SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ કરનારા દાવાનળની પ્રકાશિત જ્વાળાસમૂહને આલિંગન કરવાનું દુઃખ પણ સહન કર.” વૃક્ષનો આવો ઉત્તર સાંભળીને સૂરીએ ચોથા પદમાં કહ્યું કે–મનુષ્યરૂપે હિ ધૃવુિંના:ગુણરહિત મનુષ્યો “મનુષ્યના રૂપે કરીને ધૂળના ઢગલા છે.” તે સાંભળીને ધૂલિ બોલી કે– વારામિ શિશુci, jનાશ વેરોનિ ચ | मत्तोऽजनि रजःपर्व, वर्षे क्षिप्तं फलप्रदम् ॥१॥ ભાવાર્થ-“હું બાળકને ક્રીડા કરાવું છું, પંકનો નાશ કરું છું, મારાથી જ હોળીનું પર્વ થયું છે, અને મને ખેતરમાં નાંખવાથી સારો પાક થાય છે.” धूलिर्मूलपदार्थसार्थजननी स्तंभाधवष्टंभदा लेखाश्लेषकरी करीश्वरकरासंगिन्यवश्यं प्रिया । गंधं दूरकरी शिशोः सुखकरी कालत्रयेऽपि स्थिरा तस्माद्धूलिसमं न चास्ति किमपि क्षेप्या मुखे पापिनाम् ॥२॥ ભાવાર્થ-“ધૂળ સર્વ મૂળ પદાર્થોને ઉત્પન્ન કરનારી છે, થાંભલા વગેરેને આઘાર આપનારી છે, લખેલા લેખને સૂકવવા માટે તેનો આશ્લેષ કરનારી છે, હાથીની સૂંઢનો સંગ કરનારી હોવાથી તેને અતિ પ્રિય છે, દુર્ગઘને દૂર કરનારી છે, બાળકને સુખ કરનારી છે, ત્રણે કાળને વિષે સ્થિર રહેનારી છે.” માટે ધૂલિ સમાન કોઈ પણ નથી. તે પાપીઓના મુખ પર નાંખવા યોગ્ય છે. સૂરિએ ફરીથી તે જ શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે–મનુષ્યરૂપ મ રૂપ :. “તેઓ મનુષ્ય રૂપે કરીને કૂતરા જેવા છે.” તે સાંભળીને કૂતરો બોલ્યો કે - स्वामिभक्तः सुचैतन्यः, स्वल्पनिद्रः सदोद्यमी । . अल्पसंतोषवानस्मि, तस्मात्तत्तुल्यता कथम् ॥१॥ ભાવાર્થ-“હું સ્વામીની ભક્તિવાળો, સારી ચેતનાવાળો, સ્વલ્પ નિદ્રાવાળો, નિરંતર ઉદ્યમી અને થોડાથી સંતોષી છું તેથી તેવા નિર્ગુણ મનુષ્યની સદ્ગશ હું શી રીતે?” એની ઉપર એક દ્રશ્ચંત કહે છે કે અયોધ્યા નગરીમાં ગોવિંદચંદ્ર નામે રાજા હતો, તેને આનંદ નામનો મંત્રી હતો, તે અતિ પાપિષ્ટ હતો. તે લોકોને ઘણી પીડા કરતો હતો, તેથી રાજાએ તેને મારીને ઉકરડામાં દટાવ્યો. તેને ખાવા માટે બે કૂતરાઓએ આવીને તેને ખોદીને બહાર કાઢ્યો. પછી તેમાંથી મોટા કૂતરાએ નાનાને કહ્યું કે “એને ભક્ષણ કર મા.” કેમ કે हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सत्यवचोद्रोहिणौ चक्षुः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ । लंचालुंचितवित्तपूर्णमुदरं गर्वेण तुंगं शिरो भ्रातः कुर्कुर मुंच मुंच सहसा निंद्यं वपुः सर्वदा ॥१॥ ભાવાર્થ-“તેના હાથ દાનથી રહિત છે, તેના કાન સત્યવચન શ્રવણ કરવામાં દ્વેષી છે, તેનાં નેત્રો સાધુ પુરુષના દર્શનથી રહિત છે, તેના ચરણ તીર્થમાર્ગે ગયા નથી, તેનું પેટ લાંચથી લૂંટી લીઘેલા દ્રવ્યથી પૂર્ણ છે, અને તેનું મસ્તક ગર્વથી ઉન્નત છે, માટે હે ભાઈ કુક્ર! સર્વદા નિંદવા લાયક આ શરીરને તું જલદી મૂકી દે, મૂકી દે.”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy