SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયલમીસૂરિ વિરચિત શ્રી ઉપરાપ્રાસાદ બાપાનાર ભાગ-૪ (રdલ ૧૫) વ્યાખ્યાન ૨૧૧ જુહારનું સ્વરૂપ બેસતું વર્ષે પરસ્પર જુહાર કરવાના રિવાજની ઉત્પત્તિ કેમ થઈ તે વિષે કહે છે– अन्योऽन्यं जनजोत्कारा भवंति प्रतिपत्प्रगे । तत्स्वरूपं तदा पृष्टं पुनर्जगाद साधुपः॥१॥ ભાવાર્થ-પડવાને દિવસે પ્રાતઃકાલે લોકો પરસ્પર જુહાર કરે છે, તેનું સ્વરૂપ રાજાએ પૂછ્યું, એટલે ગુરુમહારાજ (શ્રી આર્યસુહસ્તિસૂરી) ફરીને બોલ્યા કે હે સંપ્રતિરાજા! પરસ્પર જુહાર કરવામાં એક હેતુ એ છે કે ગૌતમ ગણઘરને અમાવાસ્યા (દિવાળી) ની રાત્રીના પ્રાંત ભાગે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી પ્રભાતે નવા રાજાની જેમ તેમને સર્વ ગણઘરોએ આવીને વાંદ્યા દેવતાઓએ ઉત્સવ ઊજવી તેમને વંદના કરી. રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરે સૌએ વંદના કરી તેથી પ્રણામનો વિધિ શરૂ થયો. આમ તે દિવસથી શરૂ થયેલો વંદન વ્યવહાર આજે પણ સામાજિક પ્રથારૂપે ચાલું છે. હવે બીજો હેતુ સાંભળો પૂર્વે અવંતિ નગરીમાં ઘર્મ નામે રાજા હતો. તેને નમુચિ નામનો પ્રઘાન હતો. એક દિવસે તે નગરીમાં મુનિસુવ્રતસ્વામીના શિષ્ય શ્રી સુવ્રતસૂરિ પધાર્યા. તેમને વંદન કરવા માટે નમુચિ પ્રઘાનને સાથે લઈને શ્રી ઘર્મરાજા ત્યાં ગયો. દેશના સમયે તે સચિવે આ પ્રમાણે વાદ કર્યો કે આ સકળ વિશ્વ સ્વપ્ન જેવું છે, જીવ નાશ પામવાથી સર્વ નાશ પામે છે, જીવ કાંઈ પરલોકમાં ગતિ પામતો નથી, અર્થાત્ જીવ તે પંચભૂતના પિંડનું જ નામ છે, અને પરલોક નથી.” આ પ્રમાણે પોતાના મતને સ્થાપન કરતા સચિવને સૂરિના શિષ્ય તર્કથી વાદમાં જીતી લીધો. તેથી ક્રોઘને વશ થઈને રાત્રિને વખતે હાથમાં તરવાર લઈને તે નિર્દય સચિવ તે મુનિને હણવાની ઇચ્છાથી તેમની પાસે ગયો. તે વખતે શાસનદેવીએ તેને ખંભિત કર્યો; જાણે ચિત્રમાં આલેખ્યો હોય તેવી સ્થિતિમાં પ્રાતઃકાળે રાજા વગેરેએ તેને જોયો. પછી શાસનદેવીને અને ગુરુને ખમાવીને રાજાએ તેને મુક્ત કરાવ્યો. પૌરલોકોએ તેને ઘણો ધિક્કાર્યો. તેથી લજ્જ પામીને તે નગરમાંથી નીકળી નમુચિ ભમતો ભમતો હસ્તિનાપુર ગયો. તે નગરમાં પદ્મોત્તર નામે રાજા હતો. તેને ઉત્તમ શિયળથી શોભિત જ્વાળાદેવી નામે પટ્ટરાણી હતી. તેઓને વિષ્ણુકુમાર અને મહાપદ્મ નામે બે પુત્રો હતા. રાજાએ વિષ્ણુકુમારને રાજ્યપદ આપ્યું હતું અને નાના પુત્રને યુવરાજ્યપદ આપ્યું હતું. અન્યદા નમુચિ પ્રઘાને પોતાની કળાકુશળતા યુવરાજને દેખાડી, તેથી હર્ષ પામીને તેણે નમુચિને પોતાનું પ્રઘાનપદ આપ્યું. એક વખત તે નમુચિએ સિંહરથ નામના મોટા યોદ્ધાને જીત્યો, તેથી સંતોષ પામેલા યુવરાજે તેને વરદાન આપ્યું. નમુચિએ તે વરદાનને થાપણ રૂપ રખાવ્યું. એક દિવસે ભાગ ૪-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy