અસુરકુમાર નિકાયના દેવોનો ઇંદ્ર બલીંદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy