SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ જ્વાળાદેવીએ હર્ષથી રથયાત્રા કરવાની ઇચ્છા વડે સુવર્ણ અને રત્નોથી શોભિત જૈનરથ કરાવ્યો. તે વખતે તેની શોચે ઈર્ષ્યાથી બ્રહ્મરથ કરાવ્યો. પછી તે બન્ને રથો રસ્તામાં પરસ્પર સામા મળ્યા. તે બન્નેનો વાદ-વિવાદ થયો. બન્ને પક્ષમાંથી કોઈ રથ ખેંચનાર પુરુષો બીજા રથને માર્ગ આપી આગળ ચાલ્યા નહીં, ત્યારે ક્લેશની નિવૃત્તિ માટે રાજાએ બન્ને રથ પાછા વળાવ્યા, એટલે મહાપદ્મ આવી રીતે પોતાની માતાનું અપમાન જોઈને પોતાના મનમાં દુઃખી થયો અને પરદેશ ચાલ્યો ગયો. તે અનુક્રમે ચક્રવર્તી યોગ્ય સમૃદ્ધિ મેળવીને જન્મભૂમિમાં આવ્યો. તેના પિતાએ મોટા ઉત્સવથી તેને પુરમાં પ્રવેશ કરાવ્યો. પછી બત્રીશ હજાર રાજાઓએ બાર વર્ષ સુધી મહાપદ્મનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી વિષ્ણુકુમાર સહિત પક્વોત્તર રાજાએ સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી અને પોતે સ્વર્ગ ગયા. વિષ્ણુકુમારને છ હજાર વર્ષ સુધી તીવ્ર તપ કરવાથી વૈક્રિયાદિક અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. મહાપદ્મ રાજાએ પોતાની માતાનો રથયાત્રાનો મનોરથ મોટા ઓચ્છવપૂર્વક પૂર્ણ કર્યો. ત્યાર પછી પોતાનાં પાપ નાશ કરવા માટે માતાના કહેવાથી સમગ્ર પૃથ્વીને જિનેશ્વરોના ચૈત્યોથી ભૂષિત કરી. એકદા સુવતાચાર્ય હસ્તિનાપુરમાં ઘણા સાઘુઓ સહિત ચાતુર્માસનો અભિગ્રહ ઘારણ કરીને રહ્યા, તે વખતે પૂર્વનું વૈર સંભારીને નમુચિએ ચક્રી પાસે પોતાનું વરદાન માગ્યું કે “હે રાજેંદ્ર! કાર્તિક માસની પૂર્ણિમા સુધી મને છ ખંડનું રાજ્ય આપો.” રાજાએ તેને સર્વ રાજ્ય સોંપી દીધું અને તેટલા વખતને માટે પોતે અંતઃપુરમાં રહ્યા. ત્યાર પછી નિરંકુશપણે સર્વ ઘર્મનો દ્વેષી નમુચિ છ ખંડ રાજ્યનું પાલન કરવા લાગ્યો. નમુચિ સમગ્ર પૃથ્વીનો નવો રાજા થવાથી સર્વ રાજાઓએ ભેટમાં આપીને તેની આજ્ઞા અંગીકાર કરી. પછી નમુચિએ જીવહિંસાવાળો યજ્ઞ પ્રારંભ્યો. સર્વ બ્રાહ્મણો આશીર્વાદ આપીને તેના યજ્ઞકર્મની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે તેણે સુવ્રતાચાર્યને બોલાવીને કહ્યું કે-“તમો મુંડાઓને મૂકીને બીજા સર્વ વેષઘારીઓ અને બ્રાહ્મણો મને ચક્રવર્તી તથા યજ્ઞરૂપ ધર્મકાર્ય કરનાર જાણીને નમે છે અને પ્રશંસા કરે છે; તમે તેમ કરતા નથી, તો શું તમે મારાથી પણ મોટા છો? માટે મારી પૃથ્વીમાં કોઈ પણ સાધુએ રહેવું નહીં. હું તમને સાત દિવસની મુદત આપું છું. જો મારી ભૂમિમાં સાત દિવસથી વઘારે કોઈ સાઘુ રહેશે તો તેમને હું મારી નાખીશ, તેમાં મને દૂષણ આપશો નહીં.” આ પ્રમાણે સાંભળીને નગરના લોકોએ તેને સામ વાક્યોથી સમજાવ્યો, પણ તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે આચાર્યમહારાજે વિચાર્યું કે “આનું રાજ્ય તો સર્વ સ્થળે છે, તેથી અમે ચોમાસાના સમયમાં સાત દિવસમાં ક્યાં જઈએ?” એ પ્રમાણે વિચારીને તેમણે બીજા સાધુઓને પૂછ્યું કે “આપણામાં કોઈ ગગનગામિની લબ્ધિવાળો છે કે જે મેરુપર્વતના શિખર ઉપર રહેલા વિષ્ણુકુમાર મુનિને અહીં બોલાવી લાવે?” એક શિષ્ય પોતાની તેવી શક્તિ જણાવી, અને ગુરુની આજ્ઞા લઈને તે મેરુપર્વત પર ગયા. વિષ્ણુકુમાર મુનિએ ચોમાસામાં તેમને અકસ્માતુ આવવાનું કારણ પૂછ્યું, એટલે તેમણે યથાર્થ સર્વ વૃત્તાંત કહ્યો. પછી વિષ્ણુકુમારમુનિ તે સાધુની સાથે નમુચિની સભામાં આવ્યા. ત્યાં એક નમુચિ વિના બીજા સર્વ રાજાઓએ તેમને વંદના કરી. પછી વિષ્ણુકુમારમુનિએ નમુચિને કહ્યું-“હે રાજ! એક સ્થાને ચોમાસું રહેવાના અભિગ્રહવાળા મુનિઓ હમણા ક્યાં જશે? માટે તેમને રહેવા સારુ થોડી પૃથ્વી આપો.” નમુચિએ ત્રણ પગલાં પૃથ્વી આપવા કહ્યું. તે સાંભળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy