SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ મેં कु કહેતાં પૃથ્વીમાં, ૐ કહેતાં ખરાબ (કુત્સિત), રુ કહેતાં કર્યું તેથી હું પક્ષી થયો, તેના નિવારણ માટે હું પ્રાતઃકાળે ‘‘છુ છુ ’ એવો શબ્દ કરીને સર્વને સુકૃત્ય કરવા જાગૃત કરું છું, તો મારી સમાન નિર્ગુણ માણસ શી રીતે?’' ફરીથી પંડિતે કહ્યું કે—મનુષ્ય વેળ ચોષ્ટ્રાચાંતિ. “તેઓ મનુષ્યરૂપે ઊંટ જેવા છે.’’ ત્યારે ઊંટ બોલ્યો કે—મારે માટે એક કવિએ કહ્યું છે કે— वपुर्विषमसंस्थानं, ૯૪ कर्णज्वरकरो વઃ । રમસ્યાશુ ગજૈવ, છાવિતા રોષસંતતિઃ |[]] ભાવાર્થ-‘શરીર વિષમ સંસ્થાનવાળું છે, શબ્દ કર્ણને કઠોર લાગે તેવો છે, તો પણ ઊંટની ગતિ શીઘ્ર હોવાથી તેના દોષનો સમૂહ ઢંકાઈ જાય છે.’’ માટે હું ચંદનની જેમ માત્ર એક શીઘ્રગતિરૂપ ગુણથી જ રાજાને પણ માન્ય છું. તે સાંભળી પંડિતે ફરીથી કહ્યું કે—મનુષ્યપેળ = ભસ્મતુલ્યા: “તેઓ મનુષ્યરૂપે રાખ સમાન છે.’’ તે સાંભળીને રાખ બોલી કે– मूढकमध्ये क्षिप्ता, करोम्यहं सकलधान्यरक्षां द्राक् । मानं ददते मनुजा, मुखशुद्धिकरी सुगंधा च ॥१॥ ભાવાર્થ—“મને ધાન્યના મોટા સમૂહમાં નાંખી હોય, તો હું સર્વ ધાન્યની રક્ષા કરું છું, વળી હું મુખને શુદ્ધ કરું છું તથા સુગંધી છું, માટે મનુષ્યો મને માન આપે છે.’’ - ફરીથી પંડિત બોલ્યા કે મનુષ્યરૂપા: વહુ મક્ષિા: હ્યુ: “તેઓ મનુષ્યરૂપે કરીને માખી જેવા છે.’’ તે સાંભળીને માખી કહે છે કે सर्वेषां हस्तयुक्त्याहं, बोधयामि निरंतरम् । ये धर्मं नो कारिष्यंति, ते हस्तौ घर्षयंति वै ॥१॥ ભાવાર્થ-હું મારા આગળના હાથ ઘસવાની યુક્તિ (નિશાની) વડે માણસોને હમેશાં બોધ આપું છું કે—જેઓ મારી પેઠે પામ્યા છતાં ધર્મ કરશે નહીં તેઓ હાથ ઘસતા રહેશે.’’ એકદા ભોજરાજાએ સભામાં વિદ્વાનોને પૂછ્યું કે—“માખી પોતાના આગળના બે હાથ શા માટે ઘસે છે?’’ ત્યારે પંડિતો બોલ્યા કે– देयं भोज धनं धनं सुविधिना नो संचितव्यं कदा श्रीकर्णस्य बलस्य विक्रमनृपस्याद्यापि कीर्तिर्यतः । येनेदं बहु पाणिपादयुगलं घृष्यंति भो मक्षिका अस्माकं मधु दानभोगरहितं नष्टं चिरात् संचितम् ॥१॥ ભાવાર્થ—“હે ભોજ રાજા! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક નિરંતર દાન દેવું, પણ કદાપિ દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં. દાનના પ્રભાવથી કર્ણ, બળ અને વિક્રમ રાજાની કીર્તિ હજુ સુધી જગતમાં જાગૃત છે. આ પ્રમાણે કહેતી એવી માખીઓ પોતાના હાથ પગ ઘસતી સતી જણાવે છે કે–અહો! અમે ઘણા કાળથી સંગ્રહ કરેલા મધનો દાનભોગ ન કર્યો તો તે પરિણામે નાશ પામ્યું.’ ઇત્યાદિ યુક્તિથી શ્રી કાલિકાચાર્યે પ્રતિબોધ પમાડેલા શાળિવાહન રાજા વગેરે લોકો દાન શીલાદિક ધર્મમાં તત્પર થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy