SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ DO વ્યાખ્યાન ૨૩૪] બાહ્યવંદનની નિષ્ફળતા સર્વ ભવમાં મનુષ્ય ભવ દુર્લભ છે. તેમાં પણ ઘર્મ તથા ગુણ વગેરેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ પ્રમાણેના શ્રી કાલિકાચાર્યના ઉપદેશથી પ્રતિબોધ પામીને શાલિવાહન રાજા દાનાદિક ગુણોને જાણી, તેને ઘારણ કરીને શોભતો થયો.” વ્યાખ્યાન ૨૩૪ બાહ્યવંદનની નિષ્ફળતા હવે બાહ્યભાવથી વાંદવાની નિષ્ફળતા વિષે કહે છે– बाह्याचारेण संयुक्तः करोति द्रव्यवंदनम् । तन्न प्रमाणमायाति, साफल्यं भाववंदनम् ॥४॥ ભાવાર્થ-“બહારના આચાર સહિત જે દ્રવ્યવંદન કરે છે તે પ્રમાણ નથી અર્થાત્ તેનું ફળ નથી, પણ ભાવવંદન જ સફળ છે.” આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે - શીતલાચાર્યની કથા કોઈ એક રાજાને શીતલ નામે પુત્ર હતો. તે બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યવાળો હતો. એક વખતે ગુરુને વાંદીને તે દેશના સાંભળવા બેઠો. તે પ્રસંગે ગુરુએ કહ્યું કે-“કોઈ એક વનમાં રહેનાર તાપસ લોકના આમંત્રણથી ગામમાં આવીને માસક્ષમણનું પારણું કરતો હતો, પરંતુ ગામમાં કોઈ પણ સ્ત્રીનું મુખ જોતો નહીં; તેથી તેની સન્મુખ આવતી સ્ત્રીઓને તેની આગળ ચાલતા છડીદારો દૂર ખસેડતા હતા. આ પ્રકારની સ્ત્રીઓની વિડંબના થતી સાંભળીને કોઈ વેશ્યાએ વિચાર્યું કે–“અહો! કેવી કપટજાળ! લોકને રંજન કરવા માટે કેવો દંભ રાખે છે?” એમ ઘારીને તેણે તાપસને બોઘ કરવાનો નિશ્ચય કર્યો. પછી એક દિવસ તે તાપસ રાજાને ઘેર પારણું કરવા જતો હતો, તે અવસરે તેને પાલખીમાં બેસીને રસ્તામાં આવતો જોઈને તે વેશ્યા તેની સન્મુખ ચાલી. તેને સિપાઈઓએ અટકાવી, પણ તે ખસી નહીં, અને તાપસની પાસે આવીને તેના માથામાં પોતાની આંગળી વડે ટકોરા માર્યા, તેથી તે ગુસ્સે થયો; અને તે વેશ્યાને ક્રોઘદ્રષ્ટિથી જોતો, મનમાં કાંઈક બડબડતો અને મુખથી ‘હરિ! હરિ! વિષ્ણુ! વિષ્ણુ!” એમ બોલતો સ્નાન કરવા માટે પાછો વળ્યો; કેમકે વેશ્યાનું દર્શન થયું માટે સ્નાન કરવું જોઈએ એવો તેનો આચાર હતો. તે સર્વ વૃત્તાંત જાણીને રાજાએ તે વેશ્યાને બોલાવીને તેમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે વેશ્યાએ કહ્યું કે– તાપસ આવશે ત્યારે કહીશ.' પછી ફરીથી સ્નાન કરીને તે તાપસ રાજાને ઘેર આવ્યો અને વેશ્યા સામું ન જોતાં આંખ મીંચીને જમવા લાગ્યો. ત્યારે વેશ્યાએ કહ્યું – आंख म मीच जम जमन, नयन निहाळी जोय; अप्पइ अप्पा जोयइ, अवर न बीजो कोय. આંખ મીંચીને જમવા માંડ નહીં, આંખ ઉઘાડીને જો; તારા આત્મા વડે મારા આત્માને જો એટલે જણાશે કે હું પણ આત્મા જ છું, બીજું કાંઈ નથી; માટે ફોગટ દંભ કર નહીં.” આ પ્રમાણે સાંભળીને તે તાપસ બોઘ પામ્યો, તથા બીજા રાજા વગેરે સર્વ લોક પણ બોઘ પામ્યા. માટે હે શીતલ કુમાર! આત્માનું દમન કરવું તે જ શ્રેષ્ઠ ઘર્મ છે.” ઇત્યાદિ દેશના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy