SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ અધ્યાત્મ પંથની યાત્રા અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજિને નિજજ્ઞાનના પરિચયપુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ, મનમાં ચિર નહીં હોય; કારણવશ કંઈ પણ કરે, બુધ ત્યાં તત્પર નોય. “જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે સંભવે છે.’ 192 જે પુરુષો પોતાથી અથવા પરના ઉપદેશથી, કોઈ પણ પ્રકારે, ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે તેવી નિશ્ચળ સ્વાનુભૂતિને પામે છે, તેઓ દર્પણની જેમ પોતામાં ઝળકતા જે અનંત ભાવોના સ્વભાવ તેમનાથી નિરંતર વિકારરહિત હોય છે. (જ્ઞાનમાં શેયના આકારે પ્રતિભાસતા રાગાદિભાવોથી વિકારને પ્રાપ્ત થતાં નથી.) આ પ્રમાણે અધ્યાત્મદૃષ્ટિની મુખ્યતાથી કથન કર્યું. હવે, સિદ્ધાંતદૃષ્ટિની મુખ્યતાથી કથન કરતાં શ્રીગુરુ આગળ વ્યાખ્યાન કરે છે : જોકે જ્ઞાનીને પરદ્રવ્યોના પ્રસંગોમાં પ્રતિબંધ થતો નથી એમ સામાન્ય કથન છે તોપણ તેમાં એકાંત નથી. જ્યાં સુધી વિશિષ્ટ અભ્યાસના બળથી જ્ઞાનનું સુસ્થિતપણું અને નિષ્કપપણું થયું હોતું નથી, ત્યાં સુધી જ્ઞાનીને પણ તેવા વિભાવભાવોનો પરિચય કરવાથી જ્ઞાનમાં શિથિલતા આવી શકે છે, કારણ કે જ્ઞાનના સંસ્કાર તો નવીન અને અલ્પ છે અને અજ્ઞાનના સંસ્કાર તો અનાદિકાલીન અને અતિ દૃઢ છે. ૧. ૨. ૩. આમ હોવાને લીધે સર્વજ્ઞ ભગવાને અને જ્ઞાની પુરુષોએ, વિશેષ શ્રી સમાધિશતક, ૫૦ (છો. ગુ. ગાંધીકૃત ગુજરાતી પદ્યાનુવાદ) શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૪૫૯. कथमपि हि लभन्ते भेदविज्ञानमूलाम्, अचलितमनुंभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलननिमग्नानन्तभावस्वभावै, मुकुरवदविकारा संततं स्युस्त एव ।। -શ્રી સમયસારકળશ, ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy