SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા. પ૮ વિશેષ જાગૃતિ સહિત અભ્યાસ અને અનુપ્રેક્ષા વારંવાર કરવાની સાધકોને પણ આજ્ઞા કરેલી છે અને જરા પણ પ્રમાદને આધીન થયા વિના સતતપણે સાવધાન રહેવાનો ઉપદેશ કર્યો છે. મતલબ કે જ્ઞાની પુરુષે પણ અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ વગેરે સમસ્ત પ્રકારના અહિતકારી અને અશુદ્ધ ભાવોનો અનભ્યાસ, અપરિચય અને ઉપશમ કરવો; કારણ કે તે સઘળા ભાવો આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા હોવાને લીધે આત્મવિકાસમાં નિઃશંકપણે બાધા ઉપજાવે તેવા છે. માટે જ્ઞાની પુરુષે પણ આવા પ્રતિબંધ ઉપજાવવાના સ્વભાવવાળા ભાવોથી પોતાના આત્માને અલિપ્ત રાખવો અને ક્ષમા, વિનય આદિ ભેદરૂપ શુદ્ધ ભાવોનો તથા શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવરૂપ એક નિજભાવનો, ફરી ફરી વારંવાર ક્ષણે ક્ષણે જાગ્રતપણે લક્ષ રાખવો, એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે. યથા– (હરિગીત) નિજ ભાવને છોડે નહીં પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે જુએ છે તે જ હું છું એમ જ્ઞાની ચિંતવે.” “જ્યારે સ્વયં તે શંખ શ્વેત સ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુકલત્વને. ત્વમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને, અજ્ઞાનભાવે પરિણામે અજ્ઞાનતા ત્યારે લહે.૨ “પર મમ કુછ ના કહતા પર તુ ભોગ ભોગતા હું કહતા, વિતથી ભોગતા તબ એ ! શાની ભોગ બુરા કયો દુખ સહતા શ્રી નિયમસાર, ૭, (હિં.જે.શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). શ્રી સમયસાર, ૨૨૨, ૨૨૩. એજન. નિજામૃતપાન, ૧૫૧ (પૂ.શ્રી ૧૦૮ વિદ્યાસાગરજી મહારાજકૃત સમયસાર-કળશનો હિંદી પદ્યાનુવાદ) વિતથઃનિષ્ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy